એમની જન્મભૂમિ રાજકોટ, ઉછેરભણતર-ગણતર મુંબઈમાં અને કર્મભૂમિ રહી મહારાષ્ટ્રની સાંસ્કૃતિક, આધ્યાત્મિક નગરી સોલાપુર. નામ નયન જોશી. વિદુષી નારી નયન જોશી વિશે વધુ જાણીએ એ પહેલાં આ વાંચો. ચિત્રલેખાનો આ અંક આપના હાથમાં હશે ત્યારે માગશર સુદ દશમ અને ૨૨ ડિસેમ્બરે દેશ-દુનિયામાં ભાવિકો ગીતાજયંતી ધામધૂમથી ઊજવતા હશે.
આશરે પાંચ હજાર વર્ષ પહેલાં, કુરુક્ષેત્રના રણાંગણમાં યુદ્ધના આરંભે શ્રીકૃષ્ણ અને અર્જુનના સંવાદ રૂપે પ્રગટેલી શ્રીમદ્ ભગવદ્ગીતા કેવળ હિંદુપરંપરા જ નહીં, બલકે પૃથ્વી સમસ્તની માનવજાતિ માટે અધ્યાત્મ અને જીવનવ્યવહારની દીક્ષા આપતો એક અદ્ભુત ગ્રંથ છે. આ ઉપદેશ માનવજીવનની અનેક સમસ્યાનો ઉકેલ કરી આપે છે. જ્ઞાન, ભક્તિ અને કર્મની ત્રિવેણી સમી ગીતાની ખૂબી એ છે કે એમાં શરૂઆતમાં પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા છે, મધ્યમાં એ પ્રશ્નોના ઉત્તર અથવા સમાધાન છે ને અંતમાં છે શરણાગતિ.
મહાભારત મહર્ષિ વેદવ્યાસે રચ્યું અને ગીતા પણ મહાભારતનો એક ભાગ છે એટલે ગીતાના રચિયતા કોણ છે એ ટીવી શો કૌન બનેગા કરોડપતિ? ના સાત કરોડ રૂપિયાનો પ્રશ્ન નથી. જો કે કોઈને એવી જિજ્ઞાસા થાય કે હાલ જે ગીતાગ્રંથ ઉપલબ્ધ છે તે છંદોબદ્ધ શ્લોક રૂપે જ ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને બોધ આપ્યો હશે? શું અર્જુને પણ શ્લોક સ્વરૂપે પોતાની સમસ્યા મૂકી હશે? ના. વસ્તુ એવી છે કે યુદ્ધ સમયે જે કંઈ બન્યું, અર્જુને જે જિજ્ઞાસા વ્યક્ત કરી, ભગવાન શ્રીકૃષ્ણએ એનું સમાધાન કર્યું, ઉપદેશ આપ્યો એ સંપૂર્ણ વૃત્તાંતને મહર્ષિ વેદવ્યાસજીએ શ્લોકબદ્ધ કરી મહાભારત ગ્રંથમાં ગૂંથી લીધો. એટલે ગીતાને શાસ્ત્રનું સ્વરૂપ આપી ગૂંથનારા તો મહર્ષિ વ્યાસજી જ છે.
This story is from the January 01, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the January 01, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
નયા હિંદુસ્તાન... નયા સિનેમા!
દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે એક નજર ઈલેક્શન્સ પહેલાં આવેલી અને હવે આવનારી કેટલીક પોલિટિકલ ફિલ્મો પર.
સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..
સંસદમાં મહિલા અનામતની વાત થાય છે, પણ ચૂંટણીમાં પૂરતું પ્રતિનિધિત્વ કેમ મળતું નથી?
સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?
માતા અને બાળક વચ્ચે ભાવનાત્મક સંબંધ બાંધી આપે છે બ્રેસ્ટ ફીડિંગ.
હું અમદાવાદની રિક્ષાવાળી...
પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનારી અમદાવાદી યુવતી પતિનો સ્નેહ-સથવારો છૂટ્યા પછી એના પગલે ચાલવા માટે રિક્ષાચાલક બની. એની આ સંઘર્ષભરી સફર બીજી મહિલાઓને પણ નવી દિશા સૂચવે એવી છે.
વિકાસયાત્રા સામે કપરાં ચઢાણ બનતા વૈશ્વિક પડકાર
૨૦૧૪ પછીના દાયકામાં મોદી સરકારે આર્થિક, સામાજિક અને રાજકીય મોરચે ઘણી સફળતા પ્રાપ્ત કરી, હવે ચૂંટણી બાદ મોદી સરકાર જ પાછી સત્તા પર આવવાની આશા-વિશ્વાસ ભલે ઊંચાં રહ્યાં, પણ આપણી પ્રગતિમાં અંતરાય આવવાના જ છે.
ડી. ગુકેશઃ વિશ્વ શતરંજનો નવો સિતારો
ચેસની રમતના વર્લ્ડ ચૅમ્પિયનને પડકાર આપે એવા ખેલાડીને શોધવા માટે થતી સ્પર્ધાના ભારતીય વિજેતાને ઓળખી લો.
સુરતઃ ચૂંટણી ભલે ન થાય, પ્રચારસામગ્રી તો અમારી જ!
લોકસભા ઈલેક્શન સુરતની કાપડબજારને કરાવશે કરોડોનો વકરો.
અમારે ગામને સ્માર્ટ નહીં, નંદનવન બનાવવાં છે!
સમસ્ત મહાજનના ગિરીશભાઈનો સંકલ્પ... પ્રાચીન ભારતમાંનાં ગામો સ્વાવલંબી અને તંદુરસ્ત હતાં અને એ મંત્રના આધારે ગુજરાતનાં ત્રણ ગામોનો મોડેલ ગામ તરીકે વિકાસ કરાયો છે. ત્યાંનો ગાંડો બાવળ સાફ કરાયો છે, જળાશયોમાંથી કાંપ કાઢી એને ઊંડાં કરાયાં છે, નવાં ગોચર ઊભાં કરાયાં છે અને હા, ચાર હજાર દેશી વૃક્ષોનું રોપણ પણ કરાયું છે. આનાં પરિણામ એકદમ સકારાત્મક જોવા મળી રહ્યાં છે.
મને માફ કરો...આઈ ઍમ સૉરી...
જાણતાં-અજાણતાં થયેલા મન દુભાવનારા વાણી-વ્યવહાર માટે માફી માગી લેવાની અને આપવાની પરંપરા હજીય જીવંત છે. બીજી બાજુ, અમુક લોકો સ્વાર્થી હેતુસર કે પ્રતિપક્ષને અપમાનિત કરાવવા માફી મગાવવાની જીદ લે છે. આવો, જાણીએ માફીનામાની રસપ્રદ વાતો.
તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર
આઝાદીનાં આરંભનાં વર્ષોમાં ભારતીયોએ અનેક ફૂલગુલાબી સપનાં જોયાં. કમનસીબે એ વખતે આપણો પનો ટૂંકો પડ્યો. હવે જો કે લોકોને ફરી આશા બંધાઈ છે. એક નવી ઉમ્મીદ સાથે નવી સવાર પડી છે.