રાજકોટથી મોરબી તરફના રસ્તે આશરે ૪૦ કિલોમીટર દૂર ટંકારા ગામ પાસેથી પસાર થતાં જ એક મોટું પ્રવેશદ્વાર દેખાય છે. જેના પર લખ્યું છેઃ મહર્ષિ દયાનંદ દ્વાર. અંદર પ્રવેશીને ગામમાં થોડે આગળ જઈએ એટલે સાંકડી બજારમાં એક મોટો ડેલો જોઈ શકાય છે, જે સામાન્ય ઘર જેવો જ છે.બજારમાંથી નીકળતા લોકોની નજર ભાગ્યે જ આ સામાન્ય જણાતા ડેલા પર જાય, પણ એ છે મહર્ષિ દયાનંદ સરસ્વતી જન્મગૃહ. અહીં જ બે સદી પહેલાં મહર્ષિ દયાનંદનો જન્મ થયો હતો. ડેલો ખોલીને અમે અંદર ગયા તો દીવાલોને રંગરોગાન કરવામાં આવી રહ્યું હતું અને જન્મકક્ષના હૉલમાં કારીગરો વૂડનવર્ક કરતાં નજરે પડ્યા.
આ તૈયારી મહર્ષિની દ્વિશતાબ્દીની ઉજવણી માટેની છે. ટંકારાની મુખ્ય બજારમાં જ રાષ્ટ્રપ્રમુખ દ્રૌપદી મુર્મુની તસવીરો સાથે મહોત્સવનાં બૅનરો લાગ્યાં છે. બજાર નજીક આવેલા મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટના વિશાળ પરિસર અને ગુરુકુળમાં દેશ-વિદેશથી સેંકડોની સંખ્યામાં ઠલવાયેલા આર્ય સમાજીઓની અવરજવર જોઈ શકાય છે. ખાસ તો હરિયાણા, પંજાબ, મધ્ય પ્રદેશથી વધુ સાધકો આવી રહ્યા છે. નેપાળ-મોરિશિયસ સહિત ૩૧ દેશોમાંથી લોકો ત્રણ દિવસ સુધી ટંકારાના આંગણે યોજાતા મહોત્સવમાં ભાગ લેવા પહોંચ્યા છે.
ઈતિહાસનાં પાનાં ઊથલાવીએ તો વર્ષ ૧૮૨૪ની ૧૪ ફેબ્રુઆરીએ ટંકારાના ઔદિચ્ય બ્રાહ્મણ પરિવારમાં મહર્ષિનો જન્મ. મૂળ નામ મૂળશંકર. પિતા કરશનજી ત્રિવેદી અને માતા યશોદાબાઈ. આ બ્રહ્મપરિવાર ચુસ્ત ધાર્મિક પરંપરામાં માને, પણ નાનપણથી જ બાળક મૂળશંકરના વિચાર સહેજ જુદા હતા. એક રાત્રે મૂળશંકરે ગામના મંદિરમાં શિવલિંગ પર કેટલાક ઉંદરને આંટા મારતાં જોયા અને એમની શ્રદ્ધા હચમચી ગઈ. એમના ચિત્તમાં બોધ થયોઃ પોતાનું રક્ષણ ન કરી શકે એ મૂર્તિ કે પ્રતીક શા કામનાં? બસ, આ ઘટનાથી એ સતત મનોમંથન કરતા રહ્યા અને અંતે માત્ર બાવીસ વર્ષની વયે એમણે સત્યની શોધમાં ટંકારા છોડ્યું. યુવા ઉંમરે શિવાલયમાં જે બોધ થયો ત્યારથી એ એવું માનવા લાગ્યા કે સચ્ચિદાનંદ સ્વરૂપ કોઈ અન્ય જ છે. મૂર્તિ ઈશ્વરપ્રાપ્તિ નું સાધન ન હોઈ શકે. આર્ય સમાજની સ્થાપના પણ આ જ વિચારધારા પર કરવામાં આવી છે. આર્ય સમાજનાં કોઈ પણ કેન્દ્રોમાં મૂર્તિ હોતી નથી.
This story is from the February 19, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the February 19, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
નયા હિંદુસ્તાન... નયા સિનેમા!
દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે એક નજર ઈલેક્શન્સ પહેલાં આવેલી અને હવે આવનારી કેટલીક પોલિટિકલ ફિલ્મો પર.
સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..
સંસદમાં મહિલા અનામતની વાત થાય છે, પણ ચૂંટણીમાં પૂરતું પ્રતિનિધિત્વ કેમ મળતું નથી?
સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?
માતા અને બાળક વચ્ચે ભાવનાત્મક સંબંધ બાંધી આપે છે બ્રેસ્ટ ફીડિંગ.
હું અમદાવાદની રિક્ષાવાળી...
પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનારી અમદાવાદી યુવતી પતિનો સ્નેહ-સથવારો છૂટ્યા પછી એના પગલે ચાલવા માટે રિક્ષાચાલક બની. એની આ સંઘર્ષભરી સફર બીજી મહિલાઓને પણ નવી દિશા સૂચવે એવી છે.
વિકાસયાત્રા સામે કપરાં ચઢાણ બનતા વૈશ્વિક પડકાર
૨૦૧૪ પછીના દાયકામાં મોદી સરકારે આર્થિક, સામાજિક અને રાજકીય મોરચે ઘણી સફળતા પ્રાપ્ત કરી, હવે ચૂંટણી બાદ મોદી સરકાર જ પાછી સત્તા પર આવવાની આશા-વિશ્વાસ ભલે ઊંચાં રહ્યાં, પણ આપણી પ્રગતિમાં અંતરાય આવવાના જ છે.
ડી. ગુકેશઃ વિશ્વ શતરંજનો નવો સિતારો
ચેસની રમતના વર્લ્ડ ચૅમ્પિયનને પડકાર આપે એવા ખેલાડીને શોધવા માટે થતી સ્પર્ધાના ભારતીય વિજેતાને ઓળખી લો.
સુરતઃ ચૂંટણી ભલે ન થાય, પ્રચારસામગ્રી તો અમારી જ!
લોકસભા ઈલેક્શન સુરતની કાપડબજારને કરાવશે કરોડોનો વકરો.
અમારે ગામને સ્માર્ટ નહીં, નંદનવન બનાવવાં છે!
સમસ્ત મહાજનના ગિરીશભાઈનો સંકલ્પ... પ્રાચીન ભારતમાંનાં ગામો સ્વાવલંબી અને તંદુરસ્ત હતાં અને એ મંત્રના આધારે ગુજરાતનાં ત્રણ ગામોનો મોડેલ ગામ તરીકે વિકાસ કરાયો છે. ત્યાંનો ગાંડો બાવળ સાફ કરાયો છે, જળાશયોમાંથી કાંપ કાઢી એને ઊંડાં કરાયાં છે, નવાં ગોચર ઊભાં કરાયાં છે અને હા, ચાર હજાર દેશી વૃક્ષોનું રોપણ પણ કરાયું છે. આનાં પરિણામ એકદમ સકારાત્મક જોવા મળી રહ્યાં છે.
મને માફ કરો...આઈ ઍમ સૉરી...
જાણતાં-અજાણતાં થયેલા મન દુભાવનારા વાણી-વ્યવહાર માટે માફી માગી લેવાની અને આપવાની પરંપરા હજીય જીવંત છે. બીજી બાજુ, અમુક લોકો સ્વાર્થી હેતુસર કે પ્રતિપક્ષને અપમાનિત કરાવવા માફી મગાવવાની જીદ લે છે. આવો, જાણીએ માફીનામાની રસપ્રદ વાતો.
તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર
આઝાદીનાં આરંભનાં વર્ષોમાં ભારતીયોએ અનેક ફૂલગુલાબી સપનાં જોયાં. કમનસીબે એ વખતે આપણો પનો ટૂંકો પડ્યો. હવે જો કે લોકોને ફરી આશા બંધાઈ છે. એક નવી ઉમ્મીદ સાથે નવી સવાર પડી છે.