ભગવાન શ્રી મહાવીર સ્વામીના અંતેવાસી શિષ્ય પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજીના અનન્ય ભક્ત તથા આત્મતત્ત્વજ્ઞ શ્રી પ્રવિણભાઈ મહેતા (પરમ પૂજ્ય પપ્પાજી), જેઓ શ્રીમદ્ રાજચંદ્ર આત્મ તત્ત્વ રિસર્ચ સેન્ટર, રાજનગ૨, પર્લી (મહારાષ્ટ્ર) ના પ્રણેતા હતા તેઓએ શુક્રવા૨, તા. ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૩ ના ૯૭ વર્ષની ઉંમરે પાતાના પાર્થિવ દેહનો સમાધિસ્થ ભાવે ત્યાગ કર્યો હતો. દેહને માત્ર આત્મ કલ્યાણનું સાધન સમજીને આ પવિત્ર આત્માએ આત્મા થકી આત્માનો પરિચય, અનુભવ તેમજ ઉચ્ચ આત્મિક દશા પ્રાપ્ત કરીને આગળનો આત્મ વિકાસ સાધવા દેહ પરિવર્તન કર્યું.
તા. ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૩ ની સવારથી પરમ પૂજ્ય પપ્પાજીના પાર્થિવ દેહને દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. દેશવિદેશથી આવેલા હજારો મુમુક્ષુઓએ ભીની આંખે અને લાગણીભર્યા હ્રદયે તેમના અંતિમ દર્શન કર્યા. બપોરે ૩ વાગ્યે તેમના પાર્થિવ દેહને સભામંડપ તરફ પ્રસ્થાન કરાવાયું અને ૩-૩૦ વાગ્યે સહજાત્મ સ્વરૂપની ધૂન સાથે પાલખીયાત્રા દ્વારા અંતિમ સંસ્કારના સ્થળે બધાએ સાથે પ્રયાણ કર્યું. વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં મંત્રોચ્ચારના નાદ સાથે સાંજે ૬-૩૦ વાગ્યે પૂજ્ય નિલેશભાઈ અને પરિવારના હસ્તે સમાધિ સંસ્કાર કરવામાં આવ્યો હતો.
યુવાન વયે કોલકાતામાં એક ઉચ્ચ કક્ષાના ઉદ્યોગપતિ તરીકે ઘણી સફળતા મેળવનારા પૂજ્યશ્રી આશરે ૪૫ વર્ષની વયે ૫૨મ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજીના આત્મતત્ત્વથી પરિચિત થયા અને એ પરિચય તેમના જીવનનો એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. પ્રત્યક્ષ આત્મજ્ઞાની સદગુરુ સ્વ. શ્રી ભોગીભાઈ શેઠની આજ્ઞા આશ્રયે અને પોતાના પ્રખર પુરુષાર્થ વડે ખૂબ જ ટૂંક સમયમાં તેમણે આત્માની અનુભૂતિ કરી.
પ્રયોગશીલ – ક્રાંતિકારી વિચારશૈલી વડે આધ્યાત્મિક જગત તેમ જ મુમુક્ષુઓના હ્રદયમાં તેઓ એક વિશિષ્ટ સ્થાન પામ્યા. સંસારમાં આધિ, વ્યાધિ અને ઉપાધિથી મૂંઝાયેલા લોકોને પ્રેમ, વાત્સલ્ય અને કરૂણા સાથે આત્મધર્મ, ઋણાનુંબંધ તેમ જ કર્મની સાચી સમજણ આપી સત્સુખ અને શાંતિને માર્ગે દોરતાં, જીવન જીવવાની એક અનોખી કળા - THE ART OF BALANCING શીખવી.
This story is from the March 13, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the March 13, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
નયા હિંદુસ્તાન... નયા સિનેમા!
દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે એક નજર ઈલેક્શન્સ પહેલાં આવેલી અને હવે આવનારી કેટલીક પોલિટિકલ ફિલ્મો પર.
સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..
સંસદમાં મહિલા અનામતની વાત થાય છે, પણ ચૂંટણીમાં પૂરતું પ્રતિનિધિત્વ કેમ મળતું નથી?
સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?
માતા અને બાળક વચ્ચે ભાવનાત્મક સંબંધ બાંધી આપે છે બ્રેસ્ટ ફીડિંગ.
હું અમદાવાદની રિક્ષાવાળી...
પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનારી અમદાવાદી યુવતી પતિનો સ્નેહ-સથવારો છૂટ્યા પછી એના પગલે ચાલવા માટે રિક્ષાચાલક બની. એની આ સંઘર્ષભરી સફર બીજી મહિલાઓને પણ નવી દિશા સૂચવે એવી છે.
વિકાસયાત્રા સામે કપરાં ચઢાણ બનતા વૈશ્વિક પડકાર
૨૦૧૪ પછીના દાયકામાં મોદી સરકારે આર્થિક, સામાજિક અને રાજકીય મોરચે ઘણી સફળતા પ્રાપ્ત કરી, હવે ચૂંટણી બાદ મોદી સરકાર જ પાછી સત્તા પર આવવાની આશા-વિશ્વાસ ભલે ઊંચાં રહ્યાં, પણ આપણી પ્રગતિમાં અંતરાય આવવાના જ છે.
ડી. ગુકેશઃ વિશ્વ શતરંજનો નવો સિતારો
ચેસની રમતના વર્લ્ડ ચૅમ્પિયનને પડકાર આપે એવા ખેલાડીને શોધવા માટે થતી સ્પર્ધાના ભારતીય વિજેતાને ઓળખી લો.
સુરતઃ ચૂંટણી ભલે ન થાય, પ્રચારસામગ્રી તો અમારી જ!
લોકસભા ઈલેક્શન સુરતની કાપડબજારને કરાવશે કરોડોનો વકરો.
અમારે ગામને સ્માર્ટ નહીં, નંદનવન બનાવવાં છે!
સમસ્ત મહાજનના ગિરીશભાઈનો સંકલ્પ... પ્રાચીન ભારતમાંનાં ગામો સ્વાવલંબી અને તંદુરસ્ત હતાં અને એ મંત્રના આધારે ગુજરાતનાં ત્રણ ગામોનો મોડેલ ગામ તરીકે વિકાસ કરાયો છે. ત્યાંનો ગાંડો બાવળ સાફ કરાયો છે, જળાશયોમાંથી કાંપ કાઢી એને ઊંડાં કરાયાં છે, નવાં ગોચર ઊભાં કરાયાં છે અને હા, ચાર હજાર દેશી વૃક્ષોનું રોપણ પણ કરાયું છે. આનાં પરિણામ એકદમ સકારાત્મક જોવા મળી રહ્યાં છે.
મને માફ કરો...આઈ ઍમ સૉરી...
જાણતાં-અજાણતાં થયેલા મન દુભાવનારા વાણી-વ્યવહાર માટે માફી માગી લેવાની અને આપવાની પરંપરા હજીય જીવંત છે. બીજી બાજુ, અમુક લોકો સ્વાર્થી હેતુસર કે પ્રતિપક્ષને અપમાનિત કરાવવા માફી મગાવવાની જીદ લે છે. આવો, જાણીએ માફીનામાની રસપ્રદ વાતો.
તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર
આઝાદીનાં આરંભનાં વર્ષોમાં ભારતીયોએ અનેક ફૂલગુલાબી સપનાં જોયાં. કમનસીબે એ વખતે આપણો પનો ટૂંકો પડ્યો. હવે જો કે લોકોને ફરી આશા બંધાઈ છે. એક નવી ઉમ્મીદ સાથે નવી સવાર પડી છે.