દેશમાં ક્યાંય પણ ગુલાબી નગરીની વાત નીકળે એટલે લોકોના મોઢે રાજસ્થાનના જયપુર શહેરનું જ નામ આવે. બહુ ઓછા લોકો જાણતા હશે કે ગુજરાતમાં પણ એક ગુલાબી નગરી છે.
એ નગર એટલે ધ્રાંગધ્રા. હા, ધ્રાંગધ્રા એ ગુજરાતના ગુલાબી શહેરની ઓળખ ધરાવે છે. ધ્રાંગધ્રામાં પ્રવેશ કરતાં જ આજે પણ અનેક ઘરની દીવાલ ગુલાબી કલરથી રંગેલી નજરે ચડે છે. જયપુરની જેમ ધ્રાંગધ્રા પણ બ્રિટિશરાજ દરમિયાન કાઠિયાવાડનું એક મહત્ત્વનું રજવાડું હતું.
આ શહેરના નામ સાથે જ એનો ઈતિહાસ જોડાયેલો છે. ધન્ગ એટલે પથ્થર અને ધરા મતલબ ધરતી. આ બન્ને શબ્દોને જોડીને આ શહેરને નામ અપાયું ધ્રાંગધ્રા. નામ સૂચવે છે એમ, આ નગરી એના પથ્થર, ખાસ તો ગુલાબી પથ્થર માટે જાણીતી છે. આજે પણ આ પંથક ગુલાબી પથ્થરોની ખાણોથી ધમધમે છે. મોઢેરાનું સૂર્ય મંદિર કે પાટણની રાણકી વાવ જ નહીં, એ પછી ભગવાન સોમનાથ, દ્વારકાનું જગત મંદિર, ગાંધીનગરનું અક્ષરધામ મંદિર, રાજસ્થાન સહિત અનેક રાજ્યોનાં વિખ્યાત મંદિરો, રાજમહેલ અને ઐતિહાસિક ઈમારતો ધ્રાંગધ્રાના પથ્થરોથી બની છે.
રાજાશાહી વખતે ઝાલાવંશનું અહીં રાજ હતું. સુરેન્દ્રનગરથી આશરે ૫૦ કિલોમીટર દૂર વસેલું ધ્રાંગધ્રા કચ્છના નાના રણની નજીક આવેલું હોવાથી સુરક્ષાની રીતે પણ મહત્ત્વનું છે અને અહીં લશ્કરી થાણું પણ છે. ઘુડખર અભયારણ્ય પણ બાજુમાં છે. આશરે એક લાખની વસતિ ધરાવતા આ શહેરની અનેક ઓળખ છે, પરંતુ પથ્થરકળા અને શિલ્પકળા આ પંથકની એક આગવી ઓળખ બની છે. સદીઓથી અહીંના સૅન્ડસ્ટોન અને એમાંથી બનતી કળાકૃતિ દેશના અનેક ભાગોમાં મોકલવામાં આવે છે.
- અને છેલ્લા દાયકા કરતાં વધુ સમયથી તો ધ્રાંગધ્રા પથ્થરકળા શીખવતું એક મોટું કેન્દ્ર પણ બની ગયું છે. ગુજરાત સરકારના ખાણ-ખનિજ વિભાગ સંચાલિત આ શૈક્ષણિક કેન્દ્ર વિસરાઈ રહેલી પથ્થરકળાને જીવંત રાખવા ઉપરાંત અનેક યુવાનોને કારકિર્દી ઘડવામાં પણ નિમિત્ત બન્યું છે.
આ કળાને ધબકતી રાખવા અહીંના લોકોની લાંબા સમયની માગ હતી. વર્ષ ૨૦૦૯માં તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી ધ્રાંગધ્રાની મુલાકાતે આવ્યા હતા. એ વખતે આધુનિક ટેક્નોલૉજીની મદદથી આ કળાને નવો મોડ આપવા અને નવી પેઢીને તૈયાર કરવા એમણે સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ (સાપ્તિ)ની સ્થાપના કરવાનો નિર્ણય લીધો અને આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું.
This story is from the May 15, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the May 15, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
નયા હિંદુસ્તાન... નયા સિનેમા!
દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે એક નજર ઈલેક્શન્સ પહેલાં આવેલી અને હવે આવનારી કેટલીક પોલિટિકલ ફિલ્મો પર.
સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..
સંસદમાં મહિલા અનામતની વાત થાય છે, પણ ચૂંટણીમાં પૂરતું પ્રતિનિધિત્વ કેમ મળતું નથી?
સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?
માતા અને બાળક વચ્ચે ભાવનાત્મક સંબંધ બાંધી આપે છે બ્રેસ્ટ ફીડિંગ.
હું અમદાવાદની રિક્ષાવાળી...
પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનારી અમદાવાદી યુવતી પતિનો સ્નેહ-સથવારો છૂટ્યા પછી એના પગલે ચાલવા માટે રિક્ષાચાલક બની. એની આ સંઘર્ષભરી સફર બીજી મહિલાઓને પણ નવી દિશા સૂચવે એવી છે.
વિકાસયાત્રા સામે કપરાં ચઢાણ બનતા વૈશ્વિક પડકાર
૨૦૧૪ પછીના દાયકામાં મોદી સરકારે આર્થિક, સામાજિક અને રાજકીય મોરચે ઘણી સફળતા પ્રાપ્ત કરી, હવે ચૂંટણી બાદ મોદી સરકાર જ પાછી સત્તા પર આવવાની આશા-વિશ્વાસ ભલે ઊંચાં રહ્યાં, પણ આપણી પ્રગતિમાં અંતરાય આવવાના જ છે.
ડી. ગુકેશઃ વિશ્વ શતરંજનો નવો સિતારો
ચેસની રમતના વર્લ્ડ ચૅમ્પિયનને પડકાર આપે એવા ખેલાડીને શોધવા માટે થતી સ્પર્ધાના ભારતીય વિજેતાને ઓળખી લો.
સુરતઃ ચૂંટણી ભલે ન થાય, પ્રચારસામગ્રી તો અમારી જ!
લોકસભા ઈલેક્શન સુરતની કાપડબજારને કરાવશે કરોડોનો વકરો.
અમારે ગામને સ્માર્ટ નહીં, નંદનવન બનાવવાં છે!
સમસ્ત મહાજનના ગિરીશભાઈનો સંકલ્પ... પ્રાચીન ભારતમાંનાં ગામો સ્વાવલંબી અને તંદુરસ્ત હતાં અને એ મંત્રના આધારે ગુજરાતનાં ત્રણ ગામોનો મોડેલ ગામ તરીકે વિકાસ કરાયો છે. ત્યાંનો ગાંડો બાવળ સાફ કરાયો છે, જળાશયોમાંથી કાંપ કાઢી એને ઊંડાં કરાયાં છે, નવાં ગોચર ઊભાં કરાયાં છે અને હા, ચાર હજાર દેશી વૃક્ષોનું રોપણ પણ કરાયું છે. આનાં પરિણામ એકદમ સકારાત્મક જોવા મળી રહ્યાં છે.
મને માફ કરો...આઈ ઍમ સૉરી...
જાણતાં-અજાણતાં થયેલા મન દુભાવનારા વાણી-વ્યવહાર માટે માફી માગી લેવાની અને આપવાની પરંપરા હજીય જીવંત છે. બીજી બાજુ, અમુક લોકો સ્વાર્થી હેતુસર કે પ્રતિપક્ષને અપમાનિત કરાવવા માફી મગાવવાની જીદ લે છે. આવો, જાણીએ માફીનામાની રસપ્રદ વાતો.
તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર
આઝાદીનાં આરંભનાં વર્ષોમાં ભારતીયોએ અનેક ફૂલગુલાબી સપનાં જોયાં. કમનસીબે એ વખતે આપણો પનો ટૂંકો પડ્યો. હવે જો કે લોકોને ફરી આશા બંધાઈ છે. એક નવી ઉમ્મીદ સાથે નવી સવાર પડી છે.