૨વિની ઉંમર ૪૦ વર્ષની છે. એ મલ્ટિનૅશનલ કંપનીમાં સારા પગારે કામ કરે છે. એણે અત્યારથી જ પોતાનું વસિયતનામું બનાવી રાખ્યું છે. મેઘના હજી હમણાં ૩૭ની થઈ. એ પણ પોતાનું વિલ તૈયાર કરી રહી છે તો ૪૫ વર્ષના રોહિતે એ માટે પોતાના ફાઈનાન્સિયલ પ્લાનરની સલાહ લેવા માંડી છે.
બીજી બાજુ,બિઝનેસમૅન મહેશભાઈ ૬૫ના થયા છે, પણ એમણે હજી વસિયતનામું બનાવવાનો વિચાર કર્યો નથી. હિનાબહેન બે વરસ પહેલાં બૅન્કની નોકરીમાંથી નિવૃત્ત થયાં છે. એમની પાસે સારીએવી બચત-મિલકત છે, પરંતુ એમને અત્યારે વિલ બનાવવાની જરૂર લાગતી નથી. આમ જૂની પેઢી ઉંમરના ઢળતા પડાવ પર હોવા છતાં વિલ બનાવવા ઉત્સુક નથી કે વિચારતી નથી, જ્યારે હજી ૩૫થી ૪૫ વર્ષની વચ્ચેની વિલનો વિચાર જ નહીં, એ બનાવવાનો અમલ પણ કરવા લાગી છે. અલબત્ત, એ ચાહે ત્યારે વિલમાં ફેરફાર કરી શકે છે, પણ એણે એક વિલ તો બનાવ્યું જ છે. આજની પેઢી માને છે કે જીવનમાં ફાઈનાન્સિયલ પ્લાનિંગ સાથે વિલ બનાવી રાખવું પણ આવશ્યક છે. ૨૦૨૦-૨૦૨૧ના કોવિડના કપરા કાળે યુવાપેઢીમાં બચત-રોકાણ સાથે વિલનાં મહત્ત્વનાં બીજ રોપી દીધાં હતાં, જે હવે ધીમે ધીમે નવી જનરેશનમાં ટ્રેન્ડ બનતો જાય છે. કમનસીબે, જૂની પેઢી હજી પણ આ બાબતે હોવી જોઈએ એટલી જાગ્રત થઈ નથી.
વિલ બનાવવાનું મહત્ત્વ
કોવિડ કાળમાં અનેક લોકોનાં અણધાર્યાં મોત જોયા બાદ અને હવેના સમયમાં તબીબી વિજ્ઞાનના વિકાસ વચ્ચે પણ યુવાવયમાં હાર્ટ અટેક, બ્રેન સ્ટ્રોક, ડાયાબિટીસ, કૅન્સરના વધતા કિસ્સા, વગેરેએ યુવાપેઢીને વિલ બનાવવાની નક્કર શીખ આપી છે. ઊંચા પગાર સાથે કામ કરતા યુવા અધિકારીઓ અને વિવિધ વ્યવસાયમાં સફળ કારકિર્દી ધરાવતા યુવાનોમાં પોતાના પરિવારનાંહિતમાં વિલ બનાવી રાખવાનું મહત્ત્વ વધતું રહ્યું છે. આ લોકો જીવનની વાસ્તવિકતા અને અનિશ્ચિતતાનો સ્વીકાર કરતાં થઈ ગયા છે. પોતાના આકસ્મિક મૃત્યુ બાદ પરિવારજનો-સ્વજનોને મિલકત મેળવવામાં મુશ્કેલી ન પડે અને આ કામ સરળતાથી પાર પડે એ ઉદ્દેશ સાથે આજની યુવાપેઢી જીવનના મધ્ય પડાવમાં જ વિલ બનાવી લેવાનું મુનાસિબ માનવા લાગી છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin January 29, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin January 29, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?
મોદી સરકાર ઈસ બાર કિતને પાર...નું પરિણામ આવવાને થોડા દિવસની જ વાર છે. આવા નાજુક સમયમાં આર્થિક જગતની નજર શૅરબજાર, વિદેશી રોકાણના પ્રવાહ તેમ જ વેપાર-ઉદ્યોગ વિશે ટોચના નેતાઓનાં નિવેદન પર હોય એ સ્વાભાવિક છે.
સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી
દરિયો ભરીને જમીન પેદા કરવાનો માલદીવ્સનો પ્રોજેક્ટ એક તરફ કૂવો અને એક તરફ ખાઈ હોય ત્યારે આપણે કૂવામાં કૂદવાનું પસંદ કરીએ, કેમ કે ત્યાં ખાઈ કરતાં બચવાના ચાન્સ વધારે હોય. હમણાં ભારતના શત્રુ બની બેઠેલા ટાપુરાષ્ટ્ર માલદીવ્સે પણ એક ભૌગોલિક વિનાશથી બચવા કૂવામાં કૂદવાનું નક્કી કર્યું, પણ... જાણીએ, શું છે આખો મામલો?
બાળક તરીકે આપણે કેવાં છીએ?
સંયુક્ત કુટુંબવ્યવસ્થા જેની ઓળખ છે એવા આપણા દેશમાં વડીલોની હાલત પણ જાણી લો.
બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!
નકારાત્મક લાગણી અનુભવવી કોઈને ગમતી નથી, પણ ખરેખર તો આ લાગણી તંદુરસ્ત જીવન માટે જરૂરી છે.
યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...
ક્યારે ખાવ છો, શું ખાવ છો અને ભૂખ લાગે ત્યારે જ ખાવ છો... આ બધું જરૂરી છે સ્વાસ્થ્ય જાળવવા માટે.
લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!
એમનું ધ્યેય એક જ છે, ગમે તે રીતે લોકોને વ્યાયામ કરતાં કરવા. વર્ષોથી મુંબઈના જુહૂ બીચ પર ફિટનેસના વિનામૂલ્ય વર્ગો લેતાં આ મહિલાની લગનીને ખરેખર બિરદાવવા જેવી છે.
પાઠ્યપુસ્તકો પસ્તીમાં ન પધરાવો... સાવધાન!
વૅકેશન પડે એટલે વિદ્યાર્થીઓ વીતી ગયેલા વર્ષની ટેક્સ્ટ બુકનો નિકાલ કરવાની વેતરણમાં લાગી જાય, પણ આ પુસ્તકો પોતાની પછીના વર્ષના જરૂરતમંદ સ્ટુડન્ટ્સને મળે એવું કંઈક એ કરે તો? ગુજરાતમાં અનેક સંસ્થા ‘એક હાથ સે લેના... એક હાથ સે દેના...’ જેવું સ્તુત્ય કામ પાઠ્યપુસ્તકોના રિ-યુઝ માટે કરી રહી છે.
અવરોધો ઊભા કરવાની કળા
ચાહે છે કે આંબા ઊગી નીકળે કિન્તુ જ્યાં ને ત્યાં વાવી બેઠા છે બાવળ બાવળ. - બાલકૃષ્ણ સોનેજી
સોશિયલ મિડિયા સાથેની દોસ્તી નોકરી માટે ખતરારૂપ
શું સોશિયલ મિડિયાના વપરાશના લીધે નોકરી જઈ શકે? કારકિર્દી જોખમમાં આવી શકે? બિલકુલ. જો તમારો સોશિયલ મિડિયા પ્રોફાઈલ, તમારી પોસ્ટ તમને બેજવાબદાર રજૂ કરે તો નોકરી જઈ શકે, નવી નોકરી મળી પણ ન શકે.
ડાયાબિટીસ કાબૂમાં રાખવા સ્વીટનર ખાવ છો? તો તમે ખાંડ ખાવ છો!
મીઠી સાકરની બીમારી હોય તો સાકરને બદલે ઘણા લોકો સ્વીટનર પર પસંદગી ઉતારે છે. એમાંય હવે તો સ્ટિવિયા વનસ્પતિનો સ્વીટનરમાં ઉપયોગ થવા લાગ્યો છે. જો કે બધું પીળું સોનું હોતું નથી એમ ભેળસેળને કારણે સ્ટિવિયામાંથી બનતી બધી ચીજો આરોગ્યપ્રદ હશે એમ માની લેવાની ભૂલ કરવા જેવી નથી.