સુવાસનો મહિમા ભારતીય સંસ્કૃતિમાં હજારો વર્ષોથી ગવાતો આવ્યો છે. કહેવાય છે કે અત્તર બનાવવાની કળાનો જન્મ આશરે ૫૦૦૦ વર્ષ પહેલાં ભારતમાં જ થયો હતો. ત્યારથી અત્યાર સુધી માનવજીવનમાં સુગંધનું મહત્ત્વ વધતું રહ્યું છે. આજના સોશિયલ મિડિયાના યુગમાં તથા ભારતીય પ્રવાસી દુનિયાઆખી ધમરોળી રહ્યો છે ત્યારે ભારતીય યુવાપેઢીમાં સુગંધ માટેનો રસ વધી રહ્યો છે. વિશ્વભરમાં ૨૧ માર્ચ ઈન્ટરનૅશનલ ફ્રેગ્રન્સ ડે એટલે કે વિશ્વ સુવાસ દિવસ તરીકે ઊજવવામાં આવે છે ત્યારે ભારતના સુગંધવિશ્વમાં ચાલી રહેલા લેટેસ્ટ ટ્રેન્ડ પર નજર નાખીએ.
ગુલાબસિંહ જોહરીમલ
૧૮૧૬માં સ્થપાયેલી દિલ્હીની ગુલાબસિંહ જોહરીમલ એટલે ભારતની સૌથી જૂની હેરિટેજ પરફ્યુમરીઝમાંની એક. સુગંધપ્રેમીઓ માટે આ સ્વર્ગનું સરનામું ગણાય. ગુલાબસિંહ જોહરીમલની સાતમી પેઢીના માસ્ટર પરફ્યુમર મુકુલ ગન્ધી કહે છે: ‘આજની પેઢીમાં સુગંધ વિશે જ્ઞાન તેમ જ એના વિશે જાણવાનું કુતૂહલ વધી રહ્યું છે. આને કારણે ભારતના યુવાનો એમના મૂળ તરફ પાછા ફરી રહ્યા છે. નવી પેઢીના યુવાનો ગુલાબ, મોગરા, ખસ, રજનીગંધા, પારિજાત અને ખાસ તો ઉદ અથવા અગર જેવી આપણી વર્ષો પુરાણી પરંપરાગત સુગંધ અજમાવી રહ્યા છે.’
નવી પેઢીના યુવાનો ખાસ તો ‘ઉદ’ અથવા ‘અગર’ જેવી આપણી વર્ષો પુરાણી પરંપરાગત સુગંધ અજમાવી રહ્યા છે.
મુકુલ ગન્ધી ઉમેરે છેઃ ‘ઉદ અથવા અગરનો ઉલ્લેખ આયુર્વેદ અને બીજા પ્રાચીન ભારતીય ગ્રંથોમાં પણ છે. ગન્ધીનું રૉયલ ઉદ સીડર એ લેટેસ્ટ પરફ્યુમ છે, જેમાં ભારતીય ઉદની સાથે વૂડી અને લીંબુ જેવી સાઈટ્રસ નોટ્સની સુગંધ છે. આ લાઈટ અને યુનિસેક્સ પરફ્યુમ યુવા ભારતીયોમાં લોકપ્રિય બન્યું છે.’
This story is from the March 27, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the March 27, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
શ્રી દાક્ષિણ્યના પાઠ ઘર અને સ્કૂલથી જ શીખવીએ...
કોઈ પણ યુવતી આપણા માટે ‘તૈયાર’ છે એવી વિકૃત સમજ બદલવાની પુરુષે જરૂર નથી?
રંગમંચનું મહત્ત્વ અદકેરુ.
ઓટીટી, ડિજિટલના ઘોર કળિયુગમાં પણ...
પડદા વિનાનો રંગમંચ, ઈન્ટરવલ વિનાનું નાટક...
અમદાવાદમાં નાટ્યગૃહોની અછતનો ઉકેલ કેટલાક પ્રયોગશીલ નાટ્યકર્મીઓએ અવનવાં થિયેટરથી આણ્યો છે.
સુરત છે. રંગભૂમિની પાઘલડીનું સોનેરી ફૂમતું...
ગુજરાતમાં નાટકની જનની ગણાતા આ શહેરમાં તખતાને જિવાડવા થાય છે દમદાર પ્રવૃત્તિ.
સૌરાષ્ટ્રમાં આજેય ધમધમે છે નાટકનું ફળિયું
તાળીનો ગડગડાટ થોડો ઘટ્યો છે, પણ નથી ઓસર્યો નાટ્યસંસ્કૃતિને જિવાડવાનો જુસ્સો.
ભાવનગર-જામનગરની તાસીર છે નિરાળી...
સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારો સુધી નાટકો પહોંચતાં નથી અને મનોરંજનના બીજા વિકલ્પો મળી રહેતાં લોકો એ તરફ વળે એ સાહજિક છે.
જીવનની કેડીએ હજી ડગ માંડ્યાં ત્યાં પગ ગુમાવ્યા, પણ મનોબળ નહીં...
સુરેન્દ્રનગર જિલ્લાના એક ગામની દીકરીની રમવાની ઉંમરે પોલિયોની બીમારીએ પગ છીનવી લીધા, પરંતુ સંજોગો સામે નિરાશ થઈને બેસી રહેવાને બદલે એણે જીવનમાં આગળ વધવાનો દૃઢ સંકલ્પ કર્યો. આજે એ દિવ્યાંગ મહિલા સરકારી અધિકારી તરીકે ફરજ બજાવે છે.
રંગે રમો, પણ ક્લરની અસરથી બચો...
ધુળેટીના પર્વની મજા શરીર પર ચકામાં બનીને ઊપસી ન આવે એ જો જો.
પ્રાચીન વાદ્યોના સૂરમાં શ્વાસ પૂરે છે આ પ્રોફેસર
બારડોલીના અધ્યાપક ડૉ. વિક્રમ ચૌધરીએ ૧૦ વર્ષની મહેનતમાં અનેક લોકોની મુલાકાત, હજારો કિલોમીટરની રઝળપાટ અને કેટલાંય પુસ્તકો ખંખોળ્યા બાદ ‘ભારતીય આદિમ સંગીત વાદ્યો’ એ નામે પુસ્તક તૈયાર કર્યું છે, જેમાં ૧૦૦ જેટલાં વાજિંત્રોની ઓળખ, ઉત્પત્તિ, નિર્માણકળા તથા વગાડવાની પદ્ધતિ આપી છે.
આજ બિરજ મેં હોરી રે, આયી રસિયા કી ટોરી...
‘ઐસી હોરી તોહે ખિલાઉં, દૂધ છઠ્ઠી કો યાદ દિલાઉં, સૂન રે સાંવરે...’ વસંત પંચમીથી શરૂ થયેલી વ્રજમંડળની હોળી દોઢ મહિનો ચાલે છે. વ્રજનાં તમામ માં વિવિધ સ્વરૂપે હોળી ખેલાય છે, અનેક મનોરથ થાય છે, પણ બરસાનાની લઠમાર હોળી જોવા તો દુનિયાભરમાંથી ટૂરિસ્ટો ઊમટે છે. આ પ્રસંગે કૃષ્ણના ભક્તોને રાધાજીની ભક્તાણીઓ તરફથી પડતી લાઠી પાછળનો ભાવ સમજવા જેવો છે.