સ્પિતી વેલી, અ વર્લ્ડ વિધિન અ વર્લ્ડ
ABHIYAAN|April 08, 2023
સ્પિતી વેલીનું વાતાવરણ ઠંડા રણપ્રદેશ જેવું છે એટલે કે ઉત્તરી ચાઇનાના ગોબીના રણ જેવું છે. એપ્રિલથી જુલાઈનો અહીંનો ઉનાળો દિવસની પંદર ડિગ્રીના તાપમાન સાથે સુક્કો છે રામપુર બુશેરથી છેક ખાબ સુધી આપણી સાથે વહેતી સતલજ સ્પિતી વૅલીમાં સ્પિતી નદીને મળે છે અને આપણને સતલજસ્પિતીનો સંગમ જોવા મળે છે પૂહ ગામના દ્વારે પહોંચતા જ આવા પ્રવાસી જલસાના અનેક અનુભવો ભેગા થઈ આપણા કર્ણદ્વારે આવીને કહે છે કે, હેવ અ કપ ઑફ સ્ટ્રોન્ગ કોફી ઓર ટી વિથ નમકીન બિસ્કિટ્સ
રક્ષા ભટ્ટ
સ્પિતી વેલી, અ વર્લ્ડ વિધિન અ વર્લ્ડ

ઉનાળો આવતાં જ ગુજરાતીઓ સમગ્ર વિશ્વના ઠંડા પ્રદેશો અને પ્રખ્યાત હોટ સ્પોટ પર પ્રવાસે નીકળી પડે છે, કારણ કે ગુજરાતીઓ પ્રવાસ પ્રેમીઓ છે અને પૈસા ખર્ચી જાણે એવી પ્રજા પણ છે. ખિસ્સા ગરમ હોય તેવા સમૃદ્ધો ભલે મોંઘાદાટ પેકેજીસમાં પરદેશ પ્રવાસે જાય, પરંતુ ભારતમાં અને ભારતમાં જ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ તરફની દોટ આજની તારીખે અકબંધ છે. એક તો સ્કૂલ-કૉલેજની પરીક્ષાઓ પૂરી થયાની ખુશી અને બીજું ૪૫ ડિગ્રીની જાલિમ ગરમીમાંથી પંદરેક દિવસ મુક્ત થવાનો ભાવ આવા ડેસ્ટિનેશન્સ તરફની દોટમાં મુખ્ય ભાગ ભજવે છે. તે ઉપરાંત બરફાચ્છાદિત દશ્યફલકોની હિમાલયની ટાઢક સૌનું સ્વર્ગીય આકર્ષણ પણ હોય છે.

લિંગતી વેલી-લિગતી નદી

હિમાલયના આવા પ્રવાસો, ટ્રેકિંગ કાર્યક્રમો અને સાહસિક પ્રવૃત્તિઓથી સભર કેમ્પિંગ પ્રોગ્રામ્સમાં કેટલાંક હિમાલયન સ્થળો અને પ્રદેશો વર્ષોથી લોકજીભે ૨મતાં રહ્યાં છે. કદાચ, સોમાંથી સત્તર કહે છે, અમે આ ઉનાળે મનાલી જવાના છીએ. પછીના બીજા સત્તર ટકા કહે છે, અમે શિમલા જવાના છીએ. પાત્રીસે પહોંચેલી આ ટકાવારીમાં વળી ઉમેરાય છે હરિદ્વાર-ઋષિકેશ અને ચારધામ યાત્રાળુઓ અને બાકીના અનેકો અલમોડા, નૈનિતાલ, કૌશાની, જાગેશ્વર-બાગેશ્વર, મુક્તેશ્વર, બીનસર, ડેલહાઉસી, ધર્મશાલા, મેક્લોડગંજ, ગુશેઈની, જીભી, લેહ-લદ્દાખ અને હિમાલયની પાર્વતી અને તીર્થનવેલી જેવી કેટલીક જાણીતી વેલીના પ્રવાસીઓ. પ્રવાસી જીવનમાં હિમાલય પ્રવાસનું ખાતું ખોલાવનાર એમેચ્યોર પ્રવાસીઓ ભલે શિમલા-મનાલી અને તેની આસપાસનાં પ્રાકૃતિક સ્થળોનો પ્રવાસ ખેડી હિમાલયનો વર્જિન સ્પર્શ મેળવે, પરંતુ વર્ષોથી હિમાલયની સ્વર્ગીય ખીણોનો ખોળો ખૂંદતા અસલ અને ઘડાયેલા રખડુઓએ તો પોતાના ખાતામાં કોઈ તાજ્જી, નવી અને રોમાંચક એન્ટ્રી પાડવી પડે અને પ્રવાસવું પડે કોઈ નવા પ્રદેશે.

હિમાલયન જંગલો, નદીઓ, પર્વતો, સર્પાકાર માર્ગો, સ્થાપત્યો, મંદિરો અને મ્યુરલ્સથી મહેકતા બૌદ્ધ મઠોના મેગ્નેટિક દશ્યલકો સાથે હજી કેટલાક હિમાલયન પ્રદેશોએ પોતાનું સત્ત્વ ટકાવ્યું છે અને એવા સાત્ત્વિક અને થોડા ઓછા એક્સ્પ્લોર થયેલા પ્રદેશોમાંનો ઠીક-ઠીક ઓછો જાણીતો એક પ્રદેશ છે, સ્પિતી વેલી.

Bu hikaye ABHIYAAN dergisinin April 08, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin April 08, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

ચૂંટણીમાં થતાં સર્વેક્ષણોની વિશ્વસનીયતા કેટલી?

time-read
4 dak  |
Abhiyaan Magazine 18/05/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

કોરોના વેક્સિનની સાઇડ ઇફેક્ટ વધુ પડતી શંકાઓ નિરર્થક

time-read
2 dak  |
Abhiyaan Magazine 18/05/2024
કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ
ABHIYAAN

કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ

દુશ્મનોથી નગરનું રક્ષણ કરવા માટે રાજાશાહી જમાનામાં કિલ્લાઓ બંધાતા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ખૂબ મોટા કિલ્લાઓ છે. ગુજરાતમાં સૌથી વધુ એટલે કે ૩૦૦થી વધુ કિલ્લાઓ કચ્છમાં છે. સિંધુ સંસ્કૃતિના સમયનાં નગરોમાં પણ કિલ્લાના અવશેષો જોવા મળે છે. કચ્છમાં સળંગ ૪૫૦ વર્ષ સુધી જાડેજા વંશનું શાસન રહ્યું છે. તેમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન રાજ કરનારા ૧૮ રાજવીઓએ કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું, તેમ જ તેમના ભાયાતો દ્વારા દરબારગઢોનું નિર્માણ થયું હતું. કોઈએ ગામગઢ પણ બનાવરાવ્યા હતા. જોકે આજે ભૂકંપનો માર અને આધુનિક કાળના વહીવટકર્તાઓની ઇતિહાસની સ્મૃતિ સાચવવાની બેદરકારીથી બહુ થોડા કિલ્લા, ગઢ સારી અવસ્થામાં છે. મોટા ભાગના કિલ્લામાં મુખ્ય દ્વાર, ઝરુખાઓ, પાયા, કોઠાના અવશેષો જ જોવા મળે છે.

time-read
5 dak  |
Abhiyaan Magazine 11/05/2024
પુસ્તક પરિચય
ABHIYAAN

પુસ્તક પરિચય

૧૯૬૫નું યુદ્ધ : કચ્છનો અંગભંગ કોના વાંકે?

time-read
2 dak  |
Abhiyaan Magazine 11/05/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

સેક્સટૉર્શન અને એક્સટૉર્શન

time-read
7 dak  |
Abhiyaan Magazine 11/05/2024
એડવાન્ટેજ સિટીઝન્સ, શું પરિણામ આવશે?
ABHIYAAN

એડવાન્ટેજ સિટીઝન્સ, શું પરિણામ આવશે?

ચૂંટણીમાં મત આપી આપણે ઉમેદવાર ચૂંટીએ છીએ, એ સાથે જ કઈ સાઇડના મતદાર જોડે ડિસએગ્રી થઈએ છીએ એ પણ સિલેક્ટ કરીએ છીએ. ૭ ભારતીય લોકશાહીનું સૌથી બળવાન પાસું એ છે કે લોકો પોતાને નકામો લાગે એ પક્ષને સત્તા પરથી ઉતારી મૂકી શકે છે. સૌથી નબળું પાસું એ છે કે વિપક્ષ બનાવ્યો હોય એ પક્ષ વિપક્ષ તરીકે નબળો લાગે તો તેને તેઓ વિપક્ષના પદ પરથી ઉતારી શકતા નથી.

time-read
8 dak  |
Abhiyaan Magazine 11/05/2024
ગાર્ડનિંગ
ABHIYAAN

ગાર્ડનિંગ

પ્રુનિંગ એટલે શું અને તે કેમ જરૂરી છે?

time-read
2 dak  |
Abhiyaan Magazine 04/05/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!

time-read
5 dak  |
Abhiyaan Magazine 04/05/2024
સાંપ્રત
ABHIYAAN

સાંપ્રત

ઇઝરાયલ અને ઈરાનનો ટપલીદાવ

time-read
8 dak  |
Abhiyaan Magazine 04/05/2024
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

પ્રથમ તબક્કામાં ઓછું મતદાન શું ઇશારો કરે છે?

time-read
5 dak  |
Abhiyaan Magazine 04/05/2024