कोशिश गोल्ड - मुक्त
ઘર બદલાયું.. વિચાર અને વૃત્તિ બદલાશે?
Chitralekha Gujarati
|June 12, 2023
સંસદ ભવનની નવી ઈમારતનું ઉદ્ઘાટન જ સરકાર અને વિપક્ષી આગેવાનો વચ્ચે વિવાદનું કારણ બન્યું. લોકશાહીના મંદિર તરીકે જેની પૂજા થાય છે એ સંસદગૃહ માટે પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો આ ઘાટ છે. કમ સે કમ એક દિવસ પૂરતો પણ વિખવાદને કોરાણે મૂકી આપણા નેતાઓ ઉદ્ઘાટનવિધિની ગરિમા ન જાળવી શક્યા.

સંસદ ભવનની નવી ઈમારતના ઉદ્ઘાટન અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીઃ વિપક્ષી આગેવાનોએ આ એક દિવસ ‘સાચવી’ લીધો હોત તો?
વ્યવહારકુશળ માણસ એને કહેવાય જે સમય કે પ્રસંગ સાચવી લે. આપણી સતત બદલાતી જીવનશૈલી કહો કે વર્તમાન સમયના તણાવને દોષ આપો, સામાન્ય માણસની સહિષ્ણુતા હવે અગાઉ જેવી રહી નથી. આ વિધાન અત્યારે હયાત એવી દરેક વ્યક્તિને ભલે લાગુ ન પડે, પણ પહેલાંની જેમ ગમ ખાઈને લોકો હવે બેસી રહેવા તૈયાર નથી. અમુક સંજોગમાં આ વાત સારી પણ હોઈ શકે, પરંતુ ક્યારેક પ્રસંગનું ઔચિત્ય જાળવવામાં એવું સમાધાન કરવામાં વાંધો ન હોવો જોઈએ.
રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ ભવનની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું એ અવસર વખતે દેશના ઘણાખરા વિપક્ષી આગેવાનો એ ઔચિત્ય ચૂકી ગયા. નાના-મોટા, કુલ ૨૧ પક્ષના નેતાઓએ આ ઉદ્ઘાટન પ્રસંગનો બહિષ્કાર કર્યો. યુરોપના કેટલાક દેશ અને અમેરિકાની સંસદ કે પ્રતિનિધિસભાની ઈમારત આપણા સંસદ ભવન કરતાં પણ પહેલાં બંધાયેલી છે એટલે આપણે નવા મકાનની જરૂર નથી.. અને એથી પણ વિશેષ તો સંસદની નવી ઈમારતનું ઉદ્ઘાટન વડા પ્રધાને નહીં, પરંતુ રાષ્ટ્રપ્રમુખ દ્રૌપદી મુર્મુએ કરવું જોઈએ.. એવાં જુદાં જુદાં કારણ આગળ ધરવામાં આવ્યાં બહિષ્કાર માટે.
यह कहानी Chitralekha Gujarati के June 12, 2023 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
Chitralekha Gujarati से और कहानियाँ

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size