‘મને ભલે કવિતામાં સમજ ન પડતી હોય, પણ માણસમાં તો સમજ પડે છે.’ ગૌતમભાઈએ કહ્યું.
ગૌતમભાઈ બિઝનેસમૅન છે અને એમની પત્ની કોશા ગૃહિણી. કોશાને કવિતા લખવાનો શોખ. ગૌતમભાઈને સાહિત્ય લખવા કે વાંચવામાં કોઈ રસ નહીં. કોઈક વાર કોશા પોતે લખેલી કવિતા ફેસબુક કે વ્હૉટ્સઍપ જેવાં સોશિયલ મિડિયામાં મૂકી દેતી.
આવાં સોશિયલ મિડિયાના સાહિત્યિક ગ્રુપવાળા ક્યારેક બેઠકો કરતા અને એકબીજાને પોતાની રચના સંભળાવી નાસ્તા-પાણી કરી પડતા. આવી એક બેઠકમાં કોશાને રૂપેશ રંગવાલા ભટકાઈ ગયો હતો.
રૂપેશ ખૂબ મીઠાબોલો. કોઈની પણ રચના હોય, એ એટલાં બધાં વખાણ કરતો કે ટૂંક સમયમાં એ બધાનો લાડકો થઈ પડ્યો હતો. દરેક કવિમાં રૂપેશને એક અદ્ભુત સર્જનાં દર્શન થતાં. કોશા સાથે ઓળખાણ થતાં રૂપેશ આ બાજુ આવ્યો હતો તો મને થયું મળતો જાઉં.. જેવા ઘસાઈ ગયેલા બહાને એના ઘરે આવવા માંડ્યો. આવીને એ કવિતાની ચર્ચા કરતો. સાંજે ગોતમભાઈ ઘરે આવે ત્યારે કોશા જણાવતી કે રૂપેશભાઈ આવ્યા હતા.
આટલે સુધી ઠીક, પણ પછી રૂપેશનો લગભગ દર અઠવાડિયે આંટો થવા માંડ્યો ત્યારે ગૌતમભાઈ અકળાયા. આ રૂપેશ જરા વધારે પડતો કાવ્યરસિક લાગે છે, મળવું પડશે વિચારીને એક વાર ગૌતમભાઈ રૂપેશને મળ્યા. થોડી જ વારમાં એ રૂપેશથી કંટાળી ગયા, કેમ કે રૂપેશ ખૂબ ચાપલૂસીભર્યું બોલતો.
કિચનમાં ચા બનાવતી પત્ની કોશા પાસે જઈ ગૌતમભાઈએ પૂછ્યું: ‘આ માણસ કેટલો બોરિંગ છે! તું સહન કઈ રીતે કરે છે?’ ત્યારે કોશાએ હસીને કહ્યું: ‘હા, ક્યારેક મને પણ કંટાળો આવે છે, પણ કવિતા વિશે બહુ સમજે છે એટલે સહન કરી લઉં છું.’
હવે ગૌતમભાઈ આ રૂપેશને મારા ઘરે આવતો અટકાવો એવી માગ લઈ અમારી ઑફિસે આવ્યા હતા.
‘પણ તમને રૂપેશ સામે ચોક્કસ વાંધો શું છે?’ મારા બૉસ મોતીવાલાએ પૂછ્યું.
ગૌતમભાઈ ચૂપ રહ્યા. મેં પૂછ્યું: ‘તમને તમારી પત્નીની કવિતાઓ સમજાતી નથી અને રૂપેશને સમજાય છે માટે તમને એની ઈર્ષા થાય છે એવું તો નથી ને?’
‘ના, ના.. વાત કવિતાની છે જ નહીં.’ તરત ગૌતમભાઈએ કહ્યું: ‘મારી પત્નીની કવિતાઓથી મને શું કામ ઈર્ષા થાય? પણ કોશાની કવિતાઓ એ રૂપેશ સિવાય કોઈને અદ્ભુત નથી લાગતી એ કેવું?’
‘પણ કવિતા તમારો વિષય નથી.’ મોતીવાલાએ કહ્યું.
Esta historia es de la edición August 29, 2022 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición August 29, 2022 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
સંઘર્ષની તાવડીમાં શેકાઈને સંતાનોને પીરસ્યાં સુખી જીવન...
આયુષ્યની ત્રીશીની સાંજે એકાએક વૈધવ્ય આવી પડ્યું. હિંમત હાર્યા વિના એમણે ઘરોઘર જાતજાતની ચીજવસ્તુ વેચવાથી માંડીને લગ્નોમાં ફડ સર્વ કરવા જેવી કામગીરી બજાવીને એકલે હાથે સંતાનોને ભણાવ્યાં, એમને એક મુકામ પર પહોંચાડ્યાં.
કવર સ્ટોરી
જન્મદાત્રી-પુત્રીની જોડી કમાલની...
ગઢ સચવાશે કે પડશે ગાબડું?
કોંગ્રેસનો કિલ્લો ગણાતા રાયબરેલીમાં રાહુલ ગાંધી જીતશે કે પછી ભાજપના સ્થાનિક ઉમેદવાર દિનેશસિંહ જાયન્ટ કિલર બનશે એ પ્રશ્ન દેશઆખામાં સૌના મોઢે છે. આઝાદ ભારતની પ્રથમ ચૂંટણીથી કોંગ્રેસે બે અપવાદ બાદ કરતાં અહીં ભવ્ય વિજય મેળવ્યા છે. ખાસ કરીને ગાંધીપરિવારે. આવા સંજોગોમાં રાયબરેલીને કોંગ્રેસે શું આપ્યું, શું ન આપ્યું જેવા સવાલોના જવાબ રાયબરેલીના સ્થાનિકો પાસેથી જ મેળવવા પડે.
શું છે શેરડીની ખેતી પાછળનું ગણિત?
વધુ વળતર રળી આપતા હોવા છતાં આ પાકનું વાવેતર ઓછું થઈ રહ્યું છે. બીજી બાજુ, ખેડૂતોને એમની ઊપજના ભાવ સામે પણ વાંધો છે.
ઝેર તો પીધાં જાણી જાણી
દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?
ઝેર તો પીધાં જાણી જાણી...
દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?
ચૂંટણી લડો, પણ ઔચિત્ય જાળવીને...
કોઈ પણ મુકાબલામાં સામસામી આક્રમકતા હોય એમાં ખોટું નથી, પણ આ સરહદે ખેલાતું યુદ્ધ નથી. અહીં મારો-કાપો ન હોવું જોઈએ. પરિણામ જાહેર થઈ ગયા પછી પણ વેરભાવ રહે એવો માહોલ પેદા કરવાનું દેશ માટે જ નુકસાનકારક બની શકે.
જસ્ટ એક મિનિટ...
આ તો તમે સમયનો દુર્વ્યય કર્યો કહેવાય, સમજદારી નહીં.’
અવરોધને અતિક્રમવાની મથામણ
શી ખબર આ કઈ અવસ્થા છે ‘ખલીલ’ ઘરને હું શોધું ને ઘર શોધે મને. - ખલીલ ધનતેજવી
KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કા પતા હૈ?
બૅન્ક એકાઉન્ટ હોય કે મ્યુચ્યુઅલ ફંડ, પૈસા રોકવા માટે છેલ્લાં કેટલાંક વરસોથી ‘કેવાયસી’ (નો યૉર કસ્ટમર)ના નિયમનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. જો કે સમય સાથે એમાં સતત ફેરફાર થઈ રહ્યા છે અને કેવાયસીનાં અલગ અલગ ધોરણોને કારણે અત્યારે આ મામલે લોકો મૂંઝાયેલા છે. હમણાં વળી અમુક નવાં ધોરણ લાગુ કરાતાં લાખો રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની હાલત વધુ કફોડી થઈ છે. ખરેખર તો આ વિધિ સરળ બનાવવાની સાથે એને એક છત્ર હેઠળ લાવવાની જરૂરત પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.