આવવું ન આશ્રમે – મળે નહિ સ્વતંત્રતા!
જંપવું નથી લગાર – જો નહિ સ્વતંત્રતા!
સ્નેહ, સૌખ્ય સૌ હરામ – ના મળે સ્વતંત્રતા!
જીવવું મર્યા સમાન – ના યદિ સ્વતંત્રતા!
ભારતની આઝાદી માટે એક લડવૈયામાં કેવી પ્રબળ ઝંખના હોય એ કવિ કૃષ્ણલાલ શ્રીધરાણીના આ શબ્દોમાં જ દેખાઈ આવે છે. વળી આ ‘સપૂત’ કાવ્ય એ વાતનો પુરાવો છે કે કૃષ્ણલાલ શ્રીધરાણી જેટલા શ્રેષ્ઠ કવિ હતા તેટલા જ અગ્રણી સ્વાતંત્ર્ય સૈનિક હતા. ૧૯૧૧માં ભાવનગર જિલ્લાના ઉમરાળામાં જન્મેલા શ્રીધરાણીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ વતનમાં જ લીધું હતું. માધ્યમિક શિક્ષણ ભાવનગરની દક્ષિણામૂર્તિ વિનયમંદિરમાં. ત્યાર બાદ ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ આવ્યા અને પછી ગાંધીજીના સંપર્કમાં આવતા સ્વતંત્રતા સંગ્રામમાં ખૂબ અગ્રણી ભૂમિકા ભજવી. ઐતિહાસિક દાંડીકૂચ માટે જે ૭૯ સ્વતંત્રતા સેનાનીઓને ગાંધીજીએ પોતાની સાથે લીધા હતા તેમાના એક કૃષ્ણલાલ શ્રીધરાણી હતા. ગાંધીજીને ‘જુવાન ડોસલો' ઉપનામ આપનાર પણ કૃષ્ણલાલ શ્રીધરાણી જ. તેઓ એવા કવિ હતા જેમણે આઝાદીની લડત હેઠળ કારાવાસ પણ વેઠ્યો હતો. ઘરાસણા ખાતેથી તેમની ધરપકડ થઈ હતી અને તેમણે ઘણો સમય નાસિક જેલમાં વિતાવ્યો હતો. ત્યાર ૧૯૩૧ની તેઓ બાદ સાલમાં શાંતિનિકેતનમાં ગયા અને ત્યાંથી જ સ્નાતક થયા. એવું કહેવાય છે કે રવીન્દ્રનાથ ટાગોરની સલાહથી તેઓ વધુ અભ્યાસ કરવા માટે અમેરિકા ગયા હતા. ભાવનગર રાજ્યએ તેમને વધુ અભ્યાસ અર્થે વિદેશ જવા માટે મદદ કરી હતી. સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને રાજકીય તત્ત્વજ્ઞાન જેવા વિષયો પર તેમણે અમેરિકામાં મહારત હાંસલ કરી હતી. તે સિવાય કોલંબિયા યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ જર્નાલિઝમમાંથી એમ.એસ. પણ કર્યું હતું.
This story is from the September 24, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 24, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
એનાલિસિસ
આ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની હેટ્રિક કે હિટ વિકેટ
રાજકાજ
એઆઈના માધ્યમથી અમિત શાહને ટાર્ગેટ બનાવાય છે ત્યારે...
રાજકાજ
કર્ણાટકમાં પ્રજ્વલ રેવન્નાનું સેક્સ કાંડ : ભાજપ માટે સંકટ
પંચામૃત
તર્ક-વિતર્કથી નહીં, શ્રદ્ધા દ્વારા ઊંડી સમજ
વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)
બિઝનેસ પ્લાન બનાવી આપનારા એક્સ્પર્ટો પાસે તમે જે બિઝનેસ કરવાની ઇચ્છા ધરાવતા હોવ એને લગતો એક બિઝનેસ પ્લાન બનાવડાવો. આવો પ્લાન બનાવવા જાણકારો ચારથી લઈને બાર અઠવાડિયાં કે એથી પણ થોડો વધુ સમય લે છે
મુવી-ટીવી
થિયેટર કરતો હોઉં ત્યારે વિદેશી ફિલ્મોને પણ ના પાડી દઉં: મકરંદ દેશપાંડે ‘રજાકાર’ ફિલ્મમાં ખલનાયક નિઝામનો રોલ કરનારા મરાઠી રંગભૂમિ અને હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા મકરંદ દેશપાંડેએ ‘અભિયાન' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે હિન્દી ઉપરાંત કન્નડ, મલયાલમ, તમિલ અને મરાઠીમાં ફિલ્મો કરી છે. ‘સરફરોશ', ‘સ્વદેશ’, ‘બુઢ્ઢા... હોગા તેરા બાપ' અને ‘ડરના જરૂરી હૈ' તેમની જાણીતી ફિલ્મો છે.
ગાર્ડનિંગ
પ્રુનિંગ એટલે શું અને તે કેમ જરૂરી છે?
લાફ્ટર વાઇરસ
સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!
બિંજ-થિંગ
Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા
પ્રવાસન
ચંબા વેલીનો ચાર્મ, ડેલહાઉસી