પીપાવાવનું નામ દુનિયાના સાત સમંદરોમાં જાણીતું થયું છે
ABHIYAAN|January 28, 2023
ખુદ સૌરાષ્ટ્ર, ગુજરાત અને ઉત્તર ભારત મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ખૂબ આગળ વધી રહ્યા છે. મુન્દ્રા ઉપરાંત પીપાવાવ એ ઉત્પાદન ક્ષેત્રો માટેના દરવાજા તરીકે કામ આપશે
વિનોદ પંડ્યા
પીપાવાવનું નામ દુનિયાના સાત સમંદરોમાં જાણીતું થયું છે

પાત્રીસેક વરસ અગાઉ નેધરલૅન્ડ્સના એક નિવૃત્ત સજ્જન નામે બ્રાયન મુંબઈમાં આ લેખકને મળ્યા હતા. એ પછી સારા મિત્ર બની ગયા. દિવસો સુધી સાથે રહ્યા. ગુજરાતનો નકશો બતાવ્યો તો એ ખંભાતના અખાત તરફ અંગુલિનિર્દેશ કરીને બોલ્યા કે અમારે ત્યાં નેધરલૅન્ડ્સમાં આવી સામુદ્રિક સ્થિતિ હોય તો અમે તેમાં એક મોટો ડેમ બાંધી દઈએ. ત્યારે એમને ખબર ન હતી કે ગુજરાતમાં પણ કલ્પતરુ ડેમ બાંધવાની ચર્ચા હતી. એમણે પોર્ટ આલ્બર્ટ વિક્ટર વિષે પણ ચર્ચા કરી. એ કહેતા કે ભારતે દરિયાકાંઠાનો લાભ ઉઠાવ્યો નથી. વિક્ટર બંદર ઠપ થઈ ગયું હતું. અંગ્રેજોએ તેની શરૂઆત કરી ત્યાં સુધી રેલવે લાઇન નાખી હતી, પરંતુ બંદરનો એવો મોટા ગજાનો વિકાસ થયો ન હતો અને અંગ્રેજોના જવા સાથે બંદર બંધ પડી ગયું. નાનકડી નૅરોગેજ રેલ લાઇન હતી તે પણ બંધ પડી હતી. એ સ્ટેશન પરનું ગામ રહી ગયું જે વિક્ટર તરીકે ઓળખાય છે. બાજુના ચાંચ બેટ પર ભાવનગરના મહારાજાએ સુંદર રિસોર્ટ જેવો બંગલો બંધાવ્યો હતો. તેનું બાંધકામ મનભાવન હતું, પણ ૧૯૪૫-૪૬માં તેનું બાંધકામ પૂરું થયું અને તેની સાથે રાજાશાહી પણ સમાપ્ત થઈ. વરસો સુધી એ બંગલો અવાવરું પડી રહ્યો.

આજે ફરી એ બધાના ખૂબ સારા દિવસો આવ્યા છે અને તેનો યશ નિખિલભાઈ ગાંધીના સાહસિક સ્વભાવને જાય છે, જેમણે વિક્ટર અર્થાત્ પીપાવાવ બંદરનો જીર્ણોદ્ધાર કર્યો. એ કામ નેવાનાં પાણી મોભે ચડાવવા બરાબર હતું, પણ એ એમણે કર્યું. આજે નિખિલભાઈ પીપાવાવ બંદરની માલિકી ધરાવતા નથી, પણ પીપાવાવ બંદર દુનિયાના નકશામાં સ્થાન પામ્યું છે. કોલકાતાથી નાગરવેલના પાન ટ્રેનમાં લાવીને મુંબઈમાં વેચવા અને મુંબઈથી રમકડાં લઈ જઈ કોલકાતામાં વેચવા એ નિખિલ ગાંધીનો પ્રારંભનો વેપાર. ક્રમશઃ વિકાસ સાધીને પીપાવાવ બંદર નવેસરથી શરૂ કર્યું. અનેક અસહ્ય લમણાઝીંકો બાદ રિલાયન્સને બંદરના કામકાજનો અમુક હિસ્સો વેચી દીધો. નિખિલભાઈએ સહન પણ કરવું પડ્યું. એ પાનવાળા નિખિલભાઈ આજે અમેરિકાની પ્રતિષ્ઠિત વ્હાર્ટન બિઝનેસ સ્કૂલમાં લેક્ચરો આપવા જાય છે, જ્યાં ભારતના ધનિક કુટુંબનાં સંતાનો ભણવા જાય છે. વ્હાર્ટન સ્કૂલમાં વોરેન બફેટ, એલન મસ્ક, સુંદર પિચાઈ, ડોનાલ્ડ ટ્રમ્પ, ઇવાન્ડા ટ્રમ્પ અને આપણા અનિલ અંબાણી પણ ભણ્યા છે. યાદ રહે કે મૂળ અમરેલીના નિખિલ ગાંધી કોલકાતામાં માત્ર બી.કોમ. સુધી જ ભણ્યા હતા.

هذه القصة مأخوذة من طبعة January 28, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة January 28, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

શું કરી શકો છો? શું ન કરવું જોઈએ?

time-read
3 mins  |
May 25, 2024
મૂવી-ટીવી
ABHIYAAN

મૂવી-ટીવી

કરણ જોહરથી લિસા રે સુધીઃ કોઈ સિંગલ ફાધર તો કોઈ ટ્વિન્સના પેરેન્ટ્સ

time-read
2 mins  |
May 25, 2024
ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ
ABHIYAAN

ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: અસીમ તક આપતું શાનદાર કરિયર

time-read
2 mins  |
May 25, 2024
જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!
ABHIYAAN

જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!

વ્યક્તિમાં શીખવાની દૃષ્ટિ હોય તો વ્યક્તિ કલાપીની પંક્તિઓની જેમ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે...’ત્યાં ત્યાંથી એ શિક્ષિત થતો રહે છે.

time-read
2 mins  |
May 25, 2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

યુદ્ધભૂમિ પર જન્મેલું કલા સ્વરૂપ: અફઘાન વાર રગ્સ

time-read
4 mins  |
May 25, 2024
કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા
ABHIYAAN

કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા

બાંધણી, રોગાન કે અજરખ જેવી હસ્તકલા માટે કચ્છ જાણીતું છે. કચ્છના કસબીઓની વંશપરાપરાગત કલાઓને જી.આઈ. ટેગ મળી રહ્યો છે. જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતાં મૂળ કલાની નકલના કામ ઉપર અંકુશ આવશે. સાચા કસબીઓની માગ વધશે, સાચી કલાને સંરક્ષણ મળશે અને નકલ કરનારા ઉપર કાયદેસર પગલાં પણ લઈ શકાશે.

time-read
5 mins  |
May 25, 2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

નાઇક્ઃ મૃત્યુના સાક્ષાત્કારની ૨૭ સેકન્ડ

time-read
7 mins  |
May 25, 2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ

time-read
8 mins  |
May 25, 2024
રાજકાજ ગુજરાત
ABHIYAAN

રાજકાજ ગુજરાત

સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો

time-read
2 mins  |
May 25, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?

time-read
2 mins  |
May 25, 2024