સુગંધ દ્વારા ખોવાયેલા સમયની તલાશ
ABHIYAAN|November 26, 2022
માર્સલ પૃસ્ટની નવલકથાનો સૌથી પ્રસિદ્ધ અંશ એ છે, જ્યારે નાયક મેડેલિન નામક નાનકડી કેકનો સ્વાદ માણતી વખતે એકાએક એ ક્ષણોમાં ખેંચાઈ જાય છે
સ્પર્શ હાર્દિક
સુગંધ દ્વારા ખોવાયેલા સમયની તલાશ

સૌને જીવનના કોઈ ને કોઈ તબક્કે એ પ્રશ્ન થયો જ હશે કે જીવવા પાછળનો હેતુ શું? આ બધી પળોજણ અને હાડમારી વેઠીને શ્વાસ લેતાં અને છોડતાં રહેવાની ક્રિયા પાછળનું કારણ શું? આ પ્રશ્ન એટલો જ સંસારી માણસને સતાવે છે જેટલો સંન્યાસીને, પરંતુ અંતે માણસ ઉત્તર મેળવ્યા વગર જ ચાલ્યો જાય છે, પાછળ યાદોનો એક ઢગલો મૂકીને. દોઢ સદી પહેલાં જન્મેલા ફ્રેન્ચ લેખક માર્સલ પૃ પૃસ્ટ એક મહાનવલકથા વડે પોતાની અંગત સ્મૃતિના ઢગલાને શબ્દોમાં બાંધવાનો પ્રયાસ કરે છે, જેના ફ્રેન્ચ નામનો અર્થ થાય છે, ‘ખોવાયેલા સમયની તલાશમાં’, જેનો બીજો અનુવાદ આ રીતે કરાયો છે, ‘અતીતની વાતોનું સ્મરણ.’

સંસારની સૌથી લાંબી નવલકથાઓમાં સ્થાન મેળવતું, સામાન્ય કદના પુસ્તકના આશરે ૪૨૦૦ પન્નાં રોકી લેતું આ મહાસર્જન સાત ખંડમાં ફેલાયેલું છે. લગભગ સાડા બાર લાખ શબ્દોની આ ગાથા છે માર્સલ પૃસ્ટના અતીતને સંકલિત કરવાના પ્રયાસની, પોતાની હયાતીને, પોતાની ઓળખને એક કળાકૃતિમાં બંધ કરી સદીઓ સુધી જીવિત રાખવાના સંઘર્ષની. માર્સલ પૃસ્ટ એમની કળાને નવલકથાના સર્જન દ્વારા અમર રહેવાના માર્ગ તરીકે ઉપયોગમાં લે છે. કદાચ જીવનનો અડધો અર્થ જાણે એને ઘડવું, એના કપરા ઉતારચડાવ ધરાવતા માર્ગ પરથી પસાર થવું, અને અડધો અર્થ એ અનુભૂતિ અને અનુભવોને સ્મરણમાં સાચવી રાખવા અને સમયાંતરે એનું સંસ્મરણ કરવા મથતાં રહેવું એવો થતો હશે, કારણ કે સ્મૃતિ, સ્મરણ કે યાદ આપણા પૃ થ્વીલોક પરના, સમાજ વચ્ચે રહેતાં એક અલાયદા માણસ હોવાના અર્થને સમજવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. માણસ પાસેથી એની સ્મૃતિ છીનવી લેવામાં આવે અથવા એ સંસ્મરણ કરવાની શક્તિ ગુમાવી બેસે તો એ સંસાર કે સમાજમાં પોતાની ભૂમિકા અને સતત રીતે ગ્રહણ કરેલી સમજણથી પ્રાપ્ત કરેલ જીવનનો મર્મ ખોઈ બેસે. અલ્ઝાઇમરના પીડિતોની સ્થિતિ વિશે જેણે વાંચ્યું, સાંભળ્યું કે જોયું હશે, તેઓને એમના સ્મૃતિભ્રંશની પીડાનો, પોતે ક્યાં, કોની વચ્ચે અને કેવી રીતે આવી ચડ્યા એની અકળાવનારી વેદનાનો ઓછોવત્તો ખ્યાલ હશે જ.

Diese Geschichte stammt aus der November 26, 2022-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der November 26, 2022-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 04/05/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 04/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ચંબા વેલીનો ચાર્મ, ડેલહાઉસી

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 04/05/2024
તસવીર કથા
ABHIYAAN

તસવીર કથા

સાળંગપુરમાં મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ફૂલદોલ ઉત્સવ ઊજવાયો

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 04/05/2024
બીજાને જજ કરવા કરતાં જાતને મૂલવવી એટલે સ્વયંનું સ્વચ્છતા અભિયાન...
ABHIYAAN

બીજાને જજ કરવા કરતાં જાતને મૂલવવી એટલે સ્વયંનું સ્વચ્છતા અભિયાન...

તંદુરસ્ત હો તો ક્યારેક રક્તદાન કરી દેવું એ કૃષ્ણ જેને કર્મ એ કહે એવું કામ છે. પોતે ફેક્યો ન હોય એવો કચરો ઉપાડીને કચરાટોપલીમાં નાખી દેવો એ પણ ગીતાકારને ગમે એવું કામ છે.

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 04/05/2024
સાંપ્રત
ABHIYAAN

સાંપ્રત

ઇઝરાયલ અને ઈરાનનો ટપલીદાવ

time-read
8 Minuten  |
Abhiyaan Magazine 04/05/2024
અસ્મિતા કે અહંતા?
ABHIYAAN

અસ્મિતા કે અહંતા?

* રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે કાંઈ ચાલે છે તેમાં નાર્સિસિઝમ છે? * ગ્રીક પાત્ર નાર્સિસસ તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોઈને પોતાના પ્રેમમાં પડી જાય છે, નાર્સિસિઝમનો મુદ્દો સાચી રીતે સમજવો પડે. * અસ્મિતા શબ્દને નાર્સિસિઝમ સાથે સંબંધ છે? અસ્મિતા અંગે આપણે કેટલા સાચા છીએ, કેટલા ભ્રમમાં છીએ?

time-read
7 Minuten  |
Abhiyaan Magazine 04/05/2024
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

પ્રથમ તબક્કામાં ઓછું મતદાન શું ઇશારો કરે છે?

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 04/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

કોંગ્રેસનું ઘોષણા પત્ર અને વડાપ્રધાનનું અર્થઘટન

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 04/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

સુરતની બિનહરીફ ચૂંટણી કોંગ્રેસની નિર્બળતાની પારાશીશી

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 04/05/2024