يحاول ذهب - حر

જગન્નાથ સ્વામી નયનપથ ગામી ભવતુ મે..

June 26, 2023

|

Chitralekha Gujarati

આદિ શંકરાચાર્ય રચિત જગન્નાથ અષ્ટકમાં પ્રભુની લીલાનાં ગુણગાન સાથે ભક્તોની આસ્થા પણ આબાદ ઝિલાઈ છે. કૃષ્ણના એક વિસ્મયકારી સ્વરૂપ ગણાતા જગન્નાથજીનું પ્રમુખ મંદિર ઓડિશાના પુરી શહેરમાં છે સાથે ગુજરાતમાં પણ એમનાં અનેક મંદિર છે. અષાઢી બીજના દિવસે જગન્નાથપુરીની સાથે અમદાવાદમાં પણ રથયાત્રા નીકળે છે. આ વર્ષે ૧૪૬મી રથયાત્રામાં મુખ્ય આકર્ષણ ભગવાનનો નવો રથ હશે. ૭૨ વર્ષ પછી પહેલી વાર નિર્માણ પામેલા નવા રથવૈભવની નવા-જૂની સાથે જાણીએ રાજકોટમાં નીકળતી બે રથયાત્રામાં વપરાનારા રથના નિર્માણ-સજાવટ પાછળની રોચક કથા.

- હેતલ રાવ (અમદાવાદ) દેવેન્દ્ર જાની (રાજકોટ)

જગન્નાથ સ્વામી નયનપથ ગામી ભવતુ મે..

કૃષ્ણ-સુભદ્રાજી અને બલરામ માટેના નવા રથ.

અમે તો ભગવાન જગન્નાથજીના નવા રથનું નિર્માણ જોવા આવ્યા છીએ. સાંભળ્યું છે કે સાત દાયકા પછી આ વર્ષે ભગવાન નવા રથમાં બેસીને નગરચર્યાએ નીકળશે.

- હા.. હા, મેં પણ સાંભળ્યું હતું માટે હું પણ જોવા આવી કે આ નવા રથ કેવા હશે? અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરના પ્રાંગણમાં ઊભી રહીને બે મહિલા વાત કરી રહી હતી. જો કે આવી વાત તો સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે અને ખાસ કરીને અમદાવાદમાં, કારણ કે ૭૨ વર્ષ પછી જગન્નાથ મંદિરના રથનું નવનિર્માણ થયું છે. આમેય અમદાવાદીઓ માટે રથયાત્રાનું પર્વ કોઈ મહાઉત્સવથી જરાય ઊતરતું નથી. એમાંય હવે ભગવાનના નવા રથે લોકોમાં ઉત્સુકતા વધારી છે ત્યારે ચિત્રલેખાએ રથ બનાવનારા કારીગર, રંગારા અને મંદિરના મહંત સાથે વિશેષ વાત કરી.

અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત મહંત નરસિંહદાસજી મહારાજે ૧૮૭૮માં કરી હતી, જે આજે પણ ભવ્ય રીતે ઊજવાય છે. ભગવાન જગન્નાથ (કૃષ્ણ) પોતાનાં બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર (બલરામ) સાથે દર વર્ષે નગરચર્યાએ નીકળીને નગરજનોને દર્શન આપે છે.

જગન્નાથ મંદિરમાં છેલ્લા પાંચ મહિનાથી નવા રથ બનાવવાનું કાર્ય ચાલી રહ્યું હતું. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા રથ બનાવનારા કારીગર જયંતિભાઈ સુથાર ચિત્રલેખાને કહે છેઃ ‘અમે રોજના દસથી બાર કલાક કામ કરતા. મારી સાથે આઠ-દસ કારીગરની ટીમ હતી. બધુંય કામ સમયસર પૂર્ણ થઈ ગયું એનો આનંદ છે.’

રથની વિશેષતા અંગે જયંતિભાઈ ઉમેરે છે કે ૩૫ વર્ષથી આ કાર્ય સાથે સંકળાયેલો છું. હા, ભગવાન જગન્નાથજીના રથ બનાવવાનું કામ પ્રથમ વખત મળ્યું છે, પરંતુ જૈન મંદિરના ઘણા રથ, દેરાસરના દરવાજા, સિંહાસનોનું કામ કર્યું છે. સાચું કહું તો રથ બનાવીને અમને જાણે અલૌકિક આનંદની અનુભૂતિ થઈ. મંદિરની પરંપરા જળવાઈ રહે એ રીતે નવા રથ બનાવવામાં આવ્યા છે. રથનિર્માણમાં વલસાડી સાગનો ઉપયોગ કર્યો છે, જ્યારે પૈડાં સીસમનાં લાકડાંથી બનાવ્યાં છે. ૪૦૦ ઘનફૂટ સાગનું અને ૧૫૦ ઘનફૂટ સીસમનું લાકડું વપરાયું છે.

المزيد من القصص من Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી

ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી કે બીમાર હોવાનું નાટક

આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!

ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય

જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.

time to read

2 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન

ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ

સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.

time to read

6 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ

શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.

time to read

5 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...

આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..

કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...

જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.

time to read

5 mins

October 13, 2025

Translate

Share

-
+

Change font size