يحاول ذهب - حر
જપાનના પહેલા ગુરુમંદિરમાં બિરાજશે આ જૈનાચાર્ય
August 14, 2023
|Chitralekha Gujarati
સત્ય-અહિંસાના સિદ્ધાંત હવે જપાનના અનેક બૌદ્ધધર્મીઓને આકર્ષી રહ્યા છે. જૈન ધર્મનું પાલન કરતાં કરતાં ઘણા જપાનીઓ શુદ્ધ શાકાહારી બની ગયા છે, નવકાર મંત્ર બોલે છે, ખુલ્લા પગે ચાલે છે અને ચૌવિહારનો નિયમ સુદ્ધાં પાળે છે.

એમનું મૂળ નામ ચુરૂશી મિયાઝાવા. વતન જપાન. ધર્મ બૌદ્ધ. એમનું અત્યારનું નામ તુલસી. કામ પોતાના વતન જપાનમાં જૈન ધર્મનો પ્રસાર કરવાનું અને એ રીતે લોકોને સત્ય, અહિંસા અને અપરિગ્રહ જેવા સિદ્ધાંતો તરફ વાળવાનું.
હિટાચી, હોન્ડા, ટોયોટા, સોની, મિત્સુબિશી, યામાહા.. આ બધી કંપની ગ્રાહકોના એના પરના ટકોરબદ્ધ ભરોસા માટે જાણીતી છે. આ તમામ કંપની જપાનની છે! આખી દુનિયા એમની બનાવેલી ચીજવસ્તુ પર આંખ મીંચીને વિશ્વાસ મૂકે છે. એવા જ વિશ્વાસુ છે જપાનના લોકો. ધર્મ પ્રત્યેની એમની શ્રદ્ધા પણ એમણે બનાવેલી ચીજવસ્તુ જેવી જ છેઃ એકદમ મજબૂત અને ટકોરબદ્ધ.
એવા આ જપાનના લોકોનું એક જૂથ હમણાં ગુજરાત આવ્યું. એમનો ઉદ્દેશ હતોઃ બનાસકાંઠા જિલ્લાના નેનાવા ગામમાંથી પુણ્ય સમ્રાટ તરીકે ઓળખાતા જૈનાચાર્ય જયંતસેનસૂરીશ્વરજીની ગુરુમૂર્તિ જપાન લઈ જવાનો. ચિત્રલેખાનો આ અંક તમારા હાથમાં હશે ત્યારે તો આ મૂર્તિ જપાન પહોંચી પણ ગઈ હશે. એ પછી જપાનના નાગાનૌકેન શહેરને એક ગુરુમંદિરમાં એની વિધિવત્ સ્થાપના કરવામાં આવશે.
વાજતે-ગાજતે બનાસકાંઠાના નેનાવા ગામમાંથી નીકળી જૈનાચાર્ય જયંતસેનસૂરીશ્વરજીની ગુરુમૂર્તિની શોભાયાત્રા.
જપાનમાં અત્યારેય ત્રણ જિનાલય છે. એમ છતાં શિન્ટો અને બૌદ્ધ ધર્મ પાળનારા લોકોની બહુમતી ધરાવતા જપાનમાં કોઈ જૈનાચાર્યની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થાય એની ઘણાને નવાઈ લાગે. કેમ જપાનના લોકો જૈન ધર્મથી પ્રભાવિત થયા અને શા માટે એક જૈનાચાર્યની પ્રતિમા એમના વતનમાં લઈ જઈ રહ્યા છે એ જિજ્ઞાસા વાજબી છે. ચાલો, એ જિજ્ઞાસાનું નિવારણ કરીએ..
هذه القصة من طبعة August 14, 2023 من Chitralekha Gujarati.
اشترك في Magzter GOLD للوصول إلى آلاف القصص المتميزة المنسقة، وأكثر من 9000 مجلة وصحيفة.
هل أنت مشترك بالفعل؟ تسجيل الدخول
المزيد من القصص من Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size