ડિયર નચર,
દુકાળ, પૂર, ભૂકંપ, ભૂસ્ખલન, ચક્રવાત, વાવાઝોડું, હિમપ્રપાત, જ્વાળામુખી વિસ્ફોટ... આ બધું છેલ્લાં થોડાં વર્ષોમાં બહુ જોયું છે. એમાં મૃત્યુ પામતા લોકો આંકડા બનીને રહી ગયા, ગ્લોબલ વૉર્મિંગ શબ્દ વારંવાર અમારા કાને અથડાય છે, પણ છતાં અમારી સંવેદન ધિરતા દૂર થતી નથી. ઈન્દિરા ગાંધીએ કટોકટી લાદી ત્યારે લોકસભામાં પુરુષોત્તમ માવલંકરે એનો વિરોધ કરતાં કહ્યું હતું કે ભગવાન, એમને માફ કર, એ શું કરી રહ્યાં છે એ એમને ખબર છે! પ્રકૃતિને અમે એટલી હદે નુકસાન કરી નાખ્યું છે કે અમને કોઈ કહે તોય માફી મળી શકે એવી સ્થિતિ નથી.
અમે પ્રકૃતિથી દૂર થઈ ગયા છીએ. ફાર્મ વેચીને ફાર્મ હાઉસ બનાવતા થયા છીએ. અમે સિમેન્ટ કૉન્ક્રીટનાં જંગલો બનાવ્યા બાદ શુદ્ધ હવા શ્વસવા માટે જંગલમાં કે હિલસ્ટેશને જઈએ છીએ, પરંતુ હવે ત્યાંય અમે એટલી ભીડ કરીએ છીએ કે પ્રકૃતિને શ્વાસ લેવાનું દુષ્કર બન્યું છે. અમે વડલાની ડાળીએ હીંચકા ખાવાનું પણ ભૂલી ગયા છીએ, એનું કારણ આપતાં આપણા કવિ મનોજ ખંડેરિયાએ લખ્યું છે કે લાલઘૂમ તાપમાં મ્હોરતો, મસ્તીનો તોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી... આ નગરની વચોવચ હતો એક ગુલમ્હોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી.
કાંઈ કહેવા જેવું અમે ક્યાં કંઈ બાકી રાખ્યું છે? ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે કહેલું કે આ દેશની મુખ્ય ત્રણ સમસ્યા છેઃ એક ચારિત્ર્યની કટોકટી, બીજી સમસ્યા ભ્રષ્ટાચાર અને ત્રીજી સમસ્યા એ પ્રદૂષિત પર્યાવરણ. આ ત્રીજી સમસ્યા હવે અમને એવી પીડી રહી છે કે ના પૂછો વાત, કારણ કે આ વિશ્વમાં દર વર્ષે માત્ર હવાના પ્રદૂષણને કારણે ૭૦ લાખ લોકો મૃત્યુ પામે છે. ભારતની વાત કરીએ તો દેશનાં ટોચનાં ૧૦૦ શહેરોમાંથી ૬૩ શહેરોની હવા શ્વસવા એટલે કે શ્વાસમાં ઉતારવાલાયક રહી નથી. જે પાણી છે એમાંનું ૭૦ ટકા પાણી પીવાલાયક નથી. કૃષિઆવકમાં નવ ટકાનો અને કૃષિ ઉત્પાદકતામાં ૧૬ ટકાનો ઘટાડો થયો છે. પાણી આધારિત રોગો છે એમાં વર્ષે ૪૦,૦૦૦ લોકો મૃત્યુ પામે છે. પ્લાસ્ટિકનો અમે એટલો બધો ઉપયોગ કરીએ છીએ કે પશુઓનાં પેટમાં અને દરિયાના પેટાળમાં સુદ્ધાં પ્લાસ્ટિક મળી રહ્યું છે.
Esta historia es de la edición January 15, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición January 15, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કા પતા હૈ?
બૅન્ક એકાઉન્ટ હોય કે મ્યુચ્યુઅલ ફંડ, પૈસા રોકવા માટે છેલ્લાં કેટલાંક વરસોથી ‘કેવાયસી’ (નો યૉર કસ્ટમર)ના નિયમનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. જો કે સમય સાથે એમાં સતત ફેરફાર થઈ રહ્યા છે અને કેવાયસીનાં અલગ અલગ ધોરણોને કારણે અત્યારે આ મામલે લોકો મૂંઝાયેલા છે. હમણાં વળી અમુક નવાં ધોરણ લાગુ કરાતાં લાખો રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની હાલત વધુ કફોડી થઈ છે. ખરેખર તો આ વિધિ સરળ બનાવવાની સાથે એને એક છત્ર હેઠળ લાવવાની જરૂરત પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.
કૉલર આઈ-ડી ઍપનો લાભ લેવાનું ચૂકી તો નથી ગયા ને?
નાગરિકોને સ્પામ કૉલ મારફતે હેરાન કરવામાં આપણા દેશનો નંબર દુનિયામાં ચોથો છે. ૬૪ ટકા દેશવાસીઓને દિવસમાં સરેરાશ ત્રણથી પણ વધુ સ્પામ કૉલ આવે છે... આ ત્રાસથી કેમ બચવું?
સંપત્તિની વહેંચણી: ઘરની દીીનું સ્થાન ક્યાં છે?
સ્ત્રીને અધિકાર ઘણા છે, પણ સમસ્યા એ છે કે અનેક કિસ્સામાં પુરુષ એ હક એને આપવા તૈયાર નથી.
બાર માસના મસાલા ભરવાની સીઝન આવી છે ત્યારે...
આપણી રસોઈને સ્વાદિષ્ટ બનાવતા ‘સિક્રેટ સ્પાઈસીસ’ને આખું વર્ષ તાજા રાખવાના કીમિયા.
ઈલેક્શનમાં કરો સિલેક્શનઃ પહેલાં મતદાન પછી જળપાન
લોકસભા ૨૦૨૪ની ચૂંટણીનાં પડઘમ ચારેકોર વાગી રહ્યાં છે ત્યારે મહિલાઓનાં કેટલાંક કિટી પાર્ટી ગ્રુપ પણ અત્યારે હાઉઝી કે બીજી ગેમ સુધી સીમિત ન રહેતાં, શહેરની શેરીઓમાં અને ગામની ગલીઓમાં ‘મત આપો અને મત અપાવો’નો વિચાર ફેલાવી રહ્યાં છે.
લો, ટૅક્સ હેવન ગણાતા દુબઈમાં હવે આવે છે કૉર્પોરેટ ટૅક્સ
દુનિયાની ટોચની ઘણીખરી કંપની જ્યાં કોઈ ને કોઈ રીતે હાજરી ધરાવે છે એ દુબઈમાં અત્યાર સુધી આ કંપનીઓ પાસેથી કોઈ કર વસૂલવામાં આવતો નથી એ જાણીને નવાઈ લાગે. આ જ કારણે દુબઈ એ વ્યાપાર-ઉદ્યોગ માટે સ્વર્ગ ગણાય છે. જો કે હવે પશ્ચિમ એશિયાનું આ સૌથી મોટું બિઝનેસ હબ આર્થિક ગેરરીતિ ડામવાના નામે કરવેરા વસૂલશે.
એકની સંપત્તિ બીજાને...બ્રિટન-અમેરિકામાં શું છે સ્થિતિ?
સરખામણીનો આશય નથી, કરાય પણ નહીં... પરંતુ સંપત્તિની સમાન વહેંચણીની બીજા કેટલાક દેશોમાં કેવી જોગવાઈ છે એ જાણીએ...
સાબદા રહેજો, ચૂંટણીપંચની નજર ચારેકોર છે...
ગુજરાતમાં લોકસભાની બેઠકો માટે મતદાનની તારીખ નજીક આવી રહી છે એમ આચારસંહિતા ભંગના અને રોકડ રકમ સહિત ‘પ્રતિબંધિત’ સામગ્રી પકડાવાના કિસ્સા વધી રહ્યા છે.
નિવૃત્તિ હોય તો આવી!
ભાવનગરના મધુભાઈ શાહ ૨૦૦૪માં બૅન્કની નોકરીમાંથી નિવૃત્ત થયા, પણ એ પછીય બે દાયકાથી એ રોજ બૅન્કમાં જાય છે ને અગાઉની જેમ જ એમનું કામ કરે છે. માત્ર સેવાભાવથી.
ધીરુ દાદા નહીં, ધીરુ મિસ્ત્રી નામ છે મારું!
બીજાં બાળકોને જોઈ એ ટેબલ ટેનિસ રમતાં શીખ્યા અને રાષ્ટ્રીય સ્તરે મેડલ મેળવ્યો. પછી એમણે કથક નૃત્યમાં મહારત મેળવી. સારી નોકરી મેળવવા થોડી મોટી ઉંમરે ડિગ્રી લીધી, પણ તકદીર એમને ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવા તરફ લઈ ગયું. જમાનાથી આગળ રહી એમણે એવી કેટલીક યાદગાર શૉર્ટ ફિલ્મ્સ બનાવી અને એ પછી ફિલ્મજગતને રામ રામ કરી એમણે સમાજસેવામાં ઝંપલાવ્યું. આજે, આયુષ્યના નવમા દાયકામાં પણ ઉત્સાહભેર એ જીવન માણી રહ્યા છે.