કહેવાય છે કે જેને સંગીતમાં રસ હોય એના કાન સંગીત સિવાય બીજું કશુંય સાંભળવા માટે ટેવાયેલા જ નથી હોતા. ના, સગી વાઇફનું પણ સાંભળે નહીં, અંજામ જે આવવો હોય એ આવે.
અમારા એક સંબંધી બહેન છે, એમનાં પુત્રવધૂને નાનપણથી જ ગાવાનો ભયંકર શોખ. આવા શોખને કારણે તો ૪૦ વર્ષ પછી માંડ-માંડ એમનું લગ્ન થઈ શક્યું. એ તો આભાર માનો એમના પતિનો, કે એમની શ્રવણશક્તિ લગ્ન પહેલાં જ રિટાયર્ડ ગઈ હતી. ઈશ્વરને કેટકેટલાંનું કેવું-કેવું ધ્યાન રાખવું પડે છે, નહીં? આપણો બાબુ બૉસ પણ આમાં બાકાત નથી.
બાબુ બૉસને આમેય સંગીતનો શોખ ભારે. સાંભળનારને સમજાય કે ન સમજાય, પણ જ્યારે એને ગાવાનો ઍટેક આવે એટલે એ ઝાલ્યો ન રહે. એને પકડી રાખવો પડે.ભાઈ બાબુ આપણે એને પૂછીએ કે, ‘આ કયા રાગમાં તું ગાય છે?’ ત્યારે એકદમ ગાવાનું બંધ કરીને, આંખો બંધ કરીને કહે: ‘હું ગાઉં છું એ મહત્ત્વનું છે, શું ગાઉં છું એ મહત્ત્વનું નથી. સાંભળ્યા પછી તમે જ રાગ નક્કી ન કરી શકતા હો, તો ધૂળ પડી તમારા કાનમાં, એટલે કે... તમારા સાંભળવામાં.' આટલું કહી, વળી પાછો એ ગાવાના હળવા હુમલાનો ભોગ બની જતો
જ્યારથી બાબુ બૉસે ઘરમાં હાર્મોનિયમ અને વાયોલિન લાવવાનું નક્કી કર્યું ત્યારથી જુનિયર બૉસે, એટલે કે બાબુના પુત્ર ઝિંચુએ મનમાં ને મનમાં ગુટરગુ...ગુટરગુ... કરવાનું શરૂ કરી દીધું. બટકબોલાં બબિતા- ભાભી તો પોતાની જાતને દિલરુબા તરીકે જ માનીને વગર મૂછે સ્મિત કરતાં થઈ ગયાં, પણ એમના પડોશી પૂનમ પકોડી તો અમાસનું અંધારું ઓઢી લીધું હોય તેવાં થઈ ગયાં. એકવાર તો બાબુની ‘તાનસેની’ આખા ફ્લેટમાં એવી તો રેલાઈ ગઈ કે પૂનમ પકોડીએ તો કોઈ હાડોહાડ કવિની અદાથી મધુર ભાવે વિનંતીનો સૂર કાઢીને કહેલું પણ ખરું કે, ‘હે કાનસેનભાઈ... માફ કરજો...
હે તાનસેનભાઈ, તમારા સંગીતથી મારા કાન ભીંજાઈ ગયા છે. એનો મનેઆનંદ છે, પણ હવે તો ફોગાઈ જવા આવ્યા છે. કાન જ જતા રહેશે તો તમારા સંગીતનું કર્ણપાન હું નહીં કરી શકું. માટે સંગીતના પૂર્વસૂરિઓના વંશજ! તું મારા કાન પર નહીં, નો તારી કરિયર પર, ખમૈયા કર... બાપલા બમૈયા... આ...આ... કર.’ અને ત્યારથી બાબુ બૉસનું સંગીત અટકી જતું.
Bu hikaye ABHIYAAN dergisinin February 10, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin February 10, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
વાયરલ પેજ
એકો ચેમ્બરઃ પડઘાની દુનિયામાં ડૂબવું નહીં
ચર્નિંગ ઘાટ
પ્રવાસ વર્ણન કેવી રીતે કરશો?
એનાલિસિસ
નવી સરકાર કોની હશે અને કેવી હશે?
રાજકોટનો અગ્નિકાંડ
હાઈકોર્ટ, સરકાર અને વહીવટી તંત્ર
વિઝા વિમર્શ,
એફ-૧ સ્ટુડન્ટ વિઝા સ્ટેપ બાય સ્ટેપ
‘ગદર-૨' જેવો ધમાકો કરી શક્શે સની દેઓલની લાહોર ૧૯૪૭’?
સની દેઓલ – રાજકુમાર સંતોષી – આમિર ખાનની આગામી ફિલ્મ ‘લાહોર ૧૯૪૭’ વિશેની રસપ્રદ જાણકારી
લાફ્ટર વાઇરસ
એક ‘ઉમેદ’વાદી ઉમેદવારનું વચનબદ્ધ પ્રવચન!
આપણા પૂર્વજોએ ભોજનને ઈશ્વર કેમ માન્યું હશે?
વ્યક્તિ જ્યારે ચાર જણા વચ્ચે પોતાનું ટિફિન ખોલે ત્યારે એ ટિફિન એના પરિવારનું પ્રતિનિધિત્વ કરતું હોય છે. ટિફિન એ ત્રણ ચાર ડબ્બાઓમાં સાથે લવાયેલું ઘર છે.
કચ્છનાં બાળકો ભણી રહ્યાં છે સંસ્કૃતમાં
ગયા જમાનાની મનાતી ભાષા સંસ્કૃતનો પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી કચ્છમાં ત્રણ પાઠશાળા ચાલે છે. દર અઠવાડિયે અને વૅકેશન દરમિયાન સંસ્કૃત સંભાષણના વર્ગો પણ ચાલે છે. ભલે બહુ ઓછી સંખ્યામાં વિદ્યાર્થી સંસ્કૃત શીખે છે, પરંતુ લોકોનો ઝુકાવ આ ભાષા તરફ વધ્યો છે એ નક્કી. જોકે મોટા ભાગના વિદ્યાર્થીઓ કર્મકાંડી થવા માટે જ પાઠશાળામાં આવે છે, પરંતુ અહીંથી શીખીને બહાર આવેલા સંસ્કૃત બોલી, વાંચી, લખી શકે છે. તેઓ સંસ્કૃત ગ્રંથોનું વાંચન કરવા, સાહિત્ય રચવા પણ સક્ષમ બની શકે છે.
જ્યાં પ્રવેશ માટે માર્કશીટ જોવામાં નથી આવતી
એક એવી શાળા જેના આંગણે આવનાર દરેક વિદ્યાર્થી શિક્ષણનો હકદાર છે