અત્યાર સુધી સોશિયલ મિડિયા પર અને રહ્યા હતા. ધાંસૂ ઍક્ટર નવાઝુદ્દીન નવાઝુદ્ધીન સિદાકા અને છૂટાછવાયા સમાચાર આવી સિદ્દીકી અને એની પત્ની આલિયાનો ઘરેલુ ઝઘડો હવે જાહેરમાં આવ્યો છે. નવાઝે કોર્ટ પાસેથી બાળકોની કસ્ટડી માગી છે તો આલિયાએ નવાઝ પર મેરિટલ રેપ, મારપીટના આરોપ લગાવ્યા છે. આટલું હજી જાણે ઓછું હોય એમ ગયા મહિને નવાઝે દુબઈમાં પોતાનાં બાળકોની સંભાળ માટે રાખેલી આયાએ એની પર આરોપ લગાવ્યો કે ‘એના શેઠ નવાઝુદ્દીન સિદ્દીકીએ પગાર જ નથી આપ્યો, ખાવાનાં સાંસાં છે, અજાણ્યા દેશ દુબઈમાં મારી સાથે ઠગાઈ થઈ છે.’ તો નવાઝના છોટા ભાઈ શમાસે એવું કહ્યું કે ‘મારો ભાઈ નવાઝુદ્દીન સિદ્દીકી એક નંબરનો મતલબી છે. ગરજ સરી કે વેદ વેરી જેવો એનો અભિગમ રહ્યો છે. એને કારણે આલિયાએ બહુ સહન કર્યું છે, કરી રહી છે.’
ગયા અઠવાડિયે એક એવો વિડિયો આવ્યો, જેમાં નવાઝના ભાઈઓ એને (નવાઝને) એની માને મળતો અટકાવી રહ્યા છે. તો આ તરફ આલિયાએ એક વિડિયો વહેતો કર્યો, જેમાં એ સજળ નેત્રો સાથે કહી રહી છે કે ‘અત્યારે (રાતે) મને ને મારાં બાળકોને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યાં છે.’ વિડિયો વાઈરલ થતાં ૪૮ વર્ષી નવાઝુદ્દીન તરફથી એવું બયાન આવ્યું કે ‘એમને કોઈએ ઘરવિહોણાં નથી કર્યાં, બલકે છએક વર્ષ પહેલાં નવાઝે આલિયાને એક સરસ મજાનું ઘર મુંબઈમાં લઈ આપેલું, જેમાં એ બાળકો સાથે રહેતી, પણ એ એણે (આલિયાએ) ભાડે આપી દીધું. એને તો નવાઝના બંગલા પર કબજો કરવો છે. જો કે એ બંગલો નવાઝે એની મા મેહરુનિસ્સા સિદ્દીકીના નામે કરી દીધો છે.’
સચ્ચાઈ શું છે એ તો તપાસ બાદ કોર્ટનો ચુકાદો આવે ત્યારે ખબર પડશે. બન્ને એકબીજાંથી છૂટાં થવા માગે છે. આમ જોવા જઈએ તો એ જોડાયેલાં જ નથી, પણ કદાચ સામસામી આક્ષેપબાજીમાંથી, મનોઝંઝટમાંથી છૂટાં થવા માગે છે. મિયાં-બિવીના વિગ્રહની દાસ્તાન દરરોજ અખબારોમાં આવ્યા કરે છે. રિયાલિટી એ છે કે મન મોતી ને કાચ એક વાર તૂટ્યા પછી સંધાતાં નથી, પણ કહેવાનું એટલું જ કે ધણી-ધણિયાણીનાં બે માસૂમ બાળકો આ બધું ડિઝર્વ નથી કરતાં. એમની સાથે આવું થવું ન જોઈએ. એમની વિષમતા વિશે વિચારતાં પારાવાર ખેદ થાય છે.
This story is from the March 20, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the March 20, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
નબળો રૂપિયો વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય નહીં બની શકે...
મોદી સરકાર રૂપિયાની કરન્સીને વિશ્વભરમાં સ્વીકાર્ય બનાવવાનું લક્ષ્ય રાખે છે, રિઝર્વ બૅન્કે આ દિશામાં આગળ વધવા રૂપિયાની ડિજિટલ કરન્સી વિકસાવી છે, પરંતુ આપણું ચલણ બીજા દેશોમાં સ્વીકાર્ય બને ત્યાં સુધી એ મુશ્કેલ લાગે છે.
મોબાઈલના સદુપયોગની શરૂઆત કરવી છે? અપનાવી લો Google Keep
ન જાણતા હો તો જાણી લો Find My Device અને Parental Control જેવાં મોબાઈલ ફોનમાં આવતાં ફીચર્સના ફાયદા.
ચૂંટણીના એ ચાદગાર નારા, જે છવાઈ ગયા જનમાનસમાં!
થોડામાં ઝાઝું... ચૂંટણીપ્રચારના કેન્દ્રમાં જે મુદ્દો હોય એને બહુ જ ઓછા શબ્દોમાં, પણ મતદારોનાં દિમાગમાં સોંસરવો ઊતરી જાય એ રીતે પહોંચાડવાનું કામ કરે છે જુદાં જુદાં ઈલેક્શન સ્લોગન.
પવિત્ર સંબંધના પાયા કેમ હલવા લાગ્યા છે?
છેલ્લાં કેટલાંક વર્ષમાં લગ્નવિચ્છેદ થવા પાછળનાં કારણ બહુ વધ્યાં છે, પણ એનો ઉપાય એક જ છે.
બીપી-ડાયાબિટીસ બની શકે પ્રેગ્નન્સી સમયની પળોજણ
નાની ઉંમરની છોકરીઓમાં વધુ જોવા મળતી પ્યુબર્ટી મેનોરેજિયા જેવી વ્યાધિને અવગણવા જેવી નથી.
જન્મતાંની સાથે દેખાડ્યો સંગીતનો જાદુ
ડૉક્ટર-એન્જિનિયર બનવાને બદલે એણે સૂર-તાલની સંગાથે કારકિર્દી ઘડવાનું પસંદ કર્યું. આજે એને જ સથવારે અમદાવાદની આ યુવતી મનોરંજન ક્ષેત્રે કાઠું કાઢી રહી છે.
સિનેસ્ટાર્સ અને પોલિટિક્સ બહુત યારાના લગતા હૈ…
લોકસભાની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે ત્યારે ફરી એક વાર સિનેસ્ટાર્સ અને પોલિટિક્સનો રોમાન્સ ખીલી રહ્યો છે, પરંતુ આ વખતે મામલો જરા અલગ છે.
વાત વટે ચડી છે...
ભાજપના ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલાને હટાવવાની માગ વચ્ચે ખુદ રૂપાલાએ જ ૧૬મીએ ઉમેદવારીપત્ર ભરવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતમાં ફરી એક હાઈ-પ્રોફાઈલ ડ્રામા જોવા મળે એવાં એંધાણ છે...
એક રિચાર્જ ઐસા ભી કર દો...
ગુજરાતમાં અનેક સ્થળે ઉનાળાના આરંભે જ પાણીની અછત વર્તાવા માંડી છે. આ સમસ્યાનો સચોટ ઉકેલ વરસાદી જળને ભૂગર્ભમાં ઉતારતી ‘રેઈન વૉટર હાર્વેસ્ટિંગ ઍન્ડ ગ્રાઉન્ડ વૉટર રિચાર્જ સિસ્ટમ’નો જ છે. હવે જો કે આ પદ્ધતિમાં પણ અપગ્રેડેશન થયું છે, જેથી રિચાર્જ્ડ વૉટરને પ્રદૂષણ અને હાનિકારક બૅક્ટેરિયાથી મુક્ત રાખી શકાય. સુરતમાં આ કામગીરીનાં મીઠાં ફળ મળ્યાં છે.
દિવસો ફરી આવ્યા ટીપેટીપાં માટે વલખાં મારવાનાં
ઉનાળો આવ્યો નથી ને જળ-સમસ્યાની રાડ ઊઠી નથી. એમાં પણ ભૌગોલિક પરિસ્થિતિ અને મૂળ ઓછા વરસાદને કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માર્ચ-એપ્રિલથી પાણીનાં એક-એક બુંદ માટે તરસવું પડે એવી નોબત આવી જાય છે. વર્ષોથી પ્રજાએ જેનો ભોગ બનવું પડે છે એવું આ જળસંકટ નિવારવા જાતજાતની યોજના બની છે, પણ મોટા ભાગની કોરીધાકોર. ક્યારે આવશે આ પ્રશ્નનો કાયમી ઉકેલ?