હાસ્યકાર જ્યોતીન્દ્ર દવે કેમ હજુ ભૂલાયા નથી?
ABHIYAAN|October 22, 2022
ગુજરાતી સાહિત્યના પંડિતયુગ કહો કે ગાંધીયુગ મહદ અંશે ગંભીર હતા, એવા યુગ વચ્ચે જ્યોતીન્દ્ર દવેએ હાસ્યલેખનને સાહિત્યમાં સ્થાપિત કર્યું. તેમના થકી હાસ્યલેખકોની એક સશક્ત પરંપરા શરૂ થઈ. તેમના જન્મદિન નિમિત્તે તેમના વિશે થોડીક સરપ્રદ વાતો અહીં પ્રસ્તુત છે.
ઉર્વીશ કોઠારી
હાસ્યકાર જ્યોતીન્દ્ર દવે કેમ હજુ ભૂલાયા નથી?

આશરે સવા સો વર્ષના ગુજરાતી હાસ્યલેખનના ઇતિહાસમાં, નિર્વિવાદપણે કોઈ એક નામ ટોચે ઊભરીને આવતું હોય તો તે જ્યોતીન્દ્ર દવેનું છે. ઑક્ટોબર ૨૧, ૧૯૦૧ના રોજ સુરતમાં જન્મેલા જ્યોતીન્દ્ર હરિહરશંકર દવે ૧૯૮૦માં તેમનું અવસાન થયા પછી પણ હજુ સુધી ભૂલાયા નથી. અનેક મહાન સર્જકોને ભૂલી જવાનું જ્યાં સામાન્ય છે, એવા ગુજરાતમાં તે અસાધારણ વાત કહેવાય. તેનું કારણ શું હશે?

પહેલો, દેખીતો-અને ખોટો-જવાબઃ તે બહુ ઉત્તમ લેખક હતા.

આ જવાબમાં, જ્યોતીન્દ્ર ઉત્તમ લેખક હતા તે તો સાચું અને નિર્વિવાદ છે, પણ એટલા કારણથી તે ભૂલાય નહીં, તેમ માની લેવું ખોટું છે. કેમ કે, બીજા અનેક મહાન સર્જકો લોકસ્મૃતિમાંથી લગભગ ભૂલાઈ-ભૂંસાઈ ગયા છે.

ગુજરાતી હાસ્ય સાહિત્યમાં જ્યોતીન્દ્ર દવેનું સ્થાન પર્વતોમાં હિમાલય જેવું છે. તેમણે પાડેલી અને મજબૂત બનાવેલી હાસ્યનિબંધની પરંપરા એક ‘સ્કૂલ’ બની ગઈ. બકુલ ત્રિપાઠી અને રતિલાલ બોરીસાગર જેવા સમર્થ હાસ્યકા૨ોએ તેને આગળ ધપાવી, પણ જ્યોતીન્દ્રની છાયામાંથી નીકળવું તેમના માટે ખાસ્સું કઠણ નીવડ્યું. હાસ્યનિબંધ ઉપરાંત હાસ્યલેખ માટે પણ, જ્યોતીન્દ્ર દવેનાં લખાણ માપદંડ ગણાયાં. સરસ ગુજરાતી ફિલ્મનાં વખાણ કરતી વખતે જેમ કેટલાક લોકો, અલબત્ત ભોળા ભાવે, તેને ‘હિન્દી જેવી જ છે' –એવી અંજલિ આપે છે, એવું હાસ્યનિબંધોના મામલે પણ બન્યું. બકુલ ત્રિપાઠી અને રતિલાલ બોરીસાગર એ બંનેને તેમના હાસ્યનિબંધ ‘જ્યોતીન્દ્ર જેવા જ છે’-એવું સાંભળવાનું ઘણી વાર આવ્યું હશે. સ્વતંત્ર મુદ્રા ઊભી થયા પછી એવાં વખાણ ઝાઝો આનંદ ન આપે, પરંતુ ‘સરસ એટલે જ્યોતીન્દ્રના લેખ જેવું' એ ધોરણ એટલું ચલણી અને સહેલું છે કે તેની બહાર જવાનું લોકોને ઝટ સૂઝતું નથી.

هذه القصة مأخوذة من طبعة October 22, 2022 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة October 22, 2022 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

શું કરી શકો છો? શું ન કરવું જોઈએ?

time-read
3 mins  |
May 25, 2024
મૂવી-ટીવી
ABHIYAAN

મૂવી-ટીવી

કરણ જોહરથી લિસા રે સુધીઃ કોઈ સિંગલ ફાધર તો કોઈ ટ્વિન્સના પેરેન્ટ્સ

time-read
2 mins  |
May 25, 2024
ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ
ABHIYAAN

ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: અસીમ તક આપતું શાનદાર કરિયર

time-read
2 mins  |
May 25, 2024
જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!
ABHIYAAN

જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!

વ્યક્તિમાં શીખવાની દૃષ્ટિ હોય તો વ્યક્તિ કલાપીની પંક્તિઓની જેમ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે...’ત્યાં ત્યાંથી એ શિક્ષિત થતો રહે છે.

time-read
2 mins  |
May 25, 2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

યુદ્ધભૂમિ પર જન્મેલું કલા સ્વરૂપ: અફઘાન વાર રગ્સ

time-read
4 mins  |
May 25, 2024
કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા
ABHIYAAN

કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા

બાંધણી, રોગાન કે અજરખ જેવી હસ્તકલા માટે કચ્છ જાણીતું છે. કચ્છના કસબીઓની વંશપરાપરાગત કલાઓને જી.આઈ. ટેગ મળી રહ્યો છે. જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતાં મૂળ કલાની નકલના કામ ઉપર અંકુશ આવશે. સાચા કસબીઓની માગ વધશે, સાચી કલાને સંરક્ષણ મળશે અને નકલ કરનારા ઉપર કાયદેસર પગલાં પણ લઈ શકાશે.

time-read
5 mins  |
May 25, 2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

નાઇક્ઃ મૃત્યુના સાક્ષાત્કારની ૨૭ સેકન્ડ

time-read
7 mins  |
May 25, 2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ

time-read
8 mins  |
May 25, 2024
રાજકાજ ગુજરાત
ABHIYAAN

રાજકાજ ગુજરાત

સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો

time-read
2 mins  |
May 25, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?

time-read
2 mins  |
May 25, 2024