આવર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીના દિવસોમાં કેન્દ્ર સરકારે વારાફરતી | પાંચ મહાનુભાવોને ભારત રત્ન જાહેર કરી એક પ્રકારે વિક્રમ સર્જી દીધો. આ અગાઉ ક્યારેય એક વર્ષમાં આટલી મોટી સંખ્યામાં ભારત રત્ન એવૉર્ડ આપવામાં આવ્યા નથી.
બધા જાણે જ છે કે ભારત રત્ન એ આપણા દેશનું સર્વોચ્ચ નાગરી સમ્માન છે. એ રીતે નિશાન-એ-પાકિસ્તાન એ પાકિસ્તાનનો સર્વોચ્ચ સિવિલિયન એવૉર્ડ છે. ગયા વર્ષે દાઉદી વહોરા સમાજના વડા સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનને, તો એ અગાઉ જાણીતા ફિલ્મઅભિનેતા દિલીપ કુમારને પાકિસ્તાનનો સર્વોચ્ચ નાગરી એવૉર્ડ એનાયત થયો છે. જો કે એનીય પહેલાં પાકિસ્તાને કોઈ ભારતીય નાગરિકને આ એવૉર્ડ આપ્યો'તો, એ હતા ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજીભાઈ દેસાઈ. ૧૯૭૭માં મોરારજીભાઈ વડા પ્રધાન બન્યા એ પછી એમણે બે દેશ વચ્ચે સંબંધ સુધારવા માટે જે પહેલ કરી એ માટે ૧૯૮૮માં આ એવૉર્ડ માટે એમને પસંદ કરવામાં આવ્યા હતા.
અમદાવાદસ્થિત ’ગૂજરાત વિદ્યાપીઠ'ના સંકુલમાં જ બન્યું છે મોરારજી દેસાઈની સ્મૃતિમાં આ મ્યુઝિયમ.
જોવાની વાત એ છે કે મોરારજીભાઈને ભારત રત્ન એ પછી (૧૯૯૧માં) મળ્યો! આમ બે પડોશી, પણ આમ બે દુશ્મન દેશના ટોચના એવૉર્ડ મળ્યા હોય એવા મોરારજીભાઈ પહેલા અને અત્યાર સુધીના એકમાત્ર રાજકીય મહાનુભાવ. મોરારજીભાઈનો જન્મદિન હમણાં જ (૨૯ ફેબ્રુઆરીએ) ગયો. આપણા
શરૂઆતના કેટલાક વડા પ્રધાનના અંતિમસંસ્કાર દિલ્હીમાં થયા હતા અને એમની સમાધિ પણ દિલ્હીમાં છે, પરંતુ મોરારજીભાઈની અંતિમવિધિ અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે થઈ હતી અને ત્યાં જ એમની સમાધિ છે, જેને અભય ઘાટ નામ આપવામાં આવ્યું છે.
બે અમદાવાદમાં એમ તો મોરારજીભાઈનું મ્યુઝિયમ પણ છે. એમને મળેલા સર્વોચ્ચ એવૉર્ડ જોવા હોય તો તમારે અમદાવાદસ્થિત ગૂજરાત વિદ્યાપીઠમાં જવાનું.
રાષ્ટ્રના મોરારજીભાઈનો જન્મ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ભદેલી ગામમાં, પણ અમદાવાદ સાથે એમનો સંબંધ ખાસ્સો લાંબો રહ્યો. પહેલી સરકારી નોકરી (૧૯૧૮), ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક (૧૯૪૮) અને એ પછી વિદ્યાપીઠના કુલપતિ (૧૯૬૩). આ જ વિદ્યાપીઠના સંકુલમાં ૨૦૦૩માં મોરારજીભાઈની સ્મૃતિમાં મ્યુઝિયમ બન્યું હતું.
Diese Geschichte stammt aus der March 25, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der March 25, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
નયા હિંદુસ્તાન... નયા સિનેમા!
દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે એક નજર ઈલેક્શન્સ પહેલાં આવેલી અને હવે આવનારી કેટલીક પોલિટિકલ ફિલ્મો પર.
સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..
સંસદમાં મહિલા અનામતની વાત થાય છે, પણ ચૂંટણીમાં પૂરતું પ્રતિનિધિત્વ કેમ મળતું નથી?
સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?
માતા અને બાળક વચ્ચે ભાવનાત્મક સંબંધ બાંધી આપે છે બ્રેસ્ટ ફીડિંગ.
હું અમદાવાદની રિક્ષાવાળી...
પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનારી અમદાવાદી યુવતી પતિનો સ્નેહ-સથવારો છૂટ્યા પછી એના પગલે ચાલવા માટે રિક્ષાચાલક બની. એની આ સંઘર્ષભરી સફર બીજી મહિલાઓને પણ નવી દિશા સૂચવે એવી છે.
વિકાસયાત્રા સામે કપરાં ચઢાણ બનતા વૈશ્વિક પડકાર
૨૦૧૪ પછીના દાયકામાં મોદી સરકારે આર્થિક, સામાજિક અને રાજકીય મોરચે ઘણી સફળતા પ્રાપ્ત કરી, હવે ચૂંટણી બાદ મોદી સરકાર જ પાછી સત્તા પર આવવાની આશા-વિશ્વાસ ભલે ઊંચાં રહ્યાં, પણ આપણી પ્રગતિમાં અંતરાય આવવાના જ છે.
ડી. ગુકેશઃ વિશ્વ શતરંજનો નવો સિતારો
ચેસની રમતના વર્લ્ડ ચૅમ્પિયનને પડકાર આપે એવા ખેલાડીને શોધવા માટે થતી સ્પર્ધાના ભારતીય વિજેતાને ઓળખી લો.
સુરતઃ ચૂંટણી ભલે ન થાય, પ્રચારસામગ્રી તો અમારી જ!
લોકસભા ઈલેક્શન સુરતની કાપડબજારને કરાવશે કરોડોનો વકરો.
અમારે ગામને સ્માર્ટ નહીં, નંદનવન બનાવવાં છે!
સમસ્ત મહાજનના ગિરીશભાઈનો સંકલ્પ... પ્રાચીન ભારતમાંનાં ગામો સ્વાવલંબી અને તંદુરસ્ત હતાં અને એ મંત્રના આધારે ગુજરાતનાં ત્રણ ગામોનો મોડેલ ગામ તરીકે વિકાસ કરાયો છે. ત્યાંનો ગાંડો બાવળ સાફ કરાયો છે, જળાશયોમાંથી કાંપ કાઢી એને ઊંડાં કરાયાં છે, નવાં ગોચર ઊભાં કરાયાં છે અને હા, ચાર હજાર દેશી વૃક્ષોનું રોપણ પણ કરાયું છે. આનાં પરિણામ એકદમ સકારાત્મક જોવા મળી રહ્યાં છે.
મને માફ કરો...આઈ ઍમ સૉરી...
જાણતાં-અજાણતાં થયેલા મન દુભાવનારા વાણી-વ્યવહાર માટે માફી માગી લેવાની અને આપવાની પરંપરા હજીય જીવંત છે. બીજી બાજુ, અમુક લોકો સ્વાર્થી હેતુસર કે પ્રતિપક્ષને અપમાનિત કરાવવા માફી મગાવવાની જીદ લે છે. આવો, જાણીએ માફીનામાની રસપ્રદ વાતો.
તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર
આઝાદીનાં આરંભનાં વર્ષોમાં ભારતીયોએ અનેક ફૂલગુલાબી સપનાં જોયાં. કમનસીબે એ વખતે આપણો પનો ટૂંકો પડ્યો. હવે જો કે લોકોને ફરી આશા બંધાઈ છે. એક નવી ઉમ્મીદ સાથે નવી સવાર પડી છે.