સમુદ્રમંથન એક પ્રચંડ ઘટના હતી. સમુદ્રની અંદર અકૂપાર કાચબાની પીઠ પર ટેકવાયેલા મંદરાંચલ પર્વતને વાસુકિનાગના દોરડા વડે દેવો-અસુરોએ વલોવવાનું શરૂ કર્યું. પર્વત પર નાનાં-મોટાં જંગલો હતાં અને વલોવાતા પર્વતની સાથે એ આખેઆખાં જંગલો પણ આમથી તેમ ડોલ્યાં. જંગલનાં વૃક્ષો પરથી પક્ષીઓના માળા ફંગોળાયા. ગતિશીલ વૃક્ષો વચ્ચે ભારે ઘર્ષણ થતાં તણખા ઝર્યા. એમાંથી આગ લાગી. આગ આખા પર્વત પર ફેલાઈ. નાનાંગભરું તો ઠીક, હાથી અને સિંહ જેવાં મોટાં-નીડર પ્રાણીઓ પણ ભારે ભાગદોડ છતાં પોતાને આગથી બચાવી ન શક્યાં. પર્વતને વીંટળાયેલા વાસુકિને પણ આ આગ દઝાડવા લાગી.
છેવટે વરસાદના દેવ ઈન્દ્ર સક્રિય બન્યા. એમણે મંદરાંચલ પર અનરાધાર મેઘ વરસાવ્યો. પરિણામે આગ ઠરી. જો કે પશુ-પક્ષીનો વિનાશ ન અટક્યો. પર્વતની ઉપર તેમ જ સમુદ્રની સપાટીની નીચે અસંખ્ય જીવો અથડાઈને કે કચડાઈને મરણને શરણ થતા રહ્યા.
પર્વતની સપાટી પરથી વૃક્ષોનાં રસ-ગુંદર-રસાયણો તેમ જ ખનિજો સમુદ્રનાં જળમાં ભળ્યાં. એ ઉત્તમ સામગ્રી ભળ્યા પછી વલોવાયેલાં સામુદ્રિક જળે દૂધનું રૂપ ધારણ કર્યું. એ દૂધ રૂપી પ્રવાહીને પણ દેવો-અસુરો અત્યંત શ્રમપૂર્વક વલોવતા રહ્યા, એને કારણે દૂધમાંથી ઘી બન્યું.
- પણ હજુ અમૃત મળી નહોતું રહ્યું. દેવો-અસુરોનાં શરીરો થાકી રહ્યાં હતાં. ધીમે ધીમે મંથનકારો મંદ પડવા લાગ્યા. એમણે બ્રહ્માજીને કહ્યુંઃ ‘અમે લોકો લાંબા સમયથી સમુદ્ર વલોવીએ છીએ તોય અમૃત નથી મળી રહ્યું. હવે અમે થાકી ગયા છીએ. અમારાથી હવે વધુ શ્રમ થઈ શકે એમ નથી.’
બ્રહ્માજીએ નારાયણદેવને કહ્યું: ‘હે વિષ્ણુ, તમારી મદદ વિના આ લોકો કામ કરી શકશે નહીં. તમે એમને બળ આપો.'
નારાયણદેવે આ શબ્દો ઉચ્ચાર્યા: ‘જે કોઈ સમુદ્રમંથનના આ કાર્યમાં પરોવાયા છે એ સૌને હું મારી શક્તિ આપું છું. અટકશો નહીં. સમુદ્રમાં પર્વત ફેરવતા રહો.’
This story is from the June 05, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the June 05, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
જલસાઘર
સંઘર્ષથી સફળતાના હાઈવે પર...
છોટા પૅક... બડા ધમાકા
સેબીએ હમણાં મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓને ૨૫૦ રૂપિયા જેટલી નાની રકમના એસઆઈપી ઑફર કરવા અનુરોધ કર્યો છે. આમ તો ફંડ્સ માટે આ કામ મોંઘું પડવાની સમસ્યા છે, પરંતુ એનો ઉપાય પણ કરી શકાય છે.
ઉતારવું તો પડશે જ...
વજન ઓછું કરવાના આઇડિયામાં પંક્ચર પડવાનાં કારણ ઓછાં ક્યાં છે?
ઘરની અંદરથી નીં5ળતો બહારનો સંબંધ
સ્ત્રી અને પુરુષ લગ્નબાહ્ય સંબંધને એકમાત્ર વિકલ્પ ગણાવી વિવાહજીવનની મર્યાદા ઓળંગે ત્યારે..
વૃદ્ધાવસ્થાઃ શું છે હેલ્થી એજિંગ?
વધતી ઉંમર સાથે તંદુરસ્તી ગુમાવવી કે જાળવી રાખવી એ માણસના પોતાના હાથમાં છે.
બાર મહિનાના ઘઉં ભરી રાખતાં હો તો...
અનાજમાં જીવડાં ન થાય એ માટે આટલી તકેદારી તો લેવી જ રહી.
નણંદ-ભાભી જ નહીં, બારામતી બનશે સાહેબ અને દાદાના જંગનું સાક્ષી
પાંચ દાયકા કરતાં વધુ સમયથી પુણે જિલ્લાનો મતવિસ્તાર શરદ પવારનો ગઢ બનીને રહ્યો છે. હવે પહેલી વાર એમના સામ્રાજ્ય સામે પડકાર ઊભો થયો છે... અને એ પડકાર એમના ઘરમાંથી જ, સગા ભત્રીજા તરફથી જ છે. દીકરી સામે ભત્રીજાવહુનો આ જંગ જામવાનો છે એ બારામતીનો લઈએ પરિચય.
મહેનતનો રંગ લાલ
આજે પણ એવાં કેટલાંક કામ છે જે કરતાં સ્ત્રી અચકાય છે. અલબત્ત, હવે મહિલાઓમાં સમાજની પરવા કર્યા વિના આજીવિકા માટે આવા વ્યવસાય અપનાવવા હિંમત ખૂલી રહી છે. આવું જ એક ઉદાહરણ રાજકોટમાં છે, પતિના અવસાન બાદ એક સ્ત્રી ખુમારી સાથે પાનની દુકાન સંભાળી રહી છે.
ગુજરાત ભાજપની ગડમથલરૂપાલા વિવાદમાં મોદી ભણી છે મીટ...
રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને જામેલા રૂપાલા વિરુદ્ધ રાજપૂતોના જંગ વચ્ચે પક્ષના બીજા કેટલાક ઉમેદવારો સામે પણ ઠેર ઠેર પ્રસરેલા અસંતોષ પછી ગુજરાત ભાજપ શા માટે ચાતક નજરે રાહ જોઈ રહ્યો છે નરેન્દ્ર મોદીની?
અહીં ચૈત્ર નવરાત્રિમાં જામે છે ગરબાની રમઝટ
વલસાડનું મા વિશ્વંભરીધામ.