થોડાં વરસ પહેલાં અક્ષય કુમાર-ભૂમિ પેડણેકરને ચમકાવતી એક ફિલ્મ આવેલી, ટોઈલેટઃ એક પ્રેમકથા, જેમાં સાસરીના ઘરમાં ટોઈલેટ ન હોવાને કારણે નવોઢા પરણ્યાના બીજા જ દિવસે પિયર જતી રહે છે. કંઈ આવો જ કિસ્સો હમણાં ગુજરાતમાં બન્યો. પાણીની સમસ્યાથી કંટાળીને પત્ની ઘર છોડીને જતી રહી. આટલું જ નહીં, પણ સાસરામાં પાણીની સમસ્યા છે એવું જાણી એક કન્યાએ લગ્ન કરવાની ના પાડી દીધી!
નદીના પટ સુકાઈને મોટા મેદાન જેવા થઈ જાય અને લોકોએ પાણી માટે ટૅન્કર કે ક્યાંક દૂરના કૂવા સુધી લાંબું થવું પડે.
સૌરાષ્ટ્ર ઊંધી રકાબી જેવો પ્રદેશ છે એટલે વરસાદનું ઘણું પાણી સંગ્રહની પર્યાપ્ત વ્યવસ્થાના અભાવે દરિયામાં વહી જાય છે.
શહેરમાં રહેતા અને અવારનવાર વૉટર પાર્કની મજા માણતા લોકો માટે પાણી કદાચ સમસ્યા નહીં હોય, પરંતુ ગુજરાતમાં એવા અનેક વિસ્તાર છે, જ્યાં પાણીનાં ટીપેટીપાં માટે વલખાં મારવાં પડે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં મળી ૧૫ જળાશયો છે, જેમાં અત્યારે માત્ર ૩૭ ટકા જેટલું જ પાણી છે. હજી તો ઉનાળાની શરૂઆત છે અને આ હાલત છે. એમાંય સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનાં જળાશયોમાં તો એની ક્ષમતાના ૩૦ ટકા કરતાં પણ ઓછું પાણી છે. હવે પ્રશ્ન એ છે કે આખો ઉનાળો પાણી વગર જશે કેવી રીતે?
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના મોટી-મરાડ ગામમાં નલ સે જલ યોજના હેઠળ નળની પાઈપલાઈન તો પહોંચી ગઈ છે, પણ નળમાંથી પાણીનું ટીપુંય આવતું નથી. આવી જ સ્થિતિ બીજા અમુક વિસ્તારોમાં પણ છે. ભારત-પાકિસ્તાન સરહદથી માત્ર બાવીસ કિલોમીટર દૂર આવેલા બનાસકાંઠા જિલ્લાના મેઘપુરા ગામમાં પણ પાણીની પાઈપલાઈન તો નાખવામાં આવી, નળ લાગી ગયા, પણ પાણી દૂર દૂર સુધી જોવા મળતું નથી.
સાબરકાંઠા જિલ્લાના પોશીના ગામના આગેવાન ચંદુભાઈ કાંતિભાઈ ગમાર ચિત્રલેખાને કહે છે: ‘અમારે ત્યાંનાં નદી-તળાવ સાવ સુકાઈ ગયાં છે. ઘણા કૂવામાં સુદ્ધાં પાણી નથી. ગામમાં નળ તો છે, પણ પાણીની મેન લાઈન જ નથી આવી તો પાણી ક્યાંથી આવે?’
هذه القصة مأخوذة من طبعة April 22 , 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة April 22 , 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
શોખને કાર્રાર્દી બનાવી સ્વાદિષ્ટ સફળતા મેળવી રે લોલ...
વાડીનારમાં ઊછરેલી આ ગરવી ગુજરાતણે હોંગકોંગની ધરતી પર ભારતીય કળા-સંસ્કૃતિ-ભોજનનું મિશ્રણ રચી કરિયરની એક નવી કેડી કંડારી છે.
આઈપીએલ-૨૦૨૪માં હિટિંગ ખૂનખાર
સિક્સર આંક ૫૭ મૅચમાં જ ૧૦૦૦ને પાર આ બૉલર્સની ખાજો દયા... આઈપીએલ એટલે આમ તો એન્ટરટેઈનમેન્ટ જ. બૉલર ગમે તે હોય, બૅટર ચારેકોર ફટકાબાજી કરી ટીમનો સ્કોર વધારતો રહે. એમાં પણ આ વખતે તો સૌથી વધુ સિક્સરથી માંડી તોસ્તાન સ્કોરના નવા નવા રેકૉર્ડ્સ બની રહ્યા છે.
મુંબઈ-મહારાષ્ટ્રની મૂંઝવણ કેવી છે?
છેલ્લાં બે-ત્રણ વર્ષના રાજકીય દાવપેચમાં મહારાષ્ટ્રનું રાજકારણ ખાસ્સું ઉપર-તળે થયું. ૨૦ મેએ મુંબઈ સહિત મહારાષ્ટ્રની કેટલીક બેઠકો પર મતદાન થવાનું છે ત્યારે તદ્દન અસ્પષ્ટ સ્થિતિમાં અટવાયેલા મતદારો પૂછે છેઃ ‘ક્યા કરે, ક્યા ના કરે...’
સોશિયલ મિડિયા પર ચૂંટણીપ્રચારનું લાઈક-ડિસલાઈક...
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી બનાવવામાં આવતા ક્રિયેટિવ વિડિયોથી લઈને ઉમેદવારોની ખાણી-પીણીની પસંદ-નાપસંદવાળા હળવા ઈન્ટરવ્યૂઝ... ઈન્ટરનેટ પર ચૂંટણીપ્રચાર કરવાના અવનવા તરીકા મત મેળવવામાં કેટલા કારગત?
પતિનું પૂતળું સાથે રાખીને ઊજવ્યો દીકરાનો જનોઈપ્રસંગ
પુત્રની જનોઈમાં પૂતળા રૂપે હાજર રહ્યા પિતા
કેસરિયા ભૂમિઃ ગીરની અનેરી ઓળખાણ...
પાનખરમાં વૃક્ષો પર સૂકાઈને ખરેલાં કેસરી પાનના ઢગલા વચ્ચે વિહરતા કેસરી સિંહને જોવા દેશ-વિદેશથી પ્રવાસીઓ ઊમટી પડ્યા છે ત્યારે કેસરિયા સાવજની આ ભૂમિની કેસર કેરી અને સ્વાદિષ્ટ કેસરી ગોળને કેમ ભૂલી શકાય?
સહઅસ્તિત્વની સહનશીલતા
મનુષ્ય આ પૃથ્વી પર સૌથી સામુદાયિક-સહકારી પ્રાણી છે.એક પ્રજાતિ તરીકે માણસની સફળતાનું કારણ એકબીજા સાથે સહકારથી રહેવાની ક્ષમતામાં છે. એવું સહઅસ્તિત્વ અને સહકાર કાયમ સુંદર-સરળ જ હોય એ જરૂરી નથી. પ્રેમાળ સંબંધમાં પણ ઉઝરડા પડે છે અને એમાંથી જ સહનશીલતાનો ગુણ વિકસે છે.
જસ્ટ, એક મિનિટ...
નમ્રતા અને ઉદારતાની અભિવ્યક્તિ ખુશીના રંગીન મેઘધનુષનું નિર્માણ કરે છે.
દેખ જોગી, ઉનાળો
પરબ લગાવો બરફ જમાવો તરસ અમારી કોઈ બુઝાવો ગરમ હવાઓ વહી રહી છે જરા કૂલર કે એસી ચલાવો. -રશ્મિ અગ્નિહોત્રી
જીએસટીનું કલેક્શન વધે છે... વેપાર-ઉદ્યોગમાં ફ્રસ્ટ્રેશન વધે છે!
નવા નાણાકીય વરસના પહેલા મહિનામાં જીએસટીનું કલેક્શન બે લાખ કરોડ રૂપિયાની ઉપર પહોંચી જવાનાં ગુણગાન ભલે ગવાયાં, પરંતુ આ ટૅક્સ પાછળની દાસ્તાન કંઈક અંશે કરુણ બનતી જાય છે. કહેવાય છે કે અત્યારની મોંઘવારીમાં જીએસટીના બોજનો ફાળો પણ છે. મોટા ભાગની પ્રજા આ વેરાના બોજ હેઠળ દબાઈ રહી છે. સરકારે આ વિષયમાં વ્યવહારદક્ષતા દાખવવાની જરૂર છે.