જીવસૃષ્ટિના આરંભકાળની આ વાત છે. નવા નવા જીવો અસ્તિત્વમાં આવી રહ્યા હતા. એ વખતે મહર્ષિ કશ્યપની પત્ની કન્નુએ મૂકેલાં હજાર ઈંડાંમાંથી પાંચસો વર્ષ બાદ હજાર નાગપુત્રો જન્મ્યા. ત્યારે તો કઠ્ઠુ બહુ રાજી થઈ, પરંતુ આગળ જતાં પુત્રો સાથે વાંકું પડતાં આ માતાએ પોતાના જ દીકરાઓને અત્યંત આકરો શાપ આપ્યોઃ ‘પાંડુવંશી જનમેજયના સર્પયજ્ઞમાં અગ્નિ તમને બાળી મૂકશે.’
આ કદ્રુની બહેન વિનતા પણ કશ્યપ ઋષિની પત્ની હતી. બન્ને બહેનોએ પતિના વરદાન થકી જ ઈંડાં મૂકેલાં. કદ્રુનાં હજાર સામે વિનતાએ ફક્ત જ ઈંડાં મૂકેલાં. પાંચસો વરસે કદ્રુના પુત્રો તો જન્મ્યા, પરંતુ વિનતાએ મૂકેલાં ઈંડાં ન ફૂટ્યાં. નાની બહેન વહેલી માતા બની ગઈ વાતે મોટી બહેન વિનતા વ્યથિત થઈ. માસી બનવાની ખુશી કરતાં માતા ન બનવાનું દુઃખ એણે વધુ પ્રબળ રીતે અનુભવ્યું.
વિનતાએ જગતની પેલી અત્યંત શક્તિશાળી એવી તમે લઈ ગયા, અમે રહી ગયાવાળી, ફોમો (ફિયર ઑફ મિસિંગ આઉટ)ની લાગણી અનુભવી.
પોતાનાં બે ઈંડાં વિનતાની નજર સામે હતાં. એ સમજતી હતી કે ઈંડાં એની જાતે ફૂટે એ જ યોગ્ય ગણાય, પરંતુ ઓછપ અને અકળામણ અનુભવી રહેલી વિનતાથી રહેવાયું નહીં. એણે જલદી પુત્ર મેળવી લેવાની અધીરાઈથી પ્રેરાઈને પોતાનાં બેમાંનું એક ઈંડું હાથ વડે ફોડી નાખ્યું.
એ ઈંડામાંથી પુત્ર બહાર આવ્યો. વિનતા એને જોઈને ડઘાઈ ગઈ. પુત્ર અડધો કાચો હતો. એનો કમરથી ઉપરનો ભાગ ઘડાઈ ચૂક્યો હતો, પરંતુ બાકીનો ભાગ હજુ આકાર પામ્યો નહોતો. પુત્રએ જન્મતાંની સાથે જ માતાને શાપ આપ્યોઃ ‘હે માતા, મારી હાલતનું કારણ તમે છો. તમે તમારી બહેન કદ્રુ પ્રત્યે ઈર્ષ્યા અનુભવો છો. તમે એનાથી ચડિયાતી બનવા માગો છે, પણ જાઓ, હું તમને શાપ આપું છું કે તમારે કદ્રુથી ઊતરતા સ્થાને રહેવું પડશે. તમારે ૫૦૦ વર્ષ સુધી માસીની દાસી બનવું પડશે.’
આ શાપ સાંભળીને વિનતા ભાંગી પડી. એને ખૂબ પસ્તાવો થયો, પરંતુ હવે શું થાય? તબ પછતાવત ક્યા હોવે જબ ચીડિયા ફૂગ ગઈ ખેત..
This story is from the May 29, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the May 29, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
નબળો રૂપિયો વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય નહીં બની શકે...
મોદી સરકાર રૂપિયાની કરન્સીને વિશ્વભરમાં સ્વીકાર્ય બનાવવાનું લક્ષ્ય રાખે છે, રિઝર્વ બૅન્કે આ દિશામાં આગળ વધવા રૂપિયાની ડિજિટલ કરન્સી વિકસાવી છે, પરંતુ આપણું ચલણ બીજા દેશોમાં સ્વીકાર્ય બને ત્યાં સુધી એ મુશ્કેલ લાગે છે.
મોબાઈલના સદુપયોગની શરૂઆત કરવી છે? અપનાવી લો Google Keep
ન જાણતા હો તો જાણી લો Find My Device અને Parental Control જેવાં મોબાઈલ ફોનમાં આવતાં ફીચર્સના ફાયદા.
ચૂંટણીના એ ચાદગાર નારા, જે છવાઈ ગયા જનમાનસમાં!
થોડામાં ઝાઝું... ચૂંટણીપ્રચારના કેન્દ્રમાં જે મુદ્દો હોય એને બહુ જ ઓછા શબ્દોમાં, પણ મતદારોનાં દિમાગમાં સોંસરવો ઊતરી જાય એ રીતે પહોંચાડવાનું કામ કરે છે જુદાં જુદાં ઈલેક્શન સ્લોગન.
પવિત્ર સંબંધના પાયા કેમ હલવા લાગ્યા છે?
છેલ્લાં કેટલાંક વર્ષમાં લગ્નવિચ્છેદ થવા પાછળનાં કારણ બહુ વધ્યાં છે, પણ એનો ઉપાય એક જ છે.
બીપી-ડાયાબિટીસ બની શકે પ્રેગ્નન્સી સમયની પળોજણ
નાની ઉંમરની છોકરીઓમાં વધુ જોવા મળતી પ્યુબર્ટી મેનોરેજિયા જેવી વ્યાધિને અવગણવા જેવી નથી.
જન્મતાંની સાથે દેખાડ્યો સંગીતનો જાદુ
ડૉક્ટર-એન્જિનિયર બનવાને બદલે એણે સૂર-તાલની સંગાથે કારકિર્દી ઘડવાનું પસંદ કર્યું. આજે એને જ સથવારે અમદાવાદની આ યુવતી મનોરંજન ક્ષેત્રે કાઠું કાઢી રહી છે.
સિનેસ્ટાર્સ અને પોલિટિક્સ બહુત યારાના લગતા હૈ…
લોકસભાની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે ત્યારે ફરી એક વાર સિનેસ્ટાર્સ અને પોલિટિક્સનો રોમાન્સ ખીલી રહ્યો છે, પરંતુ આ વખતે મામલો જરા અલગ છે.
વાત વટે ચડી છે...
ભાજપના ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલાને હટાવવાની માગ વચ્ચે ખુદ રૂપાલાએ જ ૧૬મીએ ઉમેદવારીપત્ર ભરવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતમાં ફરી એક હાઈ-પ્રોફાઈલ ડ્રામા જોવા મળે એવાં એંધાણ છે...
એક રિચાર્જ ઐસા ભી કર દો...
ગુજરાતમાં અનેક સ્થળે ઉનાળાના આરંભે જ પાણીની અછત વર્તાવા માંડી છે. આ સમસ્યાનો સચોટ ઉકેલ વરસાદી જળને ભૂગર્ભમાં ઉતારતી ‘રેઈન વૉટર હાર્વેસ્ટિંગ ઍન્ડ ગ્રાઉન્ડ વૉટર રિચાર્જ સિસ્ટમ’નો જ છે. હવે જો કે આ પદ્ધતિમાં પણ અપગ્રેડેશન થયું છે, જેથી રિચાર્જ્ડ વૉટરને પ્રદૂષણ અને હાનિકારક બૅક્ટેરિયાથી મુક્ત રાખી શકાય. સુરતમાં આ કામગીરીનાં મીઠાં ફળ મળ્યાં છે.
દિવસો ફરી આવ્યા ટીપેટીપાં માટે વલખાં મારવાનાં
ઉનાળો આવ્યો નથી ને જળ-સમસ્યાની રાડ ઊઠી નથી. એમાં પણ ભૌગોલિક પરિસ્થિતિ અને મૂળ ઓછા વરસાદને કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માર્ચ-એપ્રિલથી પાણીનાં એક-એક બુંદ માટે તરસવું પડે એવી નોબત આવી જાય છે. વર્ષોથી પ્રજાએ જેનો ભોગ બનવું પડે છે એવું આ જળસંકટ નિવારવા જાતજાતની યોજના બની છે, પણ મોટા ભાગની કોરીધાકોર. ક્યારે આવશે આ પ્રશ્નનો કાયમી ઉકેલ?