રણમાં રંગોળી પૂરતાં લોકસંગીતકારો મંગણિયાર
ABHIYAAN|June 10, 2023
મોટા ભાગના કલાકારો બહુવિધ વાધો સારી રીતે વગાડી શકે છે. કોઈ પણ મંગણિયારને મોટામાં મોટા સ્ટેજનો ભય હોતો નથી. તેઓ બસ તેમના સંગીતમાં લીન રહીને તેને આત્મસાત કરે છે
પ્રિયંકા જોષી
રણમાં રંગોળી પૂરતાં લોકસંગીતકારો મંગણિયાર

આપણું પાડોશી રાજ્ય રાજસ્થાન તેની ભૌગોલિક વિષમતાઓને કારણે જ નહીં, પરંતુ તેની ભાતીગળ સંસ્કૃતિ અને લોકકલાઓને કારણે પણ પ્રસિદ્ધ છે. તેના કારણે જ આપણાં જોડિયા રાજ્ય જેવું રાજસ્થાન દેશ-વિદેશના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે. વિષમ પરિસ્થિતિઓ માણસની જિજીવિષાને ઉત્તેજિત કરે છે, તેની ક્ષમતા સામે નવા નવા પડકાર ફેંકે છે અને તે અનેકગણા જુસ્સાથી આ પડકારો ઝીલીને પોતાની સર્જનાત્મકતાને વધુને વધુ ખીલવે છે. રાજસ્થાનના લોકો આ પ્રકારના જ તપી તપીને સોનું બનેલાં લોકો છે. જેમણે ટકી રહેવાના સંઘર્ષ સાથે આ વેરાન પ્રદેશમાં પોતાની વિવિધ કલાઓથી રંગોળી પૂરી છે. આ પ્રદેશમાં વિવિધ જાતિઓના લોકો વસે છે. તેમની સાથે તેમની અવનવી લાક્ષણિકતાઓ અને પરંપરાઓ જોડાયેલી છે. આવી જ એક જાતિ એટલે મંગણિયાર.

લોકવાયકા અનુસાર વર્ષો પહેલાં એક માંગણ એટલે કે ભીખ માગતી વ્યક્તિએ રાણીને ગળાનો હાર આપવા વિનંતી કરી હતી. ત્યારથી, તેઓ ‘માંગણ-હાર’ અને પછી ‘મંગણિયાર’ બન્યા. મોટા ભાગના મંગણિયારો મિરાસી કે મેરાસી જાતિના મુસ્લિમ છે, પરંતુ તેમના યજમાન હિન્દુ છે.

મંગણિયાર વંશપરંપરાગત લોક સંગીતકારોનું કુળ છે, જે મુખ્યત્વે પશ્ચિમ રાજસ્થાન એટલે કે જેસલમેર, બાડમેર, બિકાનેર અને જોધપુરમાં વસે છે. આ કલા પાકિસ્તાનના પણ સીમાથી નજીકના વિસ્તારોમાં હયાત છે. મંગણિયારોની નૈસર્ગિક અને ગામઠી ગાયકી રેતીના ઢૂંવામાં સચવાયેલી રહે છે અને આગળની પેઢીને વારસામાં મળે છે. તેમના યજમાનો સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા આ લોક કલાકારો સંગીતને જીવે છે અને તેના જ શ્વાસ લે છે. તેમનાં ગીતોમાં તેઓ માતૃભૂમિની લોક પરંપરાઓને જાળવી રાખે છે અને પ્રસંગને અનુરૂપ ગીતો દ્વારા દરેક ક્ષણને જીવંત કરીને ઊજવે છે.

સામાન્ય રીતે મંગણિયારોનાં પાંચ-છનાં જૂથ હોય છે. સ્વયંસ્ફુરિત સંગીતથી તેઓ અનોખું ભાવવિશ્વ રચે છે અને સાંભળનારને મંત્રમુગ્ધ કરીને એ ભાવવિશ્વમાં વિહરતો કરી દે છે. તેમના સંગીતમાં એવું ઘણું બધું સમાયેલું છે જે જોઈ નથી શકાતું. મંગણિયારો માટે સંગીત માત્ર આજીવિકાનું સાધન નથી, પરંતુ તેમની ઓળખ છે. તેમનાં ગીતોમાં સંગીતના દરેક ઘટકની સમજ, સૂર અને તાલથી માંડીને વર્ષો જૂની વાર્તાઓ, લોકકથાઓ વણાયેલા છે.

Diese Geschichte stammt aus der June 10, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der June 10, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)
ABHIYAAN

વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)

બિઝનેસ પ્લાન બનાવી આપનારા એક્સ્પર્ટો પાસે તમે જે બિઝનેસ કરવાની ઇચ્છા ધરાવતા હોવ એને લગતો એક બિઝનેસ પ્લાન બનાવડાવો. આવો પ્લાન બનાવવા જાણકારો ચારથી લઈને બાર અઠવાડિયાં કે એથી પણ થોડો વધુ સમય લે છે

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 04/05/2024
મુવી-ટીવી
ABHIYAAN

મુવી-ટીવી

થિયેટર કરતો હોઉં ત્યારે વિદેશી ફિલ્મોને પણ ના પાડી દઉં: મકરંદ દેશપાંડે ‘રજાકાર’ ફિલ્મમાં ખલનાયક નિઝામનો રોલ કરનારા મરાઠી રંગભૂમિ અને હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા મકરંદ દેશપાંડેએ ‘અભિયાન' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે હિન્દી ઉપરાંત કન્નડ, મલયાલમ, તમિલ અને મરાઠીમાં ફિલ્મો કરી છે. ‘સરફરોશ', ‘સ્વદેશ’, ‘બુઢ્ઢા... હોગા તેરા બાપ' અને ‘ડરના જરૂરી હૈ' તેમની જાણીતી ફિલ્મો છે.

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 04/05/2024
ગાર્ડનિંગ
ABHIYAAN

ગાર્ડનિંગ

પ્રુનિંગ એટલે શું અને તે કેમ જરૂરી છે?

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 04/05/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 04/05/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 04/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ચંબા વેલીનો ચાર્મ, ડેલહાઉસી

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 04/05/2024
તસવીર કથા
ABHIYAAN

તસવીર કથા

સાળંગપુરમાં મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ફૂલદોલ ઉત્સવ ઊજવાયો

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 04/05/2024
બીજાને જજ કરવા કરતાં જાતને મૂલવવી એટલે સ્વયંનું સ્વચ્છતા અભિયાન...
ABHIYAAN

બીજાને જજ કરવા કરતાં જાતને મૂલવવી એટલે સ્વયંનું સ્વચ્છતા અભિયાન...

તંદુરસ્ત હો તો ક્યારેક રક્તદાન કરી દેવું એ કૃષ્ણ જેને કર્મ એ કહે એવું કામ છે. પોતે ફેક્યો ન હોય એવો કચરો ઉપાડીને કચરાટોપલીમાં નાખી દેવો એ પણ ગીતાકારને ગમે એવું કામ છે.

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 04/05/2024
સાંપ્રત
ABHIYAAN

સાંપ્રત

ઇઝરાયલ અને ઈરાનનો ટપલીદાવ

time-read
8 Minuten  |
Abhiyaan Magazine 04/05/2024
અસ્મિતા કે અહંતા?
ABHIYAAN

અસ્મિતા કે અહંતા?

* રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે કાંઈ ચાલે છે તેમાં નાર્સિસિઝમ છે? * ગ્રીક પાત્ર નાર્સિસસ તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોઈને પોતાના પ્રેમમાં પડી જાય છે, નાર્સિસિઝમનો મુદ્દો સાચી રીતે સમજવો પડે. * અસ્મિતા શબ્દને નાર્સિસિઝમ સાથે સંબંધ છે? અસ્મિતા અંગે આપણે કેટલા સાચા છીએ, કેટલા ભ્રમમાં છીએ?

time-read
7 Minuten  |
Abhiyaan Magazine 04/05/2024