ચેચેન્યા રશિયાનો મુસ્લિમ મેજોરિટી ધરાવતો એક પ્રદેશ છે. સોવિયેત સંઘ વિખેરાયો ત્યારે પડોશના મુલ્કો જેવા કે તાજિકિસ્તાન, કઝાખસ્તાન, અઝરબૈઝાન વગેરેને સ્વતંત્ર જાહેર કરાયા, પરંતુ ચેચેન્યાને રશિયા સાથે જોડી રખાયું. ૧૯૯૯ બાદ ચેચેન મુસ્લિમ વિદ્રોહીઓએ રશિયા સામે ખૂબ જ હિંસક લડાઈઓ લડી. ત્રાસવાદ આચર્યો. મોસ્કોના એક સિનેમાઘરને ચાલુ શૉ દરમિયાન બાનમાં લીધું. રશિયાએ સિનેમા હૉલમાં ઝેરી ગેસ છોડીને ત્રાસવાદીઓને બેભાન કરી દીધા. પોતાના નાગરિકોને તાબડતોબ હૉસ્પિટલમાં ખસેડી સારવાર આપી છતાં અમુક રશિયનો પણ માર્યા ગયા. ચેચેન ત્રાસવાદીઓને મારી નાખ્યા. બાદમાં ચેચેન વિદ્રોહીઓએ એક રશિયન ભૂલકાંઓની શાળા કબજામાં લઈ લગભગ ચારસો ભૂલકાંઓને મારી નાખ્યા. આટલી હિંસક અને ખૂંખાર પ્રજા છે. બીજી તરફ તેઓને પણ વશમાં કરી લેનારા રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન છે.
લોકો રશિયાના હોય કે ચેચેન્યાના. તેઓ જથ્થાબંધ મરે તો પણ પુતિનનું કાળજું ન કંપે. આવા લોકો જ સફળ તાનાશાહ બની શકે છે, પણ એ સફળતા તેઓને ભાન ભુલાવી દે તો મોટી નિષ્ફળતાનું કારણ બને છે. વિદ્રોહીઓ અને યુરોપિયનો પર ધાક જમાવવામાં પુતિન સફળ રહ્યા તેથી ઘરઆંગણે ખૂબ લોકપ્રિય રહ્યા. બાદમાં મદોન્મત બની જે નિર્ણયો લીધા તેમાં પારધીની માફક પોતાની જાળમાં ફસાઈ ગયા છે. ચેચેન્યાના ગવર્નર તરીકે પુતિનની સરકારે રમઝાન કાદીરોવ નામના એક પોતાની જેવા જ નિર્દય ચેચેન લીડરની નિમણૂક કરી છે. આ કાદીરોવ પુતિનને ખુશ કરવાની ફિરાકમાં જ જીવી રહ્યો છે. યુક્રેન પર આક્રમણ કર્યા બાદ કિવના પાદરમાંથી રશિયન દળોએ પીછેહઠ કરવી પડી ત્યારે કાદીરોવ બોલ્યો હતો કે સાહેબ (પુતિન) હુકમ કરે તો ચેચેનના લડાયકો ગણતરીના દિવસોમાં જ યુક્રેન કબજે કરી લેશે. ખૂંખાર ધમકીની ભાષામાં એ વાત કરતો હતો. એ પણ કરી જોયું. સાડા નવ મહિના બાદ રશિયનો અને ચેચેન રશિયનો સહિત તમામની કારી ફાવતી નથી. હવે હમણાં રમઝાન કાદીરોવે પુતિનને સલાહ આપી છે કે યુક્રેન પર ઓછી ક્ષમતાનો પરમાણુ બૉમ્બ ફેંકવામાં આવે. આ જબાનમાં પુતિન પણ ઘણા સમયથી ધમકી આપી રહ્યા છે. પુતિન આવું કરી શકે છે. રશિયન સેનાના ટોચના સો જેટલા સેનાપતિઓ, અધિકારીઓ સહિત એક લાખ જેટલા રશિયનો અને પંદર હજાર જેટલા યુક્રેનિયનો માર્યા ગયા છે, પણ પુતિનના પેટનું પાણી હલતું નથી. પરમાણુ શસ્ત્રો વાપરવાની ધમકી આપી રહ્યા છે.
This story is from the October 15, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 15, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)
બિઝનેસ પ્લાન બનાવી આપનારા એક્સ્પર્ટો પાસે તમે જે બિઝનેસ કરવાની ઇચ્છા ધરાવતા હોવ એને લગતો એક બિઝનેસ પ્લાન બનાવડાવો. આવો પ્લાન બનાવવા જાણકારો ચારથી લઈને બાર અઠવાડિયાં કે એથી પણ થોડો વધુ સમય લે છે
મુવી-ટીવી
થિયેટર કરતો હોઉં ત્યારે વિદેશી ફિલ્મોને પણ ના પાડી દઉં: મકરંદ દેશપાંડે ‘રજાકાર’ ફિલ્મમાં ખલનાયક નિઝામનો રોલ કરનારા મરાઠી રંગભૂમિ અને હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા મકરંદ દેશપાંડેએ ‘અભિયાન' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે હિન્દી ઉપરાંત કન્નડ, મલયાલમ, તમિલ અને મરાઠીમાં ફિલ્મો કરી છે. ‘સરફરોશ', ‘સ્વદેશ’, ‘બુઢ્ઢા... હોગા તેરા બાપ' અને ‘ડરના જરૂરી હૈ' તેમની જાણીતી ફિલ્મો છે.
ગાર્ડનિંગ
પ્રુનિંગ એટલે શું અને તે કેમ જરૂરી છે?
લાફ્ટર વાઇરસ
સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!
બિંજ-થિંગ
Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા
પ્રવાસન
ચંબા વેલીનો ચાર્મ, ડેલહાઉસી
તસવીર કથા
સાળંગપુરમાં મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ફૂલદોલ ઉત્સવ ઊજવાયો
બીજાને જજ કરવા કરતાં જાતને મૂલવવી એટલે સ્વયંનું સ્વચ્છતા અભિયાન...
તંદુરસ્ત હો તો ક્યારેક રક્તદાન કરી દેવું એ કૃષ્ણ જેને કર્મ એ કહે એવું કામ છે. પોતે ફેક્યો ન હોય એવો કચરો ઉપાડીને કચરાટોપલીમાં નાખી દેવો એ પણ ગીતાકારને ગમે એવું કામ છે.
સાંપ્રત
ઇઝરાયલ અને ઈરાનનો ટપલીદાવ
અસ્મિતા કે અહંતા?
* રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે કાંઈ ચાલે છે તેમાં નાર્સિસિઝમ છે? * ગ્રીક પાત્ર નાર્સિસસ તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોઈને પોતાના પ્રેમમાં પડી જાય છે, નાર્સિસિઝમનો મુદ્દો સાચી રીતે સમજવો પડે. * અસ્મિતા શબ્દને નાર્સિસિઝમ સાથે સંબંધ છે? અસ્મિતા અંગે આપણે કેટલા સાચા છીએ, કેટલા ભ્રમમાં છીએ?