અહીં ઘણા મતદારો પોતાની જ્ઞાતિના ઉમેદવારને જ વોટ આપે છે, એમને મન પક્ષનું મહત્ત્વ નથી. કેટલાક મતદારો વળી સમાજવાદી પાર્ટી અથવા તો બહુજન સમાજ પાર્ટીને જ મત આપે છે. એમને મન ઉમેદવારનું મહત્ત્વ નથી. અમુક મતદારો એવા પણ છે, જે વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની પડખે રહે છે, પણ લોકસભામાં મોદી માટે જ વોટ આપે છે.
ટૂંકમાં, રાહુલ ગાંધી જ્યાંથી ચૂંટણી લડી રહ્યા છે એ ઉત્તર પ્રદેશના રાયબરેલી મતક્ષેત્રનું ચૂંટણીગણિત બહુ અટપટું છે અને અહીંનું રાજકારણ એકદમ વિલક્ષણ છે. ૧૯૫૨ અને ૧૯૫૭માં અહીંથી ફિરોઝ ગાંધી જીત્યા હતા. ત્યારથી ૨૦૨૪ સુધી બે અપવાદને બાદ કરતાં અહીં કોંગ્રેસે જ જીત મેળવી હતી. ઈન્દિરા ગાંધી બે વાર, સોનિયા ગાંધી ચાર વાર, આર.પી. સિંહ, બૈજનાથ કુરિલ, અરુણ નેહરુ, શીલા કૌલ અને કૅપ્ટન સતીશ શર્મા એક-એક વાર સાંસદ રહી ચૂક્યાં છે. ૧૯૭૭માં જનતા પાર્ટીના રાજ નારાયણે અહીં ઈન્દિરાને હરાવ્યાં હતાં. ૧૯૯૬માં પણ આ સીટ ભાજપના અશોકસિંહે જીતી હતી.
૨૦૨૪માં ભાજપે રાહુલ ગાંધી સામે દિનેશસિંહને મેદાનમાં ઉતાર્યા છે, જેમની કરિયરની શરૂઆત સમાજવાદી પાર્ટીથી થઈ હતી. ત્યાર બાદ એ બહુજન સમાજ પક્ષ અને કોંગ્રેસમાં પણ આંટો મારી આવ્યા હતા. ૨૦૧૮થી એ ભાજપમાં છે અને રાજ્ય વિધાન પરિષદના સભ્ય તથા યોગીજીના પ્રધાનમંડળમાં રાજ્યકક્ષાના મંત્રી પણ છે.
રાયબરેલી સંસદીય ક્ષેત્રમાં રાજ્ય વિધાનસભાની પાંચ બેઠક આવે છે. એમાં અદિતિસિંહ (ભૂતપૂર્વ કોંગ્રેસી) તથા મનોજ પાંડે (ભૂતપૂર્વ સમાજવાદી) આ વખતે ભાજપ તરફથી બૅટિંગ કરી રહ્યા છે. અન્ય એક સમાજવાદી ધારાસભ્ય પણ ભાજપને મદદ કરવાના છે. તો બીજા બે ધારાસભ્યોથી કોંગ્રેસને બહુ લાભ નથી. ૨૦૧૯માં સોનિયા ગાંધીએ અહીં દિનેશસિંહને ૧.૬૭ લાખ મતથી હરાવ્યા હતા એટલે આ વખતે ભાજપ રાહુલ ગાંધીને પરાજય આપવા પૂરી તાકાત લગાવી રહ્યો છે.
રાયબરેલી વિશે ટીવી પરની ચૂંટણીચર્ચા જુઓ તો ફક્ત મતોના ગણિતની વાત થાય છે, પણ આ વીઆઈપી મતક્ષેત્રના ભાવિ વિકાસનો મુદ્દો કોઈ ઉપાડતું નથી. ઐતિહાસિક, ભૌગોલિક, સામાજિક વારસો સમૃદ્ધ હોવા છતાં વિકાસની દોડમાં રાયબરેલી દુર્ભાગ્યે પાછળ છે. તેમ છતાં મતદારો કોંગ્રેસને કેમ સમર્થન આપે છે એનું કારણ જણાવતાં સ્થાનિક આગેવાન સર્વેશ પ્રતાપસિંહ ચિત્રલેખાને કહે છેઃ
Bu hikaye Chitralekha Gujarati dergisinin May 20, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin May 20, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?
મોદી સરકાર ઈસ બાર કિતને પાર...નું પરિણામ આવવાને થોડા દિવસની જ વાર છે. આવા નાજુક સમયમાં આર્થિક જગતની નજર શૅરબજાર, વિદેશી રોકાણના પ્રવાહ તેમ જ વેપાર-ઉદ્યોગ વિશે ટોચના નેતાઓનાં નિવેદન પર હોય એ સ્વાભાવિક છે.
સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી
દરિયો ભરીને જમીન પેદા કરવાનો માલદીવ્સનો પ્રોજેક્ટ એક તરફ કૂવો અને એક તરફ ખાઈ હોય ત્યારે આપણે કૂવામાં કૂદવાનું પસંદ કરીએ, કેમ કે ત્યાં ખાઈ કરતાં બચવાના ચાન્સ વધારે હોય. હમણાં ભારતના શત્રુ બની બેઠેલા ટાપુરાષ્ટ્ર માલદીવ્સે પણ એક ભૌગોલિક વિનાશથી બચવા કૂવામાં કૂદવાનું નક્કી કર્યું, પણ... જાણીએ, શું છે આખો મામલો?
બાળક તરીકે આપણે કેવાં છીએ?
સંયુક્ત કુટુંબવ્યવસ્થા જેની ઓળખ છે એવા આપણા દેશમાં વડીલોની હાલત પણ જાણી લો.
બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!
નકારાત્મક લાગણી અનુભવવી કોઈને ગમતી નથી, પણ ખરેખર તો આ લાગણી તંદુરસ્ત જીવન માટે જરૂરી છે.
યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...
ક્યારે ખાવ છો, શું ખાવ છો અને ભૂખ લાગે ત્યારે જ ખાવ છો... આ બધું જરૂરી છે સ્વાસ્થ્ય જાળવવા માટે.
લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!
એમનું ધ્યેય એક જ છે, ગમે તે રીતે લોકોને વ્યાયામ કરતાં કરવા. વર્ષોથી મુંબઈના જુહૂ બીચ પર ફિટનેસના વિનામૂલ્ય વર્ગો લેતાં આ મહિલાની લગનીને ખરેખર બિરદાવવા જેવી છે.
પાઠ્યપુસ્તકો પસ્તીમાં ન પધરાવો... સાવધાન!
વૅકેશન પડે એટલે વિદ્યાર્થીઓ વીતી ગયેલા વર્ષની ટેક્સ્ટ બુકનો નિકાલ કરવાની વેતરણમાં લાગી જાય, પણ આ પુસ્તકો પોતાની પછીના વર્ષના જરૂરતમંદ સ્ટુડન્ટ્સને મળે એવું કંઈક એ કરે તો? ગુજરાતમાં અનેક સંસ્થા ‘એક હાથ સે લેના... એક હાથ સે દેના...’ જેવું સ્તુત્ય કામ પાઠ્યપુસ્તકોના રિ-યુઝ માટે કરી રહી છે.
અવરોધો ઊભા કરવાની કળા
ચાહે છે કે આંબા ઊગી નીકળે કિન્તુ જ્યાં ને ત્યાં વાવી બેઠા છે બાવળ બાવળ. - બાલકૃષ્ણ સોનેજી
સોશિયલ મિડિયા સાથેની દોસ્તી નોકરી માટે ખતરારૂપ
શું સોશિયલ મિડિયાના વપરાશના લીધે નોકરી જઈ શકે? કારકિર્દી જોખમમાં આવી શકે? બિલકુલ. જો તમારો સોશિયલ મિડિયા પ્રોફાઈલ, તમારી પોસ્ટ તમને બેજવાબદાર રજૂ કરે તો નોકરી જઈ શકે, નવી નોકરી મળી પણ ન શકે.
ડાયાબિટીસ કાબૂમાં રાખવા સ્વીટનર ખાવ છો? તો તમે ખાંડ ખાવ છો!
મીઠી સાકરની બીમારી હોય તો સાકરને બદલે ઘણા લોકો સ્વીટનર પર પસંદગી ઉતારે છે. એમાંય હવે તો સ્ટિવિયા વનસ્પતિનો સ્વીટનરમાં ઉપયોગ થવા લાગ્યો છે. જો કે બધું પીળું સોનું હોતું નથી એમ ભેળસેળને કારણે સ્ટિવિયામાંથી બનતી બધી ચીજો આરોગ્યપ્રદ હશે એમ માની લેવાની ભૂલ કરવા જેવી નથી.