અમદાવાદીઓ કટિંગ ચા-પ્રેમી અને કરકસરિયાની આગવી ઓળખ ધરાવે. જો કે એ કળા અને સંસ્કૃતિપ્રેમી પણ ખરા. અમદાવાદીઓનો ભરપૂર નાટકપ્રેમ જોઈને થોડાં વર્ષથી મુંબઈના અમુક કમર્શિયલ ગુજરાતી નાટકના નિર્માતા એમના નવા નાટકના પ્રીમિયર શો મુંબઈને બદલે અમદાવાદમાં કરે છે.
શહેરમાં ટાઉન હૉલ, ટાગોર હૉલ, પ્રેમાભાઈ હૉલ, દિનેશ હૉલ, જયશંકર સુંદરી હૉલ, ઠાકોરભાઈ દેસાઈ હૉલ, પંડિત દીનદયાળ હૉલ, એચ.કે. આર્ટ્સ કૉલેજ હૉલ, આંબેડકર હૉલ, વગેરે ઍરકન્ડિશન્ડ ઑડિટોરિયમ છે. એમાં મહદંશે નાટક અને સંગીત તથા સામાજિક, શૈક્ષણિક, વગેરે કાર્યક્રમો યોજાય. તો શ્રેયસ ફાઉન્ડેશન, નટરાણી, થિયેટર મિડિયા સેન્ટર, વસ્ત્રાપુર લેક, વગેરે એમ્ફી થિયેટરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો થાય.
વર્ષો પહેલાં શહેરમાં સુભાષ શાહ, નિમેષ દેસાઈ (બન્ને સ્વર્ગીય), હરીન ઠાકર, વગેરેએ પ્રયોગશીલ ગુજરાતી નાટકો ભજવીને નામના મેળવી. સુભાષભાઈના એકાંકી વિઝ્યુઅલ આર્ટ સેન્ટરના એમ્ફી થિયેટરમાં અને નિમેષ દેસાઈનાં ત્રિઅંકી નાટકો ઑડિટોરિયમમાં ભજવાતાં. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રાંગણમાં માનવીની ભવાઈ સહિત ત્રણ નાટક ભજવાયાં એ ઘટના યાદગાર હતી.
જો કે અત્યારે ગુજરાત સરકાર હસ્તકના જયશંકર સુંદરી હૉલ અને ગુજરાત વિદ્યાસભા સંચાલિત પ્રેમાભાઈ હૉલ વર્ષોથી બંધ છે. સુંદરી હૉલ બે વખત જંગી રકમ ખર્ચીને નવેસરથી સજાવ્યો, પણ પછી બંધ કર્યો. તો ૧૯૪૦માં બનેલો અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન સંચાલિત ટાઉન હૉલ થોડા મહિનાથી રિનોવેશન માટે બંધ છે. અમુક હૉલમાં પાર્કિંગ, તો અમુકમાં સાઉન્ડ સિસ્ટમ કે અન્ય સમસ્યા હોવાનું નાટક સાથે સંકળાયેલા લોકો કહે છે. અમુક હૉલનાં ભાડાં વધ્યાં અને અમુકમાં હૉલ બુકિંગના નિયમ આકરા બન્યા.
આ સંજોગમાં પ્રયોગશીલ નાટ્યસર્જકો માટે જૂજ સ્થાન છે. આ સાર્વત્રિક સમસ્યા છે. અમદાવાદમાં વસ્ત્રાપુર લેક પાસેનું એમ્ફી થિયેટર, કાંકરિયાનું ઓપન ઍર થિયેટર, વગેરે જગા છે. એ ઉપરાંત, પ્રયોગાત્મક નાટકો ભજવવા અમુક નાટ્યસર્જકોએ મિની થિયેટર બનાવ્યાં. એના મૂળમાં જઈએ તો, ૨૦૧૧માં અમદાવાદના પ્રીતમનગર વિસ્તારમાં આવેલા રંગમંડળમાં દર સોમવારે સાંજે છથી આઠ નાટ્યલેખન, દિગ્દર્શન, અભિનય, સંગીત, વગેરેમાં રસ ધરાવતા નવોદિત અને સિનિયર કલાકારો સ્વેચ્છાએ ભેગા થઈને નાટ્યવાંચન, ચર્ચા, સંવાદ, વગેરે કરતા. કોઈ કારણસર આ બેઠક બંધ થઈ.
This story is from the April 01, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 01, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
મતદાન કરો... લોકશાહીની કુસેવા ન કરો!
મોદી સામે કોઈ પડકાર નથી અને ચૂંટણીનું પરિણામ નિશ્ચિત લાગે છે એ કબૂલ, પણ એ કારણે નવી લોકસભા પસંદ કરવામાં ભાગીદાર જ ન બનવાનો ‘ઉપાય’ ખોટો છે.
નબળો રૂપિયો વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય નહીં બની શકે...
મોદી સરકાર રૂપિયાની કરન્સીને વિશ્વભરમાં સ્વીકાર્ય બનાવવાનું લક્ષ્ય રાખે છે, રિઝર્વ બૅન્કે આ દિશામાં આગળ વધવા રૂપિયાની ડિજિટલ કરન્સી વિકસાવી છે, પરંતુ આપણું ચલણ બીજા દેશોમાં સ્વીકાર્ય બને ત્યાં સુધી એ મુશ્કેલ લાગે છે.
મોબાઈલના સદુપયોગની શરૂઆત કરવી છે? અપનાવી લો Google Keep
ન જાણતા હો તો જાણી લો Find My Device અને Parental Control જેવાં મોબાઈલ ફોનમાં આવતાં ફીચર્સના ફાયદા.
ચૂંટણીના એ ચાદગાર નારા, જે છવાઈ ગયા જનમાનસમાં!
થોડામાં ઝાઝું... ચૂંટણીપ્રચારના કેન્દ્રમાં જે મુદ્દો હોય એને બહુ જ ઓછા શબ્દોમાં, પણ મતદારોનાં દિમાગમાં સોંસરવો ઊતરી જાય એ રીતે પહોંચાડવાનું કામ કરે છે જુદાં જુદાં ઈલેક્શન સ્લોગન.
પવિત્ર સંબંધના પાયા કેમ હલવા લાગ્યા છે?
છેલ્લાં કેટલાંક વર્ષમાં લગ્નવિચ્છેદ થવા પાછળનાં કારણ બહુ વધ્યાં છે, પણ એનો ઉપાય એક જ છે.
બીપી-ડાયાબિટીસ બની શકે પ્રેગ્નન્સી સમયની પળોજણ
નાની ઉંમરની છોકરીઓમાં વધુ જોવા મળતી પ્યુબર્ટી મેનોરેજિયા જેવી વ્યાધિને અવગણવા જેવી નથી.
જન્મતાંની સાથે દેખાડ્યો સંગીતનો જાદુ
ડૉક્ટર-એન્જિનિયર બનવાને બદલે એણે સૂર-તાલની સંગાથે કારકિર્દી ઘડવાનું પસંદ કર્યું. આજે એને જ સથવારે અમદાવાદની આ યુવતી મનોરંજન ક્ષેત્રે કાઠું કાઢી રહી છે.
સિનેસ્ટાર્સ અને પોલિટિક્સ બહુત યારાના લગતા હૈ…
લોકસભાની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે ત્યારે ફરી એક વાર સિનેસ્ટાર્સ અને પોલિટિક્સનો રોમાન્સ ખીલી રહ્યો છે, પરંતુ આ વખતે મામલો જરા અલગ છે.
વાત વટે ચડી છે...
ભાજપના ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલાને હટાવવાની માગ વચ્ચે ખુદ રૂપાલાએ જ ૧૬મીએ ઉમેદવારીપત્ર ભરવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતમાં ફરી એક હાઈ-પ્રોફાઈલ ડ્રામા જોવા મળે એવાં એંધાણ છે...
એક રિચાર્જ ઐસા ભી કર દો...
ગુજરાતમાં અનેક સ્થળે ઉનાળાના આરંભે જ પાણીની અછત વર્તાવા માંડી છે. આ સમસ્યાનો સચોટ ઉકેલ વરસાદી જળને ભૂગર્ભમાં ઉતારતી ‘રેઈન વૉટર હાર્વેસ્ટિંગ ઍન્ડ ગ્રાઉન્ડ વૉટર રિચાર્જ સિસ્ટમ’નો જ છે. હવે જો કે આ પદ્ધતિમાં પણ અપગ્રેડેશન થયું છે, જેથી રિચાર્જ્ડ વૉટરને પ્રદૂષણ અને હાનિકારક બૅક્ટેરિયાથી મુક્ત રાખી શકાય. સુરતમાં આ કામગીરીનાં મીઠાં ફળ મળ્યાં છે.