નાણાપ્રધાન નિર્મલા સીતારમણઃ અપેક્ષાનો ભાર.
ભારતીય અર્થતંત્ર ઊભરતાં રાષ્ટ્રોમાં ભલે સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર ગણાય, ભારત સામે અનેક આર્થિક-સામાજિક પડકાર ઊભા છે. ભારતે ફાસ્ટેસ્ટ ઈકોનોમીના બિરુદથી છલકાઈ કે હરખાઈ જવાની જરૂર નથી. બેરોજગારી, આર્થિક અસમાનતા, ફિસ્કલ ડેફિસિટ (રાજકોષીય ખાધ), ટ્રેડ ડેફિસિટ, રૂપિયાની નબળાઈ, મોંઘવારી, વ્યાજદર, ગ્લોબલ સમસ્યા અને અનિશ્ચિતતા જેવાં પરિબળો આપણી સામે સવાલ બનીને ઊભાં જ છે.
શૈલેશ શેઠ
આ ઉપરાંત, દેશમાં અનેક પ્રકારના ચાલતા સામાજિક, રાજકીય અને ધાર્મિક વિવાદ પણ ભારત માટે પડકાર જ ગણાય. આ વર્ષ દરમિયાન આવનારી નવ રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને ૨૦૨૪માં આવનારી સામાન્ય (લોકસભા) ચૂંટણી પણ સરકાર સામે અનેક પ્રશ્નો લઈને આવશે.
આવા સંજોગમાં ૨૦૨૩-૨૪નું કેન્દ્રીય બજેટ જાહેર થવામાં માત્ર ચાર દિવસ બાકી છે ત્યારે આ બજેટમાં ગરીબ જનતા, મધ્યમ વર્ગ, વેપાર-ઉદ્યોગ, વિવિધ બજારો, ફાઈનાન્સિયલ માર્કેટ માટે કેવાં પગલાં હશે, લોકોની શું અપેક્ષા-ધારણા છે, સંભવિત પગલાંઓની શું અસર થઈ શકે એને સમજવાનો પ્રયાસ કરીએ.
આવકવેરા સંબંધી ફેરફાર નિશ્ચિત
સૌપ્રથમ આવકવેરાની મુક્તિમર્યાદા વિશે એવી વ્યાપક ધારણા છે કે નાણાપ્રધાન આવકવેરાના માળખામાં એવા ફેરફાર કરશે કે જેનાથી મધ્યમ વર્ગને રાહતની લાગણી અનુભવાય. છેલ્લાં ત્રણેક વરસમાં કોરોનાના સંજોગોને પરિણામે નીચલા તેમ જ મધ્યમ વર્ગે ઘણું સહન કર્યું છે. એમને રાહત આપવામાં સરકારનું અર્થાત્ અર્થતંત્રનું પણ હિત છે. મુક્તિમર્યાદા વધારવાથી સરકારને આવકવેરાની રેવન્યૂમાં મોટો ફરક નહીં પડે, પરંતુ લોકોના હાથમાં નાણાં વધવાથી એ નાણાં બચત યા રોકાણ તરફ કે પછી ચીજવસ્તુઓની ખરીદી તરફ વળશે. ઈન શૉર્ટ, પ્રજાનાં બચેલાં નાણાં બજારમાં ફરતાં થશે.
સ્નેહલ મુઝુમદાર
સમાજના દરેક વર્ગ માટે નાણાપ્રધાન કંઈક ને કંઈક તો આપશે જ.
This story is from the February 06, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the February 06, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
શ્રી દાક્ષિણ્યના પાઠ ઘર અને સ્કૂલથી જ શીખવીએ...
કોઈ પણ યુવતી આપણા માટે ‘તૈયાર’ છે એવી વિકૃત સમજ બદલવાની પુરુષે જરૂર નથી?
રંગમંચનું મહત્ત્વ અદકેરુ.
ઓટીટી, ડિજિટલના ઘોર કળિયુગમાં પણ...
પડદા વિનાનો રંગમંચ, ઈન્ટરવલ વિનાનું નાટક...
અમદાવાદમાં નાટ્યગૃહોની અછતનો ઉકેલ કેટલાક પ્રયોગશીલ નાટ્યકર્મીઓએ અવનવાં થિયેટરથી આણ્યો છે.
સુરત છે. રંગભૂમિની પાઘલડીનું સોનેરી ફૂમતું...
ગુજરાતમાં નાટકની જનની ગણાતા આ શહેરમાં તખતાને જિવાડવા થાય છે દમદાર પ્રવૃત્તિ.
સૌરાષ્ટ્રમાં આજેય ધમધમે છે નાટકનું ફળિયું
તાળીનો ગડગડાટ થોડો ઘટ્યો છે, પણ નથી ઓસર્યો નાટ્યસંસ્કૃતિને જિવાડવાનો જુસ્સો.
ભાવનગર-જામનગરની તાસીર છે નિરાળી...
સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારો સુધી નાટકો પહોંચતાં નથી અને મનોરંજનના બીજા વિકલ્પો મળી રહેતાં લોકો એ તરફ વળે એ સાહજિક છે.
જીવનની કેડીએ હજી ડગ માંડ્યાં ત્યાં પગ ગુમાવ્યા, પણ મનોબળ નહીં...
સુરેન્દ્રનગર જિલ્લાના એક ગામની દીકરીની રમવાની ઉંમરે પોલિયોની બીમારીએ પગ છીનવી લીધા, પરંતુ સંજોગો સામે નિરાશ થઈને બેસી રહેવાને બદલે એણે જીવનમાં આગળ વધવાનો દૃઢ સંકલ્પ કર્યો. આજે એ દિવ્યાંગ મહિલા સરકારી અધિકારી તરીકે ફરજ બજાવે છે.
રંગે રમો, પણ ક્લરની અસરથી બચો...
ધુળેટીના પર્વની મજા શરીર પર ચકામાં બનીને ઊપસી ન આવે એ જો જો.
પ્રાચીન વાદ્યોના સૂરમાં શ્વાસ પૂરે છે આ પ્રોફેસર
બારડોલીના અધ્યાપક ડૉ. વિક્રમ ચૌધરીએ ૧૦ વર્ષની મહેનતમાં અનેક લોકોની મુલાકાત, હજારો કિલોમીટરની રઝળપાટ અને કેટલાંય પુસ્તકો ખંખોળ્યા બાદ ‘ભારતીય આદિમ સંગીત વાદ્યો’ એ નામે પુસ્તક તૈયાર કર્યું છે, જેમાં ૧૦૦ જેટલાં વાજિંત્રોની ઓળખ, ઉત્પત્તિ, નિર્માણકળા તથા વગાડવાની પદ્ધતિ આપી છે.
આજ બિરજ મેં હોરી રે, આયી રસિયા કી ટોરી...
‘ઐસી હોરી તોહે ખિલાઉં, દૂધ છઠ્ઠી કો યાદ દિલાઉં, સૂન રે સાંવરે...’ વસંત પંચમીથી શરૂ થયેલી વ્રજમંડળની હોળી દોઢ મહિનો ચાલે છે. વ્રજનાં તમામ માં વિવિધ સ્વરૂપે હોળી ખેલાય છે, અનેક મનોરથ થાય છે, પણ બરસાનાની લઠમાર હોળી જોવા તો દુનિયાભરમાંથી ટૂરિસ્ટો ઊમટે છે. આ પ્રસંગે કૃષ્ણના ભક્તોને રાધાજીની ભક્તાણીઓ તરફથી પડતી લાઠી પાછળનો ભાવ સમજવા જેવો છે.