૨ ૬ ફેબ્રુઆરી ને સોમવારે એક ગોઝારી ચિઠ્ઠી ઉપરવાળાની આવી અને વતન કી મિટ્ટી આયી હૈ, ચિઠ્ઠી આયી હૈ તથા જિયે તો જિયે કૈસે..ના ગાનારા ૭૨ વર્ષી પદ્મશ્રીથી સમ્માનિત પંકજ ઉધાસના જીવનસંગીતનો અંત આવ્યો. પંકજભાઈનાં પુત્રી નાયાબે ઈન્સ્ટાગ્રામ પર પિતાની વિદાયના સમાચાર આપ્યા.
પંકજભાઈ મુંબઈના જે પૉશ પેડર રોડ વિસ્તારમાં વસતા એ માર્ગ કંઈકેટલા સંગીતસિતારાનાં નિવાસસ્થાન હતાં અને છે, જેમ કે પુરુષોત્તમ ઉપાધ્યાય, કલ્યાણજી-આણંદજી, લતા મંગેશકર, મનહર ઉધાસ, વગેરે. એ પેડર રોડ પર પંકજભાઈના વિશાળ બંગલામાં એમની સાથે વિવિધ વિષય પર ગપ્પાં મારવાં એ એક લહાવો હતો. ગોષ્ઠિ દરમિયાન એમના બે શ્વાન (જર્મન શેફર્ડ અને પગ) પગ પાસે આવીને ગોઠવાઈ જતા. પંકજભાઈ હળવેકથી બન્નેને પંપાળતા ને વાતો કરતા જતા.
થોડાં વરસ પહેલાં આવી જ એક મુલાકાતમાં એમણે પોતાના વિશે કેટલીક ઓછી જાણીતી વાતો કરેલી...
જેમ કે... એક તબક્કે એ એટલા હતાશ થઈ ગયેલા કે ગઝલગાયકી જ નહીં, પણ ભારત જ છોડી દેવાનું નક્કી કરેલું. એમનો બાળપણનો ગોઠિયો ટોરન્ટો સૅટલ થયેલો. ૧૯૭૬ના એપ્રિલમાં મુંબઈના ઓળખીતા ટ્રાવેલ એજન્ટે આપેલી ઉધારીની ટિકિટ અને ખીસામાં વીસ ડૉલર નાખીને એ કેનેડા ઊડી ગયા. મહિના માટે ગયેલા, પણ દસ મહિના રહી પડ્યા. સ્વદેશગમન થયું ત્યારે એ જુદા પંકજ હતા.
જેમ કે... ૧૯૮૦ના આરંભમાં મ્યુઝિક ઈન્ડિયાના એક પ્રતિષ્ઠિત સંગીતસમારંભમાં જેમના નામના સિક્કા પડે એવા અનુપ જલોટા અને તલત અઝીઝ સાથે પહેલી વાર એમનો કાર્યક્રમ. એમનો વારો આવ્યો. પહેલી, બીજી ને ત્રીજી ગઝલ રજૂ કરવા જાય ત્યાં નીતિન મુકેશે આવીને કાનમાં કહ્યુંઃ પંકજ, તારા પિતા છેલ્લી ઘડી ગણી રહ્યા છે. જેમ-તેમ ગઝલ પૂરી કરી પંકજ પહોંચ્યા મુંબઈની ભાટિયા હૉસ્પિટલમાં, જ્યાં પિતાની કૅન્સરની ટ્રીટમેન્ટ ચાલતી હતી. પિતાએ પુત્રનો હાથ એમના હાથમાં લીધો. બન્ને વચ્ચે એક મૂક સંવાદ થયો અને...
જેમ કે... ગઝલગાયક નિર્મલ અને મનહર પછી સૌથી નાનકો દીકરો પંકજ પારસી ઍર-હૉસ્ટેસ સાથે લગ્ન કરે છે એ વાત ઉધાસપરિવારને શોક આપી ગઈ. તો સામે ઍર-હૉસ્ટેસના ઘરમાં પણ કંઈ આવો જ માહોલ હતોઃ આંય ડીકરી ફરીદા કોઈ
Diese Geschichte stammt aus der March 11, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der March 11, 2024-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
પ્રકૃતિ, પાણી, પર્યાવરણનું આમ કરો જતન...
સ્વાર્થી માનવની વિધ્વંસક પ્રવૃત્તિને કારણે પૃથ્વી રસાતળ જઈ રહી છે ત્યારે દેશ-દુનિયાના વિચારવંત લોકોએ ધરતીને બચાવવા કમર કસી છે. જળ, જમીન ને વાયુ જેવાં કુદરતી પરિબળોને પૂરતો આદર આપ્યા વિના આ કામ થાય એમ નથી. મુંબઈ–ગુજરાતના કેટલાક પર્યાવરણવીરો જ નહીં, પણ અમુક સરકારી વિભાગો પણ જોમ-જુસ્સાથી અવનિને આબોહવાની વિષમતામાંથી ઉગારવાના પ્રયાસોમાં લાગેલા છે. એક ઝલક એમની ભગીરથ ઝુંબેશની.
ક્યારેક જ જોવા મળતી હીટ વેવની સમસ્યા કાયમી કેમ બની રહી છે?
વાતાવરણમાં ઝેર ઓકતાં પ્રદૂષિત તત્ત્વોએ ઋતુચક્ર સાવ જ ખોરવી કાઢ્યું છે. આખી સીઝનમાં થોડા જ દિવસ ઠંડી પડે અને ગણ્યાગાંઠ્યા દિવસોમાં આખા ચોમાસા દરમિયાન વરસતો હોય એટલો વરસાદ એકસાથે ખાબકે એની આપણને હવે નવાઈ નથી. એ સામે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને તાપમાન એકદમ ઉપર હોય એ દિવસોની સંખ્યા પણ રેકૉર્ડ તોડી રહી છે.
જીવનની નશ્વરતા પાંસરા થઈને જીવતાં શિખવાડી દે!
‘વક્ત’ ફિલ્મમાં જ્યોતિષીએ ભાગ્યમાં નહીં, પણ જાતમહેનતમાં માનતા ગર્વિષ્ઠ લાલ કેદારનાથને કહ્યું હતુંઃ ‘વક્ત ઈન્સાન સે કબ ક્યા કરાયે યે નહી કહા જાતા, લાલાજી. ઈન્સાન ચાય પીને કે લિયે પ્યાલી ઉઠાયેં તો હોંઠ ઔર પ્યાલી કે દરમિયાન બહોત ફાસલા નહી હોતા, મગર કભી કભી પ્યાલી કો હોંઠ તક પહોંચતે પહોંચતે બરસોં બિત જાતે હૈં...’
જસ્ટ એક મિનિટ...
આ વિશ્વમાં પ્રથમ માનવીનું સર્જન કેવી રીતે થયું
મહત્તા સમજાય છે, ગંભીરતા નહીં...
કરશે નહીં જો માનવ, પર્યાવરણની રક્ષા ગૂગલમાં જોવા મળશે જંગલ, નદી ને ઝરણાં. – અંકિતા મારુ ‘જીનલ’
૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?
મોદી સરકાર ઈસ બાર કિતને પાર...નું પરિણામ આવવાને થોડા દિવસની જ વાર છે. આવા નાજુક સમયમાં આર્થિક જગતની નજર શૅરબજાર, વિદેશી રોકાણના પ્રવાહ તેમ જ વેપાર-ઉદ્યોગ વિશે ટોચના નેતાઓનાં નિવેદન પર હોય એ સ્વાભાવિક છે.
સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી
દરિયો ભરીને જમીન પેદા કરવાનો માલદીવ્સનો પ્રોજેક્ટ એક તરફ કૂવો અને એક તરફ ખાઈ હોય ત્યારે આપણે કૂવામાં કૂદવાનું પસંદ કરીએ, કેમ કે ત્યાં ખાઈ કરતાં બચવાના ચાન્સ વધારે હોય. હમણાં ભારતના શત્રુ બની બેઠેલા ટાપુરાષ્ટ્ર માલદીવ્સે પણ એક ભૌગોલિક વિનાશથી બચવા કૂવામાં કૂદવાનું નક્કી કર્યું, પણ... જાણીએ, શું છે આખો મામલો?
બાળક તરીકે આપણે કેવાં છીએ?
સંયુક્ત કુટુંબવ્યવસ્થા જેની ઓળખ છે એવા આપણા દેશમાં વડીલોની હાલત પણ જાણી લો.
બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!
નકારાત્મક લાગણી અનુભવવી કોઈને ગમતી નથી, પણ ખરેખર તો આ લાગણી તંદુરસ્ત જીવન માટે જરૂરી છે.
યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...
ક્યારે ખાવ છો, શું ખાવ છો અને ભૂખ લાગે ત્યારે જ ખાવ છો... આ બધું જરૂરી છે સ્વાસ્થ્ય જાળવવા માટે.