પ્રવાસ દરમિયાન કુદરતી સૌંદર્ય તો માણવા મળતું જ હોય છે, પણ સાથે-સાથે કુદરતે સર્જેલાં માનવસૌદર્યો પણ માણવા મળતાં હોય છે. આનો અર્થ એ થયો કે જે લોકો ખરેખર સૌંદર્યના ચાહકો કે સૌંદર્યના આરાધકો હોય છે એવા લોકો જ પ્રવાસમાં જોડાતા હોય છે. જોકે આ પૂર્ણસત્ય નથી, અર્ધસત્ય છે. કેટલાક પ્રવાસીઓ એવાય હોય છે કે જેમને કુદરતી કે પ્રાકૃતિક સૌંદર્ય સાથે સ્નાનસૂતકનોય સંબંધ ન હોય! આવા લોકોને એક જ ચિંતા હોય છે કે પ્રવાસમાં જમવાનું કેવું હશે? ઘર જેવું પૌષ્ટિક તો મળશે ને? તો કેટલાક ભોજનપ્રિય પ્રવાસવીરોને ચિંતા તો આવી જ હોય છે કે પ્રવાસમાં ભોજન કેવું મળશે? જો ઘર જેવું જ મળશે તો પ્રવાસનો હેતુ, પ્રવાસનો આનંદ જ મરી જશે.
અમુક જ પ્રવાસીઓ એવા હોય છે જેઓ ‘જીવ્યા કરતાં જોયું ભલું’ એ સૂત્રમાં માનતા હોય છે. આમ તો મને ક્યારેય કોઈ સવાલ પેદા થતો જ નથી, કેમ કે હું એ વૈજ્ઞાનિક સત્યને સ્વીકારું છું કે જેમની પાસે સક્રિય દિમાગ હોય એને જ નાના-મોટા સવાલો પેદા થતા હોય, પણ ક્યારેક ક્યારેક વરસના વચલા દા'ડે મને એકાદ સવાલનો સણકો ઊપડતો હોય છે. આનો અર્થ એ થયો કે, વાહ.. આપણી પાસે, આઇ મીન, મારી પાસે દિમાગ જેવું કંઈક તો છે! એ વિના કંઈ સવાલ પેદા થતો હોય? દિમાગ સક્રિય છે કે નિષ્ક્રિય એ મહત્ત્વનું નથી. મહત્ત્વનું એ છે કે મારે પણ એક દિમાગ છે!
પ્રવાસ કરનારાના અને પ્રવાસ આયોજકના કયા કયા અને કેવા કેવા પ્રવાસિક હેતુઓ હશે એ વિશે હું પ્રવાસચિંતન કરતો’તો ને ત્યાં જ મોબાઇલ રણક્યો. પૂછપરછ કર્યા પછી જાણ્યું કે કોઈ પ્રવાસ આયોજકનો ફોન હતો.
હમણાં ‘ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સ' કંપનીના એક ઑર્ગેનાઇઝરને મળવાનું થયું. આમ તો હું લાંબા કે ટૂંકા પ્રવાસો બહુ કરતો નથી. સ્વભાવ પહેલેથી જ પરોપકારી, એટલે પ્રવાસનું આયોજન કરનારને કોઈ દિવસ તકલીફમાં નહીં મૂકવો એ જ મારો આદર્શ. પણ વિધાતાએ જેમના યોગમાં આવવાનું લખ્યું હોય એના યોગમાં આપણે આવવું જ પડે છે, આપણાથી એમાં લેશમાત્ર ફેરફાર થઈ શકતો નથી. એમ કેટલાક પ્રવાસ આયોજકોના નસીબમાં હું લખાયો હોઉં એટલે મારે પ્રવાસમાં જોડાવું પડતું હોય છે. વન-વે લવની જેમ ક્યારેક નસીબ પણ વનવેમાં માનતું જ હશેને, એ વિના આવું થોડું બને?
هذه القصة مأخوذة من طبعة May 27, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة May 27, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)
બિઝનેસ પ્લાન બનાવી આપનારા એક્સ્પર્ટો પાસે તમે જે બિઝનેસ કરવાની ઇચ્છા ધરાવતા હોવ એને લગતો એક બિઝનેસ પ્લાન બનાવડાવો. આવો પ્લાન બનાવવા જાણકારો ચારથી લઈને બાર અઠવાડિયાં કે એથી પણ થોડો વધુ સમય લે છે
મુવી-ટીવી
થિયેટર કરતો હોઉં ત્યારે વિદેશી ફિલ્મોને પણ ના પાડી દઉં: મકરંદ દેશપાંડે ‘રજાકાર’ ફિલ્મમાં ખલનાયક નિઝામનો રોલ કરનારા મરાઠી રંગભૂમિ અને હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા મકરંદ દેશપાંડેએ ‘અભિયાન' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે હિન્દી ઉપરાંત કન્નડ, મલયાલમ, તમિલ અને મરાઠીમાં ફિલ્મો કરી છે. ‘સરફરોશ', ‘સ્વદેશ’, ‘બુઢ્ઢા... હોગા તેરા બાપ' અને ‘ડરના જરૂરી હૈ' તેમની જાણીતી ફિલ્મો છે.
ગાર્ડનિંગ
પ્રુનિંગ એટલે શું અને તે કેમ જરૂરી છે?
લાફ્ટર વાઇરસ
સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!
બિંજ-થિંગ
Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા
પ્રવાસન
ચંબા વેલીનો ચાર્મ, ડેલહાઉસી
તસવીર કથા
સાળંગપુરમાં મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ફૂલદોલ ઉત્સવ ઊજવાયો
બીજાને જજ કરવા કરતાં જાતને મૂલવવી એટલે સ્વયંનું સ્વચ્છતા અભિયાન...
તંદુરસ્ત હો તો ક્યારેક રક્તદાન કરી દેવું એ કૃષ્ણ જેને કર્મ એ કહે એવું કામ છે. પોતે ફેક્યો ન હોય એવો કચરો ઉપાડીને કચરાટોપલીમાં નાખી દેવો એ પણ ગીતાકારને ગમે એવું કામ છે.
સાંપ્રત
ઇઝરાયલ અને ઈરાનનો ટપલીદાવ
અસ્મિતા કે અહંતા?
* રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે કાંઈ ચાલે છે તેમાં નાર્સિસિઝમ છે? * ગ્રીક પાત્ર નાર્સિસસ તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોઈને પોતાના પ્રેમમાં પડી જાય છે, નાર્સિસિઝમનો મુદ્દો સાચી રીતે સમજવો પડે. * અસ્મિતા શબ્દને નાર્સિસિઝમ સાથે સંબંધ છે? અસ્મિતા અંગે આપણે કેટલા સાચા છીએ, કેટલા ભ્રમમાં છીએ?