Versuchen GOLD - Frei

સંસદનું વિશેષ સત્ર યોજવાથી સરકાર કેમ ભાગે છે?

ABHIYAAN

|

Abhiyaan Magazine 14/06/2025

વાજપેયીએ યુદ્ધ દરમિયાન વિક્ષના નેતાઓને વિશ્વાસમાં લીધા હતા, તેમ જ સંસદનું વિશેષ સત્ર પણ યોજ્યું હતું. અત્યાર સુધી વિપક્ષોની જે માગણી બહુ યોગ્ય જણાતી નહોતી તે હવે વાજબી હોવાનું અનુભવાઈ રહ્યું છે

- ચાણક્ય

સંસદનું વિશેષ સત્ર યોજવાથી સરકાર કેમ ભાગે છે?

ઑપરેશન સિંદૂરના ઘટનાક્રમ પછી વિરોધપક્ષો ખાસ કરીને કોંગ્રેસ સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માગણી કરતી હતી. શાસક પક્ષના ગઠબંધન એનડીએ અને નરેન્દ્ર મોદીની સરકારે આવી માગણીની ઉપેક્ષા કરી હતી. કોંગ્રેસ અને અન્ય કેટલાક પક્ષો દ્વારા સમયાંતરે ઑપરેશન સિંદૂરના ઘટનાક્રમ અંગે સરકાર સામે પ્રશ્નો ઉઠાવવાનું શરૂ કર્યું. એ વખતે માહોલ એવો હતો કે વિપક્ષોના પ્રશ્નોને કારણે લોકોમાં વિપક્ષની છાપ ખરાબ થતી હતી. સરકારે ખાસ કરીને ભારતના સૈન્યએ ઑપરેશન સિંદૂર અને તે પછીના પ્રતિકારનાં પગલાં દ્વારા પાકિસ્તાનને જે ફટકો માર્યો તેના કારણે લોકોના જુસ્સામાં વધારો થયો હતો અને જનજુવાળ સરકારના સમર્થનમાં પ્રવાહિત થઈ રહ્યો હતો. એવા સમયે વિપક્ષોના પ્રશ્નો સૈન્યની કાર્યવાહી અને સરકારની નિષ્ઠા સામે શંકા ઉત્પન્ન કરનારા હતા. લોકોમાં એવી ઇમેજ સર્જાઈ હતી કે વિપક્ષ પાકિસ્તાનની ભાષા બોલે છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓએ ઑપરેશન સિંદૂરમાં ભારતને કેટલું નુકસાન થયું અને ભારતનાં કેટલાં વિમાનો પાકિસ્તાને તોડી પાડ્યાં તેની વિગતો સરકાર પાસેથી માગવામાં આવી રહી હતી.

આ ઘટનાક્રમમાં સ્થિતિ એવી હતી કે પાકિસ્તાન સરકાર અને પાકિસ્તાનને સૈન્યના વડા દ્વારા ભારતનાં વિમાનો તોડી પાડવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. તેને કારણે આ જ પ્રકારના કોંગ્રેસના સવાલો સામે લોકો શંકા વ્યક્ત કરતા હતા. જોકે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માગણી સાવ અયોગ્ય નહોતી. ભૂતકાળમાં આવા સંજોગોમાં સંસદનું વિશેષ સત્ર બોલાવાયું છે અને તેમાં પાકિસ્તાન સામેની સૈન્ય કાર્યવાહીની તેમ જ યુદ્ધમાં થયેલા નુકસાનની તમામ વિગત સરકાર દ્વારા સંસદમાં રજૂ થતી રહી છે. ભારતે પાકિસ્તાન સામે છેલ્લે કારગિલનું યુદ્ધ લડ્યું હતું. એ સમયે કેન્દ્રમાં અટલબિહારી વાજપેયીની સરકાર હતી. વાજપેયીએ યુદ્ધ દરમિયાન વિક્ષના નેતાઓને વિશ્વાસમાં લીધા હતા, તેમ જ સંસદનું વિશેષ સત્ર પણ યોજ્યું હતું. અત્યાર સુધી વિપક્ષોની જે માગણી બહુ યોગ્ય જણાતી નહોતી તે હવે વાજબી હોવાનું અનુભવાઈ રહ્યું છે.

WEITERE GESCHICHTEN VON ABHIYAAN

ABHIYAAN

ABHIYAAN

અમેરિકન સ્વપ્નધારકો માટે વર્ષ ૨૦૨૬

જેઓ ઇમિગ્રન્ટ વિઝાના ઇચ્છુકો હશે, જેમની અમેરિકામાં કાયમ રહેવાની ઇચ્છા હશે, એમને જો અંગ્રેજી ભાષા આવડતી ન હોય તો કદાચ એમને અમેરિકામાં કાયમ રહેવાની છૂટ આપવામાં નહીં આવે

time to read

3 mins

Abhiyaan Magazine 03/01/2026

ABHIYAAN

ABHIYAAN

મેડિટેશનનો માઉન્ટ એવરેસ્ટ એટલે કોઈ પણ ક્રિયા કે કાર્યમાં મનનું સ્થિર અને સ્વચ્છ હોવું

આખો દિવસ કામ કરીને સાંજે વાળુ કરીને એકતારો લઈને બેઠેલા કોઈ ગામડાના દાદાને પૂછો કે, “દાદા, મેરુ તો ડગે, પણ જેનાં મનડાં ડગે નહિ’ગંગાસતીનું આ ભજન સમજાવોને !’’ તો એ દાદા એમ કહેશે કે...

time to read

3 mins

Abhiyaan Magazine 03/01/2026

ABHIYAAN

ABHIYAAN

કેલિફોર્નિયાથી આવેલો ટહુકો - હેતલ જાગીરદાર

હેતલ ખૂબ સારું ગાય છે. જૂના કવિઓની સાથે નવા કવિઓની રચનાઓને સંગીતબદ્ધ કરે છે. કેલિફોર્નિયામાં તેમનું પોતાનું સ્વરાંજલિ નામનું ગરબા બૅન્ડ છે, જે નવરાત્રિમાં ધૂમ મચાવે છે

time to read

5 mins

Abhiyaan Magazine 03/01/2026

ABHIYAAN

ABHIYAAN

પ્રવાસન

સંગમ સિટી પ્રયાગરાજમાં શોભતું ભારતીય, ઇસ્લામિક અને ફ્રેન્ચ ગોથિક વાસ્તુકલાના સંગમ સમું All Saint Cathedral decion

time to read

5 mins

Abhiyaan Magazine 03/01/2026

ABHIYAAN

ABHIYAAN

નાટક સાથે લોકોનું અનુસંધાન ખૂબ મહત્ત્વનું છે : વિવેક શાહ

‘તું તો ગયો’ અને ‘કમિટમેન્ટ’ સહિતની ફિલ્મો કરનાર વિવેક શાહ કહે છે, ‘અમારો પ્રયત્ન રહ્યો છે કે નાટક એવું બને કે તે જોનાર દરેક વ્યક્તિને તેમાં પોતાની જાત દેખાય. તે નાટક સાથે કનેક્ટ કરશે તો જ પૂરતો આનંદ લઈ શક્શે.'

time to read

2 mins

Abhiyaan Magazine 03/01/2026

ABHIYAAN

ABHIYAAN

વામા-વિશ્વ બ્યુટી

સ્કીન ટાઇપને ઓળખીને કરો પ્રોડક્ટનો ઉપયોગ

time to read

2 mins

Abhiyaan Magazine 03/01/2026

ABHIYAAN

ABHIYAAN

કચ્છ માટે સરદાર પટેલના મનમાં ભરપૂર ભાવ હતો

સરદાર કચ્છમાં ભલે એક જ વખત આવ્યા હતા, પરંતુ તેઓ સતત કચ્છી લોકનેતાઓના સંપર્કમાં રહીને આ વિસ્તારના પ્રશ્નોથી સારી રીતે વાકેફ થયા હતા. કચ્છના ભારત સાથેના જોડાણની વાત હોય કે વિસ્થાપિત સિંધી સમુદાયના પુનર્વસનનો પ્રશ્ન હોય, સરદારે સતત કચ્છને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ભાગલા પછી કરાચી બંદરના બદલે પશ્ચિમ ભારતના કંડલા બંદર વિકસાવવાનું સ્વપ્ન પણ તેમનું જ હતું.

time to read

5 mins

Abhiyaan Magazine 03/01/2026

ABHIYAAN

ABHIYAAN

અરવલ્લી, રણ અને બદલાતું હવામાનઃ હકીકત અને ભ્રમ

અરવલ્લી નાશ પામશે એટલે સમગ્ર ઉત્તર ભારત રણ બની જશે - આ ભય ભ્રામક છે. હકીકતમાં આજે ચિંતા કરવી હોય તો રણ બચાવવાની કરવી જોઈએ. રણ પ્રદેશ ધીરે-ધીરે વન પ્રદેશમાં ફેરવાઈ રહ્યો છે.

time to read

7 mins

Abhiyaan Magazine 03/01/2026

ABHIYAAN

ABHIYAAN

આ બુલેટધામમાં થાય છે બાઈકની બાઈકની પૂજા

જોધપુર પાસે આવેલા આ મંદિરમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા બાઈકસવારની પણ અર્ચના થાય છે અને તેને દારૂ પણ પીવડાવાય છે...

time to read

3 mins

Abhiyaan Magazine 03/01/2026

ABHIYAAN

ABHIYAAN

નીરખને ગગનમાં....

બટેશ્વર મંદિર સમૂહ એક પુનઃસ્થાપિત તીર્થસ્થાન

time to read

4 mins

Abhiyaan Magazine 03/01/2026

Listen

Translate

Share

-
+

Change font size