વાત કલમના હથિયારથી લડેલા સાહિત્ય સેનાનીઓની
ABHIYAAN|August 06, 2022
ઇતિહાસના પ્રવાહો પલટવામાં તલવારથી લઈને બંદૂક, રાઇફલ અને તોપ જેવાં હથિયારો જેટલાં જ બળૂકા સાબિત થયા છે શબ્દો. ભારતની આઝાદીની લડત દરમિયાન દેશભક્તોએ શબ્દની તાકાતને સમજીને એનો ખૂબ ઉપયોગ કર્યો હતો. સાહિત્યે પણ લોકોમાં ક્રાંતિની ભાવના પ્રસરાવવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.
વાત કલમના હથિયારથી લડેલા સાહિત્ય સેનાનીઓની

સ્પર્શ હાર્દિક

૧૯મી સદી દરમિયાન ભારતીય સાક્ષરો વિદેશી કથાસાહિત્યના સારા એવા સંપર્કમાં આવ્યા તથા પ્રિન્ટિંગ ટેક્નોલોજી પણ આપણા દેશમાં વધારે માત્રામાં ફેલાઈ, એના કારણે ભારતીય ભાષાઓમાં નવલકથાઓ લખાવાનું પ્રમાણ વધવા લાગ્યું હતું. ભારતીય સાહિત્યના અભ્યાસી, લેખક, અનુવાદક અને ભાષાશાસ્ત્રી શિશિરકુમાર દાસ લખે છે કે, શરૂઆતની ઘણી નવલકથાઓમાં વિદેશી સત્તા તળે બદલાઈ રહેલાં ભારતીય પાત્રો અને સમાજનું ચિત્રણ થતું હતું. પશ્ચિમના કેટલાક પ્રગતિવાદી વિચારો સામે ભારતીય વિચારોનો ટકરાવ પણ એમાં જોવા મળતો હતો, પરંતુ જેમ જેમ બ્રિટિશ સત્તાનું દમન વધતું ગયું અને ભારતીય મૂલ્યો, સંસ્કૃતિ અને વારસા પ્રત્યે આપણા સાક્ષરોની સમજ વધતી ગઈ, એમ રાષ્ટ્રવાદ અને પશ્ચિમીકરણ વચ્ચેનો સંઘર્ષ પણ વધતો ગયો.

આ પ્રક્રિયા સાથે જ, ક્રાંતિનો નાદ પણ ધીમે ધીમે કથાસાહિત્યમાં પડઘાવા લાગ્યો હતો. આઝાદીના સંગ્રામનો સૂર ઝીલતી, ભારતીય કથા સાહિત્યની એક મોટી ઘટના કહી શકાય એવી નવલકથા એટલે ‘આનંદ મઠ' (૧૮૮૨). બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે આ કથા ઈ.સ. ૧૭૭૦ના બંગાળના ભીષણ દુષ્કાળ અને સંન્યાસી વિદ્રોહની પૃષ્ઠભૂમિમાં લખેલી. આ કથાએ આવનારા દાયકામાં થનારા ક્રાંતિકારી સંઘર્ષની રૂપરેખા આપવામાં મહત્ત્વનો ભાગ ભજવેલો. એમાં સમાવિષ્ટ ‘વંદે માતરમ્' ગીત ત્યાર પછી ક્રાંતિકારીઓના હૈયે વસી ગયું હતું. ૧૯૦૫માં બંગાળના ભાગલા સમયે આ પ્રાંતની પ્રજાએ ‘વંદે માતરમ્’ ફરી યાદ કરીને અનેરો જુસ્સો મેળવ્યો હતો. ગીતના શબ્દોએ આગળ જતા ભારતીય ઉપખંડની ચેતનાને જગાડવાનું પણ કામ કર્યું હતું.

આ ગાળામાં રચાયેલા ભારતીય ભાષાઓનાં કાવ્યોમાં મુખ્યત્વે બે પ્રકારના સૂર સંભળાતા હતા. એક પ્રકારનો સૂર વિદેશી સત્તાની યાતનાને કારણે ભારતની દુર્દશા અને એના સમૃદ્ધ અતીતનો હતો અને બીજા પ્રકારનો સૂર વિદ્રોહનો, બંડ પોકારવાનો અને પ્રાણ ન્યોછાવર કરવાની હદ સુધી આઝાદીની લડાઈમાં ઝઝૂમ્યા કરવાનો હતો.

Bu hikaye ABHIYAAN dergisinin August 06, 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin August 06, 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)
ABHIYAAN

વિઝા વિમર્શ એલ-૧ વિઝા મેળવવાનાં પગલાં (૧)

બિઝનેસ પ્લાન બનાવી આપનારા એક્સ્પર્ટો પાસે તમે જે બિઝનેસ કરવાની ઇચ્છા ધરાવતા હોવ એને લગતો એક બિઝનેસ પ્લાન બનાવડાવો. આવો પ્લાન બનાવવા જાણકારો ચારથી લઈને બાર અઠવાડિયાં કે એથી પણ થોડો વધુ સમય લે છે

time-read
2 dak  |
Abhiyaan Magazine 04/05/2024
મુવી-ટીવી
ABHIYAAN

મુવી-ટીવી

થિયેટર કરતો હોઉં ત્યારે વિદેશી ફિલ્મોને પણ ના પાડી દઉં: મકરંદ દેશપાંડે ‘રજાકાર’ ફિલ્મમાં ખલનાયક નિઝામનો રોલ કરનારા મરાઠી રંગભૂમિ અને હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા મકરંદ દેશપાંડેએ ‘અભિયાન' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે હિન્દી ઉપરાંત કન્નડ, મલયાલમ, તમિલ અને મરાઠીમાં ફિલ્મો કરી છે. ‘સરફરોશ', ‘સ્વદેશ’, ‘બુઢ્ઢા... હોગા તેરા બાપ' અને ‘ડરના જરૂરી હૈ' તેમની જાણીતી ફિલ્મો છે.

time-read
2 dak  |
Abhiyaan Magazine 04/05/2024
ગાર્ડનિંગ
ABHIYAAN

ગાર્ડનિંગ

પ્રુનિંગ એટલે શું અને તે કેમ જરૂરી છે?

time-read
2 dak  |
Abhiyaan Magazine 04/05/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

સત્તા અને ખુરશી જોડિયાં બહેનો છે!

time-read
5 dak  |
Abhiyaan Magazine 04/05/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

Bagpipers of Himalayan Highland: ‘છોલિયા’ નૃત્યકલા

time-read
3 dak  |
Abhiyaan Magazine 04/05/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ચંબા વેલીનો ચાર્મ, ડેલહાઉસી

time-read
5 dak  |
Abhiyaan Magazine 04/05/2024
તસવીર કથા
ABHIYAAN

તસવીર કથા

સાળંગપુરમાં મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ફૂલદોલ ઉત્સવ ઊજવાયો

time-read
2 dak  |
Abhiyaan Magazine 04/05/2024
બીજાને જજ કરવા કરતાં જાતને મૂલવવી એટલે સ્વયંનું સ્વચ્છતા અભિયાન...
ABHIYAAN

બીજાને જજ કરવા કરતાં જાતને મૂલવવી એટલે સ્વયંનું સ્વચ્છતા અભિયાન...

તંદુરસ્ત હો તો ક્યારેક રક્તદાન કરી દેવું એ કૃષ્ણ જેને કર્મ એ કહે એવું કામ છે. પોતે ફેક્યો ન હોય એવો કચરો ઉપાડીને કચરાટોપલીમાં નાખી દેવો એ પણ ગીતાકારને ગમે એવું કામ છે.

time-read
2 dak  |
Abhiyaan Magazine 04/05/2024
સાંપ્રત
ABHIYAAN

સાંપ્રત

ઇઝરાયલ અને ઈરાનનો ટપલીદાવ

time-read
8 dak  |
Abhiyaan Magazine 04/05/2024
અસ્મિતા કે અહંતા?
ABHIYAAN

અસ્મિતા કે અહંતા?

* રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે કાંઈ ચાલે છે તેમાં નાર્સિસિઝમ છે? * ગ્રીક પાત્ર નાર્સિસસ તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોઈને પોતાના પ્રેમમાં પડી જાય છે, નાર્સિસિઝમનો મુદ્દો સાચી રીતે સમજવો પડે. * અસ્મિતા શબ્દને નાર્સિસિઝમ સાથે સંબંધ છે? અસ્મિતા અંગે આપણે કેટલા સાચા છીએ, કેટલા ભ્રમમાં છીએ?

time-read
7 dak  |
Abhiyaan Magazine 04/05/2024