અરુણ વાઘેલા
સન ૧૮૫૭ની ક્રાંતિની સાથે ભારતમાં શૈક્ષણિક ક્રાંતિની પણ બુનિયાદ રચાઈ હતી. આ વર્ષે એ સમયની ભારતની ત્રણ મોટી પ્રેસિડેન્સી અનુક્રમે મુંબઈ, મદ્રાસ અને કલકત્તામાં વિશ્વ વિદ્યાલયોની સ્થાપના થઈ હતી. તેના આશ્રયે નાનો પણ નક્કર મધ્યમ વર્ગ તૈયાર થઈ રહ્યો હતો. જેની આગેવાની લેનાર ગુજરાતના પ્રથમ એમ.એ., એલએલ.બી. અંબાલાલ સાકરલાલ દેસાઈનો જન્મ ૨૫ માર્ચ, ૧૮૪૪ના રોજ ખેડા જિલ્લાના અલીણા ખાતે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિમાં થયો હતો. તેમના પૂર્વજો મૂળ પંજાબથી સ્થળાંતરિત થઈ અત્રે આવ્યા હતા. પાછળથી તેમના કાકા અમદાવાદ સ્થાયી થયા હતા.
અંબાલાલ બાળપણમાં તોફાની, વિનોદી અને ઉગ્ર સ્વભાવના હતા. માતા-પિતાના લાડકોડ તેમણે મન ભરીને માણ્યા હતા. માત્ર નવ વર્ષની ઉંમરે તેમનાં લગ્ન રતનબહેન સાથે થયાં હતાં. અંગ્રેજ અધિકારી થિઓડોર હોપે તેમને ભણવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. પ્રોત્સાહનના બળે ૧૮૬૮માં એલ્ફિન્સ્ટન્ટ કોલેજ મુંબઈથી બી.એ., ૧૮૭૦માં એમ.એ. અને ૧૮૭૧માં બેચલર ઇન લો થયા હતા. વિદ્યાર્થી તરીકે તેઓ ભારતીય ઉપરાંત અંગ્રેજ અધ્યાપકોના પણ પ્રીતિપાત્ર રહ્યા હતા. એલ.એલ.બી. પૂરું કર્યા પછી જમાનાની તાસીર મુજબ વકીલાત ન કરતાં શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યો હતો. આ બાબતે તેમણે વ્યક્ત કરેલા વિચારો આજના કોઈ પણ શિક્ષકજીવ માટે એટલા જ પ્રસ્તુત છે. તેમણે નોંધ્યું છે કે, ‘ મારો આખો જન્મારો શિક્ષકના કામમાં નથી ગયો તેથી દિલગીર છું. શિક્ષક તરીકે જ મેં આખી જિંદગી ગાળી હોત તો મારો પંડ ભાગ્યશાળી માનત.' ૧૮૭૦માં સુરતમાં હેડમાસ્તર, ગુજરાત પ્રોવિન્સિયલ કોલેજમાં પ્રિન્સિપાલનું વધારાનું કામ પણ કરતા હતા. તેમનું એક વિશેષ કાર્ય એ હતું કે તેમણે દરિયાપુરમાં પછાત વર્ગનાં બાળકો માટે શાળા પણ શરૂ કરી હતી. તેઓ દ્રઢપણે માનતા હતા કે શૈક્ષણિક સંસ્થાઓ પણ સ્વદેશાભિમાન, સ્વદેશપ્રેમ, સત્ય અને સંપનું શિક્ષણ આપતી હોવી જોઈએ. ૧૮૭૬માં ગાયકવાડી રાજ્યના નવસારીમાં જજ તરીકે નીમાયા હતા અને ત્યાંથી ૧૮૯૯માં નિવૃત્ત થઈ અમદાવાદ સ્થાયી થયા હતા.
Bu hikaye ABHIYAAN dergisinin August 06, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin August 06, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
વિઝા વિમર્શ,
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
Cannesનો ‘સિનેફ એવોર્ડ' જીતનાર FTIIના સ્ટુડન્ટની શોર્ટ ફિલ્મમાં શું છે?
કર્ણાટકની લોકકથા પર આધારિત ફિલ્મ છે
ફેમિલી ઝોન ગાર્ડનિંગ
હાઇડ્રોપોનિક્સ હાઉસ પ્લાન્ટેશન અને લેકા બોલ્સ પદ્ધતિ શું છે?
ફેમિલી ઝોન ફેશન
સ્કર્ટ - ફોર ઓલ એન્ડ ફોર એવરીવન
નાનાં-નાનાં સુખનો સરવાળો એ જ જીવન છે!
બે અક્ષરનો સુખ શબ્દ આપણને ઝાંઝવાની જેમ દોડાવ્યા રાખે છે. જોકે કસ્તૂરીમૃગની નાભિમાં વસતી સુવાસની જેમ સુખ તો આપણી પાસે જ હોય છે.
લાફ્ટર વાઇરસ
સત્યની ગતિ બળદગાડા જેવી - જૂઠની ગતિ બુલેટ ટ્રેન જેવી!
કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ
મોંઘાભાવનું બજારનું શાક, ફળ ખાઈને આરોગ્યને પહોંચતી હાનિ નિવારવા માટે કિચન ગાર્ડન આદર્શ છે. પોતાના જ ઘરની અગાસી ઉપર કે આંગણામાં શાકભાજી વાવીને તાજા, આરોગ્યપ્રદ ખોરાક મેળવી શકાય છે. કોઈ પણ જાતના કેમિકલ વગર, ખરેખર ઑર્ગેનિક કે નેચરલ રીતે ઉગાડેલાં શાકભાજીનો સ્વાદ પણ બજારમાં મળતાં શાક કરતાં સવાયો હોય છે.
બિંજ-થિંગ,
કર, કંકણ અને કલા - સ્ત્રીના અંતરવનનું ચિત્રણ - મધુબની આર્ટ
પ્રવાસન
નગ્ગર, હિમાચલનો એક ક્યુટ-કલ્પક કસબો
અવસર
પર્યાવરણ દિવસની ઉજવણી આપણે કયા મોઢે કરીશું?