વધેલા રંગથી ફ્રેમ બનાવી દીવાલ સજાવો, ઘરની ચીજોને નવો કલર-કોટ આપો કે ટાયરનો આ રીતે ઉપયોગ કરો.
ઘરમાં રિનોવેશન અને કલર કામ કરાવ્યા બાદ થોડા ભરેલા કે ક્યારેક તો અડધોઅડધ કલરના ડબ્બા બચી જાય છે. પડ્યા પડ્યા રંગ સુકાઈ જાય ત્યારે લોકો એ કચરામાં ફેંકી દે અથવા તો કામ પૂરું થાય ત્યારે જ રિનોવેશનનો કૉન્ટ્રાક્ટ આપ્યો હોય એને એ ડબ્બા આપી દે, પરંતુ આ વધેલા કલરનો બખૂબી ઉપયોગ કરીને ઘરની સજાવટમાં નોખો લુક આપી શકાય છે.
ઘર સજા કે દેખો..ની આગલી કૉલમમાં આપણે ઘરમાં નકામી પડી રહેલી સામગ્રીથી ગૃહસજાવટ માટે ઉપયોગમાં લઈ શકાય એવી અમુક ચીજવસ્તુ વિશે વાત કરી હતી. આજે વાત કરીએ, વધારાના કલરથી આપણે નવેસરથી ઘરને કઈ રીતે સજાવી શકીએ એની. એમાંય જ પરિવારો ઘરના જુદા જુદા રૂમમાં અલગ અલગ કલર કરાવે એ તો મિક્સ ઍન્ડ મૅચના ઘણા વિકલ્પ અપનાવી શકે.
This story is from the April 03, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 03, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
શ્રી દાક્ષિણ્યના પાઠ ઘર અને સ્કૂલથી જ શીખવીએ...
કોઈ પણ યુવતી આપણા માટે ‘તૈયાર’ છે એવી વિકૃત સમજ બદલવાની પુરુષે જરૂર નથી?
રંગમંચનું મહત્ત્વ અદકેરુ.
ઓટીટી, ડિજિટલના ઘોર કળિયુગમાં પણ...
પડદા વિનાનો રંગમંચ, ઈન્ટરવલ વિનાનું નાટક...
અમદાવાદમાં નાટ્યગૃહોની અછતનો ઉકેલ કેટલાક પ્રયોગશીલ નાટ્યકર્મીઓએ અવનવાં થિયેટરથી આણ્યો છે.
સુરત છે. રંગભૂમિની પાઘલડીનું સોનેરી ફૂમતું...
ગુજરાતમાં નાટકની જનની ગણાતા આ શહેરમાં તખતાને જિવાડવા થાય છે દમદાર પ્રવૃત્તિ.
સૌરાષ્ટ્રમાં આજેય ધમધમે છે નાટકનું ફળિયું
તાળીનો ગડગડાટ થોડો ઘટ્યો છે, પણ નથી ઓસર્યો નાટ્યસંસ્કૃતિને જિવાડવાનો જુસ્સો.
ભાવનગર-જામનગરની તાસીર છે નિરાળી...
સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારો સુધી નાટકો પહોંચતાં નથી અને મનોરંજનના બીજા વિકલ્પો મળી રહેતાં લોકો એ તરફ વળે એ સાહજિક છે.
જીવનની કેડીએ હજી ડગ માંડ્યાં ત્યાં પગ ગુમાવ્યા, પણ મનોબળ નહીં...
સુરેન્દ્રનગર જિલ્લાના એક ગામની દીકરીની રમવાની ઉંમરે પોલિયોની બીમારીએ પગ છીનવી લીધા, પરંતુ સંજોગો સામે નિરાશ થઈને બેસી રહેવાને બદલે એણે જીવનમાં આગળ વધવાનો દૃઢ સંકલ્પ કર્યો. આજે એ દિવ્યાંગ મહિલા સરકારી અધિકારી તરીકે ફરજ બજાવે છે.
રંગે રમો, પણ ક્લરની અસરથી બચો...
ધુળેટીના પર્વની મજા શરીર પર ચકામાં બનીને ઊપસી ન આવે એ જો જો.
પ્રાચીન વાદ્યોના સૂરમાં શ્વાસ પૂરે છે આ પ્રોફેસર
બારડોલીના અધ્યાપક ડૉ. વિક્રમ ચૌધરીએ ૧૦ વર્ષની મહેનતમાં અનેક લોકોની મુલાકાત, હજારો કિલોમીટરની રઝળપાટ અને કેટલાંય પુસ્તકો ખંખોળ્યા બાદ ‘ભારતીય આદિમ સંગીત વાદ્યો’ એ નામે પુસ્તક તૈયાર કર્યું છે, જેમાં ૧૦૦ જેટલાં વાજિંત્રોની ઓળખ, ઉત્પત્તિ, નિર્માણકળા તથા વગાડવાની પદ્ધતિ આપી છે.
આજ બિરજ મેં હોરી રે, આયી રસિયા કી ટોરી...
‘ઐસી હોરી તોહે ખિલાઉં, દૂધ છઠ્ઠી કો યાદ દિલાઉં, સૂન રે સાંવરે...’ વસંત પંચમીથી શરૂ થયેલી વ્રજમંડળની હોળી દોઢ મહિનો ચાલે છે. વ્રજનાં તમામ માં વિવિધ સ્વરૂપે હોળી ખેલાય છે, અનેક મનોરથ થાય છે, પણ બરસાનાની લઠમાર હોળી જોવા તો દુનિયાભરમાંથી ટૂરિસ્ટો ઊમટે છે. આ પ્રસંગે કૃષ્ણના ભક્તોને રાધાજીની ભક્તાણીઓ તરફથી પડતી લાઠી પાછળનો ભાવ સમજવા જેવો છે.