ભારતમાં સ્થિત અનેક વિષ્ણુ મંદિરોમાં તિરુવનંતમપુરમનું શ્રી પદ્મનાભસ્વામી મંદિર અતિ સમૃદ્ધ વિષ્ણુ મંદિર ગણાય છે. જ્યારે ઉત્તરાખંડમાં સ્થિત બદ્રિનાથ મંદિર તો દર વર્ષે લાખોની સંખ્યામાં આવતા યાત્રીઓથી જ સમૃદ્ધિનાં શિખરો આંબતું રહે છે.
બીજું કે વિષ્ણુના ૧૦૮ દિવ્ય ક્ષેત્રના ભારત દેશમાં ભગવાન વિષ્ણુનાં મંદિરો આજન્મ પ્રવાસીએ તો પણ બાકી રહે તેટલાં છે અને તેવા અખૂટ ખજાનામાંનું એક મંદિર છે ઉત્તર ગુજરાતનું આપણું શામળાજીનું મંદિર.
ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકામાં સ્થિત આ ઐતિહાસિક વિષ્ણુ મંદિર મેશ્વો નદીના કાંઠે આવેલું છે. અરવલ્લીની પર્વતમાળાથી ઘેરાયેલું શામળાજીનું આ મંદિર પ્રાચીન કાળમાં હરિશ્ચંદ્રપુરી, રુદ્ધેયા, ગદાધર ક્ષેત્ર વગેરે નામે ઓળખાતું હતું. ગુજરાતના સીમાડે લગભગ મેવાડની ધાર પર સ્થિત આ મંદિર ગુજરાતના પંદરમી સદી પછી બંધાયેલાં મંદિરોમાં ઉત્તમ તો ગણાય જ છે, પરંતુ અરણ્યનું સૌંદર્ય લઈને લાખો લોકોને આકર્ષતું આ મંદિર તેના શિલ્પ સૌંદર્યને કારણે સ્થાપત્ય પ્રેમીઓનું પણ ચહિતું ગંતવ્ય છે.
જગતીનો વિશાળ ભાગ ધરાવતાં આ ઉત્તરાભિમુખ મંદિરમાં મૂળ સ્થાન તો ભગવાન ગદાધરનું મંદિર છે જે મોટા હાથીઓવાળા પ્રવેશદ્વારમાં દાખલ થતાં જ વિશાળ ચોક વચ્ચે આવેલા સપ્તદલ દેવાલયરૂપે દેખાય છે. ગજથર અને તોરણવાળા મુખ્ય પ્રવેશદ્વાર સામે જ મંદિરનાં પગથિયાં નજરે ચડે છે અને નજરે ચડે છે ચાલુક્ય શૈલીનું બે માળનું શામળાજીનું મંદિર પણ.
અહીંના વનવાસીઓમાં ધોળીધજા તરીકે ઓળખાતા આ મંદિરનાં પગથિયાં ચડ્યા પછી સભામંડપ, અંતરાલ અને ગર્ભગૃહ આવે છે. આમ જુઓ તો મંદિરની અંદરની દીવાલો પર અને મંદિરના સ્તંભો ઉપ૨ પણ મોઢેરાના સૂર્યમંદિરના સ્તંભો પર જોવા મળે છે એટલું કોતરકામ નથી, પરંતુ ફૂલવેલ જેવી આકૃતિ ધરાવતાં સ્તંભો ચોરસ, અષ્ટકોણ અને ગોળાકાર એવા ત્રણ કલાત્મક ભાગમાં વહેંચાયેલા છે.
Bu hikaye ABHIYAAN dergisinin September 02, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin September 02, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
એનાલિસિસ
ચૂંટણીમાં થતાં સર્વેક્ષણોની વિશ્વસનીયતા કેટલી?
રાજકાજ
કોરોના વેક્સિનની સાઇડ ઇફેક્ટ વધુ પડતી શંકાઓ નિરર્થક
કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ
દુશ્મનોથી નગરનું રક્ષણ કરવા માટે રાજાશાહી જમાનામાં કિલ્લાઓ બંધાતા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ખૂબ મોટા કિલ્લાઓ છે. ગુજરાતમાં સૌથી વધુ એટલે કે ૩૦૦થી વધુ કિલ્લાઓ કચ્છમાં છે. સિંધુ સંસ્કૃતિના સમયનાં નગરોમાં પણ કિલ્લાના અવશેષો જોવા મળે છે. કચ્છમાં સળંગ ૪૫૦ વર્ષ સુધી જાડેજા વંશનું શાસન રહ્યું છે. તેમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન રાજ કરનારા ૧૮ રાજવીઓએ કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું, તેમ જ તેમના ભાયાતો દ્વારા દરબારગઢોનું નિર્માણ થયું હતું. કોઈએ ગામગઢ પણ બનાવરાવ્યા હતા. જોકે આજે ભૂકંપનો માર અને આધુનિક કાળના વહીવટકર્તાઓની ઇતિહાસની સ્મૃતિ સાચવવાની બેદરકારીથી બહુ થોડા કિલ્લા, ગઢ સારી અવસ્થામાં છે. મોટા ભાગના કિલ્લામાં મુખ્ય દ્વાર, ઝરુખાઓ, પાયા, કોઠાના અવશેષો જ જોવા મળે છે.
પુસ્તક પરિચય
૧૯૬૫નું યુદ્ધ : કચ્છનો અંગભંગ કોના વાંકે?
કવર સ્ટોરી
સેક્સટૉર્શન અને એક્સટૉર્શન
એડવાન્ટેજ સિટીઝન્સ, શું પરિણામ આવશે?
ચૂંટણીમાં મત આપી આપણે ઉમેદવાર ચૂંટીએ છીએ, એ સાથે જ કઈ સાઇડના મતદાર જોડે ડિસએગ્રી થઈએ છીએ એ પણ સિલેક્ટ કરીએ છીએ. ૭ ભારતીય લોકશાહીનું સૌથી બળવાન પાસું એ છે કે લોકો પોતાને નકામો લાગે એ પક્ષને સત્તા પરથી ઉતારી મૂકી શકે છે. સૌથી નબળું પાસું એ છે કે વિપક્ષ બનાવ્યો હોય એ પક્ષ વિપક્ષ તરીકે નબળો લાગે તો તેને તેઓ વિપક્ષના પદ પરથી ઉતારી શકતા નથી.
ગાર્ડનિંગ
પ્રુનિંગ એટલે શું અને તે કેમ જરૂરી છે?
લાફ્ટર વાઇરસ
સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!
સાંપ્રત
ઇઝરાયલ અને ઈરાનનો ટપલીદાવ
એનાલિસિસ
પ્રથમ તબક્કામાં ઓછું મતદાન શું ઇશારો કરે છે?