અને આખી ગલીમાં લાલ રંગનું પ્રવાહી વહી નીકળે છે ત્યારે સર્વ ઉપસ્થિત જનોનાં હૃદયમાં લાગણીનાં ઘોડાપૂર ઊમટે છે.
જી ના, આ કોઈ રમખાણ કે કાપાકાપીની વાત નથી. આ તો બરસાનાની વિશ્વપ્રસિદ્ધ લઠમાર (લઠ્ઠામાર પણ કહે છે) હોળીનો પ્રસંગ છે. લઠમાર હોળીમાં રાધાજીના ગામ બરસાનાની સ્ત્રીઓ કૃષ્ણના ગામ નંદગાંવના પુરુષો પર લાઠી વરસાવીને હોળી રમે છે. આ પરંપરાનાં મૂળ પાંચ હજાર વર્ષ પૂર્વેની કૃષ્ણલીલામાં છે.
મુંબઈની ભક્તિવેદાંત હૉસ્પિટલમાં સ્પિરિચ્યુઅલ કૅર વિભાગ સંભાળતા ડૉ. વિવેકાનંદ શાનબાગ વ્રજના ભોમિયા અને કૃષ્ણલીલાના અઠંગ અભ્યાસુ છે. વ્રજવાસીઓના સત્સંગ અને પ્રાચીન શાસ્ત્રોમાંના ઉલ્લેખોને આધારે વિવેકાનંદજી ચિત્રલેખાને કહે છે:
વ્રજમાં વસંત પંચમીથી હોળી ઉત્સવનો આરંભ થાય, જે ફાગણ પૂનમ પછીના પાંચ દિવસ સુધી અર્થાત્ આશરે ૪૫ દિવસ ચાલે. આમાં સૌથી વધારે પ્રસિદ્ધ ફાગણ સુદ આઠમની લઠ્ઠમાર હોળી અને ફાગણ સુદ નોમની લઠમાર હોળી અથવા રંગીલી હોળી છે. કૃષ્ણલીલામાં આવતી કથા મુજબ બાળકૃષ્ણ અને બલરામજી એક બ્રાહ્મણને હોળીખેલના આમંત્રણ સાથે રાધાજી પાસે બરસાના મોકલે છે. પાંડે નામના આ બ્રાહ્મણ બિચારા રાધાજીના મહેલ સુધી પહોંચે એ પહેલાં જ બરસાનાની ભાગોળે ગોપીઓ એમને ઘેરી લે છે અને પિચકારીથી રંગી નાખે છે. એ બાપડા દિગ્મૂઢ થઈ જાય છે. દરમિયાન ગોપીઓના ટોળાને ચીરતાં રાધાજી આવી પહોંચે છે અને શરમથી પાણી પાણી થઈ ગયેલા બ્રાહ્મણને નટખટ ગોપીઓના સકંજામાંથી છોડાવીને પોતાના મહેલ પર લઈ જાય છે.
‘પાંડેલીલા તરીકે ઓળખાતી આ કથામાં પછી તો નંદગાંવના બ્રાહ્મણ પાસે રાધારાણી ક્ષમાયાચના કરે છે. હૂંફાળા સુગંધી જળથી એમના સ્નાનનો બંદોબસ્ત કરાવે છે. નવાં વસ્ત્રો આપે છે. રાજમહેલના સિંહાસન પર બેસાડીને એમનું ચરણપ્રક્ષાલન કરે છે. મીઠાઈ અને પ્રસાદનો થાળ આપે છે. માતા કીર્તિદાને બ્રહ્મદેવના આગમનની જાણ થતાં એ રાજી થઈને લાડુનો થાળ લઈને આવે છે. અતિથિભાવથી કીર્તિદાદેવી એક પછી એક લાડુ પાંડેજીના મુખમાં આગ્રહ કરી કરીને ઠોસે છે. ત્યાર બાદ પાંડે બ્રાહ્મણને દક્ષિણા, દાગીના આપીને રાજવી ઠાઠ સાથે પાલખીમાં બેસાડીને વૈદિક મંત્રોચ્ચાર સાથે નંદગાંવ જવા વિદાય કરે છે.'
This story is from the April 01, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 01, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
મતદાન કરો... લોકશાહીની કુસેવા ન કરો!
મોદી સામે કોઈ પડકાર નથી અને ચૂંટણીનું પરિણામ નિશ્ચિત લાગે છે એ કબૂલ, પણ એ કારણે નવી લોકસભા પસંદ કરવામાં ભાગીદાર જ ન બનવાનો ‘ઉપાય’ ખોટો છે.
નબળો રૂપિયો વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય નહીં બની શકે...
મોદી સરકાર રૂપિયાની કરન્સીને વિશ્વભરમાં સ્વીકાર્ય બનાવવાનું લક્ષ્ય રાખે છે, રિઝર્વ બૅન્કે આ દિશામાં આગળ વધવા રૂપિયાની ડિજિટલ કરન્સી વિકસાવી છે, પરંતુ આપણું ચલણ બીજા દેશોમાં સ્વીકાર્ય બને ત્યાં સુધી એ મુશ્કેલ લાગે છે.
મોબાઈલના સદુપયોગની શરૂઆત કરવી છે? અપનાવી લો Google Keep
ન જાણતા હો તો જાણી લો Find My Device અને Parental Control જેવાં મોબાઈલ ફોનમાં આવતાં ફીચર્સના ફાયદા.
ચૂંટણીના એ ચાદગાર નારા, જે છવાઈ ગયા જનમાનસમાં!
થોડામાં ઝાઝું... ચૂંટણીપ્રચારના કેન્દ્રમાં જે મુદ્દો હોય એને બહુ જ ઓછા શબ્દોમાં, પણ મતદારોનાં દિમાગમાં સોંસરવો ઊતરી જાય એ રીતે પહોંચાડવાનું કામ કરે છે જુદાં જુદાં ઈલેક્શન સ્લોગન.
પવિત્ર સંબંધના પાયા કેમ હલવા લાગ્યા છે?
છેલ્લાં કેટલાંક વર્ષમાં લગ્નવિચ્છેદ થવા પાછળનાં કારણ બહુ વધ્યાં છે, પણ એનો ઉપાય એક જ છે.
બીપી-ડાયાબિટીસ બની શકે પ્રેગ્નન્સી સમયની પળોજણ
નાની ઉંમરની છોકરીઓમાં વધુ જોવા મળતી પ્યુબર્ટી મેનોરેજિયા જેવી વ્યાધિને અવગણવા જેવી નથી.
જન્મતાંની સાથે દેખાડ્યો સંગીતનો જાદુ
ડૉક્ટર-એન્જિનિયર બનવાને બદલે એણે સૂર-તાલની સંગાથે કારકિર્દી ઘડવાનું પસંદ કર્યું. આજે એને જ સથવારે અમદાવાદની આ યુવતી મનોરંજન ક્ષેત્રે કાઠું કાઢી રહી છે.
સિનેસ્ટાર્સ અને પોલિટિક્સ બહુત યારાના લગતા હૈ…
લોકસભાની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે ત્યારે ફરી એક વાર સિનેસ્ટાર્સ અને પોલિટિક્સનો રોમાન્સ ખીલી રહ્યો છે, પરંતુ આ વખતે મામલો જરા અલગ છે.
વાત વટે ચડી છે...
ભાજપના ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલાને હટાવવાની માગ વચ્ચે ખુદ રૂપાલાએ જ ૧૬મીએ ઉમેદવારીપત્ર ભરવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતમાં ફરી એક હાઈ-પ્રોફાઈલ ડ્રામા જોવા મળે એવાં એંધાણ છે...
એક રિચાર્જ ઐસા ભી કર દો...
ગુજરાતમાં અનેક સ્થળે ઉનાળાના આરંભે જ પાણીની અછત વર્તાવા માંડી છે. આ સમસ્યાનો સચોટ ઉકેલ વરસાદી જળને ભૂગર્ભમાં ઉતારતી ‘રેઈન વૉટર હાર્વેસ્ટિંગ ઍન્ડ ગ્રાઉન્ડ વૉટર રિચાર્જ સિસ્ટમ’નો જ છે. હવે જો કે આ પદ્ધતિમાં પણ અપગ્રેડેશન થયું છે, જેથી રિચાર્જ્ડ વૉટરને પ્રદૂષણ અને હાનિકારક બૅક્ટેરિયાથી મુક્ત રાખી શકાય. સુરતમાં આ કામગીરીનાં મીઠાં ફળ મળ્યાં છે.