કોઈ પ્રદેશને દિલથી માણવા સાઇકલ પ્રવાસ ઉત્તમ
ABHIYAAN|February 03, 2024
‘ચરવૈતિ ચરવૈતિ' ઉક્તિને સાકાર કરવા માટે આજે ઘણા લોકો પ્રવાસ કરવા નીકળી પડે છે. જોકે મોટા ભાગના લોકોનો પ્રવાસ એ એક લાંબી પિકનિક જેવો હોય છે. પગપાળા કે સાઇકલ ઉપર કરાયેલા પ્રવાસથી નવા-નવા પ્રદેશોને જાણી અને માણી શકાય છે, દિલમાં ઉતારી શકાય છે. આથી જ સિનિયર સિટીઝન એવા મુંબઈના બે કચ્છી માડુઓ અને એક રાજસ્થાનીએ કચ્છનો આઠ દિવસનો પ્રવાસ સાઇકલથી કર્યો હતો.
કોઈ પ્રદેશને દિલથી માણવા સાઇકલ પ્રવાસ ઉત્તમ

કચ્છી અને ગુજરાતી લોકોને નવી નવી જગ્યાએ ફરવાનો જબરો શોખ છે. દેશ-વિદેશના કોઈ પણ જાણીતા પ્રવાસન સ્થળે ગુજરાતી બોલાતી સંભળાય. સિમલા, મહાબળેશ્વર કે ગોવા જેવી જગ્યાઓ ઉપર તો વર્ષના અમુક સમયે લાગે જ નહીં કે ગુજરાત બહાર આવ્યા છીએ, પરંતુ મોટા ભાગના આ પ્રવાસીઓ જે-તે જગ્યાનો ધબકાર અનુભવવાના બદલે માત્ર તેને જોઈને સંતોષ માની લેતા હોય છે. જો કોઈ જગ્યાને સમજવી  હોય, તેને દિલથી માણવી હોય તો ત્યાં પગપાળા ફરવું જોઈએ અથવા તો ત્યાં સાઇકલ ઉપર રખડવું જોઈએ. સમયનો અભાવ અનેક લોકોને આવી રીતે પ્રવાસ કરવાની પરવાનગી આપતો નથી, પરંતુ ખરેખરા પ્રવાસપ્રેમીઓ તો આવી જ રીતે ભ્રમણ કરવાનો આગ્રહ રાખે છે. તેમને ઉંમર કે શારીરિક અવસ્થા આવી રીતે ફરતાં અટકાવી શકતા નથી.

મુંબઈના આવાજ સાઇકલપ્રેમીઓનું એક નાનકડું ગ્રૂપ તાજેતરમાં કચ્છના પ્રવાસે આવ્યું હતું. ત્રણ જણાના બનેલા આ ગ્રૂપના બધા જ સભ્યો ૫૫-૫૬ વર્ષ ઉપરની ઉંમરના હતા. તેઓએ કચ્છના સૌંદર્યને પોતાના મનમાં અંકિત તો કર્યું જ, સાથે-સાથે તેમણે અહીંના લોકોનો સ્વભાવ, કચ્છનાં દૂરદૂરનાં ગામોની સ્થિતિ, ઓછાં જાણીતાં સ્થળોની માહિતી પણ મેળવી. અહીં આવતા પ્રવાસીઓને પડતી તકલીફો તેમણે જાણી. સાચું કચ્છ ક્યું છે તે તેઓએ નિહાળ્યું. તેમના સાહસ સાથે તેઓએ એક ધ્યેયને પણ લક્ષ્યમાં રાખ્યું હતું. તેઓએ ‘ટી.બી. મુક્ત કચ્છ’ના ધ્યેય સાથે પ્રવાસ કર્યો હતો. રસ્તામાં મળતાં લોકોને ટી.બી. રોગ સામે જાગૃત કરવા પ્રયત્ન કર્યો હતો.

આ ગ્રૂપના એક સદસ્ય ૬૩ વર્ષીય મંગલભાઈ ભાનુશાળી (ભાઈલાલ મંગે) સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘અમે મુંબઈમાં નિયમિત રીતે સાઇક્ટિંગ કરીએ છીએ. અમારી ઉંમર અમને સાઇકલ ચલાવતાં ક્યારેય અડચણ ઊભી કરતી નથી. અમે રોજ ૨૫-૩૦ કિ.મી. સાઇકલ ચલાવીએ છીએ.

આથી કચ્છમાં ફરવામાં અમને કોઈ તકલીફ ન પડી. અમે માનીએ છીએ કે પ્રવાસ કોઈ જગ્યાને વિશેષરૂપથી જાણવા માટે થવો જોઈએ અને એ માટે સાઇકલ જેવું ઉત્તમ માધ્યમ એક પણ નથી. સાઇકલ ચલાવતી વખતે તમે તે ધરતીના કણકણથી વાકેફ થઈ શકો. તે જગ્યાને હૃદયમાં ઉતારી શકો.'

هذه القصة مأخوذة من طبعة February 03, 2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة February 03, 2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

શું કરી શકો છો? શું ન કરવું જોઈએ?

time-read
3 mins  |
May 25, 2024
મૂવી-ટીવી
ABHIYAAN

મૂવી-ટીવી

કરણ જોહરથી લિસા રે સુધીઃ કોઈ સિંગલ ફાધર તો કોઈ ટ્વિન્સના પેરેન્ટ્સ

time-read
2 mins  |
May 25, 2024
ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ
ABHIYAAN

ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: અસીમ તક આપતું શાનદાર કરિયર

time-read
2 mins  |
May 25, 2024
જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!
ABHIYAAN

જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!

વ્યક્તિમાં શીખવાની દૃષ્ટિ હોય તો વ્યક્તિ કલાપીની પંક્તિઓની જેમ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે...’ત્યાં ત્યાંથી એ શિક્ષિત થતો રહે છે.

time-read
2 mins  |
May 25, 2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

યુદ્ધભૂમિ પર જન્મેલું કલા સ્વરૂપ: અફઘાન વાર રગ્સ

time-read
4 mins  |
May 25, 2024
કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા
ABHIYAAN

કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા

બાંધણી, રોગાન કે અજરખ જેવી હસ્તકલા માટે કચ્છ જાણીતું છે. કચ્છના કસબીઓની વંશપરાપરાગત કલાઓને જી.આઈ. ટેગ મળી રહ્યો છે. જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતાં મૂળ કલાની નકલના કામ ઉપર અંકુશ આવશે. સાચા કસબીઓની માગ વધશે, સાચી કલાને સંરક્ષણ મળશે અને નકલ કરનારા ઉપર કાયદેસર પગલાં પણ લઈ શકાશે.

time-read
5 mins  |
May 25, 2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

નાઇક્ઃ મૃત્યુના સાક્ષાત્કારની ૨૭ સેકન્ડ

time-read
7 mins  |
May 25, 2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ

time-read
8 mins  |
May 25, 2024
રાજકાજ ગુજરાત
ABHIYAAN

રાજકાજ ગુજરાત

સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો

time-read
2 mins  |
May 25, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?

time-read
2 mins  |
May 25, 2024