પંખિલ છેડા: ૧૮ વર્ષથી મનમાં ધરબી રાખેલી એવરેસ્ટ આરોહણની ઈચ્છા પૂર્ણ થઈ.
મુંબઈના પશ્ચિમી પરા બોરીવલીમાં રહેતો પંખિલ હરીશ છેડા આઈટી એન્જિનિયર છે તો ઈશાન મુંબઈના ઘાટકોપરમાં રહેતા ૧૭ વર્ષી મિથિલ રાજુ દેઢિયાએ ટ્વેલ્થની પરીક્ષા આપી છે અને એ ગ્રાફિક ડિઝાઈનર બનવા માગે છે. આ બન્ને અત્યારે સમાચારમાં છે, કારણ કે બન્નેએ કપરાં ચઢાણ ચઢીને, વિષમ હવામાન, પરિસ્થિતિ સામે લડીને દુનિયાનું સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટ સર કર્યું છે.
પંખિલ કહે છે: ‘૧૯૯૮માં હિમાલયમાં પહેલી વાર પર્વતારોહણ કર્યું એ વખતે ઉંમર હતી દસ વર્ષ. ૨૦૦૩માં દસમા ધોરણમાં હું મેરિટ લિસ્ટમાં આવ્યો અને ૨૦૦૫-૨૦૦૬માં આઈઆઈટી-મુંબઈમાં કમ્પ્યુટર સાયન્સ ઍન્ડ એન્જિનિયરિંગમાં ઍડ્મિશન લીધું.’ એ ગાળામાં પંખિલે વિવિધ એક્સપિડિશન કર્યાં અને ખાસ તો ૨૦૦૫માં એવરેસ્ટ બેઝ કૅમ્પ પર પહોંચ્યો ત્યારથી એની ઈચ્છા હતી કે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરવું. ૨૦૨૨માં એણે નેપાળનું એમાડબ્લેમ શિખર સર કર્યું, જેની ખડકાળ દીવાલોનાં ચઢાણ અઘરાં, ગ્રેડ ફાઈવ કક્ષાનાં છે. હવે સમય આવી પહોંચ્યો હતો એવરેસ્ટ સર કરવાનો. આ માટે પંખિલ અને મિથિલ તોરી ઍડ્વેન્ચર્સ સાથે જોડાયા.
૨૫ એપ્રિલ, ૨૦૨૩ના દિવસે બેઝ કૅમ્પથી એ બન્ને ખુમ્બુ ગ્લૅશિયરના બરફીલા પોપકૉર્ન ફીલ્ડ તથા ફૂટબૉલ સેક્શન વટાવી કૅમ્પ વન પર પહોંચ્યા. કૅમ્પ વન સુધી પહોંચવાનો આખો પ્રદેશ પર્વતારોહકનાં શક્તિ, સામર્થ્ય અને સલામતીના દૃષ્ટિકોણની કસોટી કરે એવો છે. ગ્લૅશિયરની ખુલ્લી ક્રવાસ (ફાંટ) વટાવવી તથા ઢંકાયેલી વાસથી બચીને રહેવું પડે. વાસ પાર કરવા સીડીનો ઉપયોગ થાય છે. અહીં બે રાત્રિના રોકાણ દરમિયાન પર્વતારોહક આટલી ઊંચાઈ પર રહેવા કેળવાય છે, જેને એક્લેમેટાઈઝેશન કહેવાય છે. અહીંથી નીચે ઉતરાણ કરી ફરી કૅમ્પ વન પર આવે છે.
આ ક્રમે પંખિલ-મિથિલ ૨૯ એપ્રિલે ૭૦૦૦ મીટરની ઊંચાઈએ આવેલા કૅમ્પ થ્રી પર પહોંચી, ફરીથી નીચે ઊતરી બેઝ કૅમ્પ પર આવી ગયા. એકથી આઠ મેએ એ નામચી બજાર રોકાયા. અહીં ખાવા-પીવાની સુવિધા સારી છે. આઠથી ૧૧ મે દરમિયાન બેઝ કૅમ્પથી આજુબાજુના નાના ટ્રેક કરી શરીરને પરિસ્થિતિ સાથે કેળવતાં રહ્યા.
This story is from the June 05, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the June 05, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
નબળો રૂપિયો વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય નહીં બની શકે...
મોદી સરકાર રૂપિયાની કરન્સીને વિશ્વભરમાં સ્વીકાર્ય બનાવવાનું લક્ષ્ય રાખે છે, રિઝર્વ બૅન્કે આ દિશામાં આગળ વધવા રૂપિયાની ડિજિટલ કરન્સી વિકસાવી છે, પરંતુ આપણું ચલણ બીજા દેશોમાં સ્વીકાર્ય બને ત્યાં સુધી એ મુશ્કેલ લાગે છે.
મોબાઈલના સદુપયોગની શરૂઆત કરવી છે? અપનાવી લો Google Keep
ન જાણતા હો તો જાણી લો Find My Device અને Parental Control જેવાં મોબાઈલ ફોનમાં આવતાં ફીચર્સના ફાયદા.
ચૂંટણીના એ ચાદગાર નારા, જે છવાઈ ગયા જનમાનસમાં!
થોડામાં ઝાઝું... ચૂંટણીપ્રચારના કેન્દ્રમાં જે મુદ્દો હોય એને બહુ જ ઓછા શબ્દોમાં, પણ મતદારોનાં દિમાગમાં સોંસરવો ઊતરી જાય એ રીતે પહોંચાડવાનું કામ કરે છે જુદાં જુદાં ઈલેક્શન સ્લોગન.
પવિત્ર સંબંધના પાયા કેમ હલવા લાગ્યા છે?
છેલ્લાં કેટલાંક વર્ષમાં લગ્નવિચ્છેદ થવા પાછળનાં કારણ બહુ વધ્યાં છે, પણ એનો ઉપાય એક જ છે.
બીપી-ડાયાબિટીસ બની શકે પ્રેગ્નન્સી સમયની પળોજણ
નાની ઉંમરની છોકરીઓમાં વધુ જોવા મળતી પ્યુબર્ટી મેનોરેજિયા જેવી વ્યાધિને અવગણવા જેવી નથી.
જન્મતાંની સાથે દેખાડ્યો સંગીતનો જાદુ
ડૉક્ટર-એન્જિનિયર બનવાને બદલે એણે સૂર-તાલની સંગાથે કારકિર્દી ઘડવાનું પસંદ કર્યું. આજે એને જ સથવારે અમદાવાદની આ યુવતી મનોરંજન ક્ષેત્રે કાઠું કાઢી રહી છે.
સિનેસ્ટાર્સ અને પોલિટિક્સ બહુત યારાના લગતા હૈ…
લોકસભાની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે ત્યારે ફરી એક વાર સિનેસ્ટાર્સ અને પોલિટિક્સનો રોમાન્સ ખીલી રહ્યો છે, પરંતુ આ વખતે મામલો જરા અલગ છે.
વાત વટે ચડી છે...
ભાજપના ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલાને હટાવવાની માગ વચ્ચે ખુદ રૂપાલાએ જ ૧૬મીએ ઉમેદવારીપત્ર ભરવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતમાં ફરી એક હાઈ-પ્રોફાઈલ ડ્રામા જોવા મળે એવાં એંધાણ છે...
એક રિચાર્જ ઐસા ભી કર દો...
ગુજરાતમાં અનેક સ્થળે ઉનાળાના આરંભે જ પાણીની અછત વર્તાવા માંડી છે. આ સમસ્યાનો સચોટ ઉકેલ વરસાદી જળને ભૂગર્ભમાં ઉતારતી ‘રેઈન વૉટર હાર્વેસ્ટિંગ ઍન્ડ ગ્રાઉન્ડ વૉટર રિચાર્જ સિસ્ટમ’નો જ છે. હવે જો કે આ પદ્ધતિમાં પણ અપગ્રેડેશન થયું છે, જેથી રિચાર્જ્ડ વૉટરને પ્રદૂષણ અને હાનિકારક બૅક્ટેરિયાથી મુક્ત રાખી શકાય. સુરતમાં આ કામગીરીનાં મીઠાં ફળ મળ્યાં છે.
દિવસો ફરી આવ્યા ટીપેટીપાં માટે વલખાં મારવાનાં
ઉનાળો આવ્યો નથી ને જળ-સમસ્યાની રાડ ઊઠી નથી. એમાં પણ ભૌગોલિક પરિસ્થિતિ અને મૂળ ઓછા વરસાદને કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માર્ચ-એપ્રિલથી પાણીનાં એક-એક બુંદ માટે તરસવું પડે એવી નોબત આવી જાય છે. વર્ષોથી પ્રજાએ જેનો ભોગ બનવું પડે છે એવું આ જળસંકટ નિવારવા જાતજાતની યોજના બની છે, પણ મોટા ભાગની કોરીધાકોર. ક્યારે આવશે આ પ્રશ્નનો કાયમી ઉકેલ?