ધરતીને પાછી વર યા, ધરતી પર પાપ વધી ગીયેલ વ, નીતિ રીતિની ગોટ જ રયા, નીતિ રીતિ ભુલાય ગીયેલ વ દેવજ વ...
નવસારીના તોરણવેરા ગામે સુનીલભાઈ ભોયાના ઘરે રાત્રે ઉત્સવનો પ્રકાશ રેલાઈ રહ્યો છે. આખું ગામ એમને ત્યાં એકઠું થયું છે. ચોખાના રોટલા અને સૂરણ-વટાણાના શાકની સોડમ ચારે બાજુ ફેલાયેલી છે. ગામના ભગતની વાણીમાંથી કથાના સ્વર વહે છે અને ભગતના ઘેઘૂર અવાજ સાથે ઘાંઘળી તરીકે ઓળખાતા વાજિંત્રનો મીઠો સૂર ભળ્યો છે. એ કથા છે કંસરીની એટલે કે અનાજની દેવીની.
અન્નમ્ બ્રહ્મા રસો વિષ્ણુઃ
હિંદુ શાસ્ત્રોમાં અન્નને દેવતા ગણવામાં આવ્યું છે. અનાજના કણ કણમાં ઈશ્વરનો વાસ છે. આ વાતને આદિવાસીઓ સારી રીતે જાણે-સમજે છે એટલે જ આ પ્રજા અનાજની પૂજા કરે છે અને એ પછી જ એનો ઉપયોગ કરે છે. ખેતરમાં તૈયાર થયેલા નવા પાકને ઘરમાં લાવતાં પહેલાં આદિવાસી પ્રજામાં એક ખાસ ઉજવણી પણ કરવામાં આવે છે, જેમાં આખી રાત ડાંગી વાઘ સાથે અનાજની દેવી કંસરીની એક કથાનું ગાન થાય છે.
એક દંતકથા અનુસાર દેવલોકમાં દેવો અને પૃથ્વીલોકમાં મનુષ્યો પોતપોતાની રીતે જીવન વ્યતીત કરી રહ્યા હતા. દેવો આનંદોલ્લાસ અને મનુષ્યો જંગલમાં ભટકી જે કંઈ મળે એ આરોગી, સંતોષ માની જીવનનિર્વાહ કરતા હતા. એ યુગમાં ધરતી પર ખેતી કરવાનું દેવોના હસ્તક હતું, પરંતુ સમૃદ્ધિના મદમાં દેવો કૃષિ તરફ બેદરકાર બનીને માત્ર આનંદી જીવન વ્યતીત કરી રહ્યા હતા. કૃષિવિદ્યા પણ વીસરી રહ્યા હતા.
એ ગાળામાં મહાદેવના આંગણે ઊગેલી વનસ્પતિ દેવોથી ન ઓળખાતાં મનુષ્યોએ એને ઓળખી બતાવી. મનુષ્યોની ખેતીની જાણકારીને કારણે માણસોને પણ ખેતી કરવાનો અધિકાર મળ્યો. દેવોએ મનુષ્યોને કહ્યું કે અમે દેવો કરતાં તમે જ સારી રીતે ખેતી કરી શકો છો. માત્ર એટલું કરજો કે પાક ઊપજે ત્યારે કંસરીદેવીની પૂજા-અર્ચના કરજો. ત્યારથી માણસો અન્નની દેવી કંસરીદેવીની પૂજા-અર્ચના કરી નવું પાકેલું ધાન એમના ચરણે ધરીને પછી જ પોતાના ઉપયોગમાં લે છે. આ પરંપરા હજી આજે પણ આદિવાસીઓમાં જોવા મળે છે.
નવસારી જિલ્લાના તોરણવેરા ગામના વતની ડાહ્યાભાઈ વાઢુએ આદિવાસી સંસ્કૃતિ વિશે ખાસ્સું સંશોધન કર્યું છે. એ ચિત્રલેખાને કહે છેઃ
Esta historia es de la edición December 12, 2022 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición December 12, 2022 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?
મોદી સરકાર ઈસ બાર કિતને પાર...નું પરિણામ આવવાને થોડા દિવસની જ વાર છે. આવા નાજુક સમયમાં આર્થિક જગતની નજર શૅરબજાર, વિદેશી રોકાણના પ્રવાહ તેમ જ વેપાર-ઉદ્યોગ વિશે ટોચના નેતાઓનાં નિવેદન પર હોય એ સ્વાભાવિક છે.
સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી
દરિયો ભરીને જમીન પેદા કરવાનો માલદીવ્સનો પ્રોજેક્ટ એક તરફ કૂવો અને એક તરફ ખાઈ હોય ત્યારે આપણે કૂવામાં કૂદવાનું પસંદ કરીએ, કેમ કે ત્યાં ખાઈ કરતાં બચવાના ચાન્સ વધારે હોય. હમણાં ભારતના શત્રુ બની બેઠેલા ટાપુરાષ્ટ્ર માલદીવ્સે પણ એક ભૌગોલિક વિનાશથી બચવા કૂવામાં કૂદવાનું નક્કી કર્યું, પણ... જાણીએ, શું છે આખો મામલો?
બાળક તરીકે આપણે કેવાં છીએ?
સંયુક્ત કુટુંબવ્યવસ્થા જેની ઓળખ છે એવા આપણા દેશમાં વડીલોની હાલત પણ જાણી લો.
બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!
નકારાત્મક લાગણી અનુભવવી કોઈને ગમતી નથી, પણ ખરેખર તો આ લાગણી તંદુરસ્ત જીવન માટે જરૂરી છે.
યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...
ક્યારે ખાવ છો, શું ખાવ છો અને ભૂખ લાગે ત્યારે જ ખાવ છો... આ બધું જરૂરી છે સ્વાસ્થ્ય જાળવવા માટે.
લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!
એમનું ધ્યેય એક જ છે, ગમે તે રીતે લોકોને વ્યાયામ કરતાં કરવા. વર્ષોથી મુંબઈના જુહૂ બીચ પર ફિટનેસના વિનામૂલ્ય વર્ગો લેતાં આ મહિલાની લગનીને ખરેખર બિરદાવવા જેવી છે.
પાઠ્યપુસ્તકો પસ્તીમાં ન પધરાવો... સાવધાન!
વૅકેશન પડે એટલે વિદ્યાર્થીઓ વીતી ગયેલા વર્ષની ટેક્સ્ટ બુકનો નિકાલ કરવાની વેતરણમાં લાગી જાય, પણ આ પુસ્તકો પોતાની પછીના વર્ષના જરૂરતમંદ સ્ટુડન્ટ્સને મળે એવું કંઈક એ કરે તો? ગુજરાતમાં અનેક સંસ્થા ‘એક હાથ સે લેના... એક હાથ સે દેના...’ જેવું સ્તુત્ય કામ પાઠ્યપુસ્તકોના રિ-યુઝ માટે કરી રહી છે.
અવરોધો ઊભા કરવાની કળા
ચાહે છે કે આંબા ઊગી નીકળે કિન્તુ જ્યાં ને ત્યાં વાવી બેઠા છે બાવળ બાવળ. - બાલકૃષ્ણ સોનેજી
સોશિયલ મિડિયા સાથેની દોસ્તી નોકરી માટે ખતરારૂપ
શું સોશિયલ મિડિયાના વપરાશના લીધે નોકરી જઈ શકે? કારકિર્દી જોખમમાં આવી શકે? બિલકુલ. જો તમારો સોશિયલ મિડિયા પ્રોફાઈલ, તમારી પોસ્ટ તમને બેજવાબદાર રજૂ કરે તો નોકરી જઈ શકે, નવી નોકરી મળી પણ ન શકે.
ડાયાબિટીસ કાબૂમાં રાખવા સ્વીટનર ખાવ છો? તો તમે ખાંડ ખાવ છો!
મીઠી સાકરની બીમારી હોય તો સાકરને બદલે ઘણા લોકો સ્વીટનર પર પસંદગી ઉતારે છે. એમાંય હવે તો સ્ટિવિયા વનસ્પતિનો સ્વીટનરમાં ઉપયોગ થવા લાગ્યો છે. જો કે બધું પીળું સોનું હોતું નથી એમ ભેળસેળને કારણે સ્ટિવિયામાંથી બનતી બધી ચીજો આરોગ્યપ્રદ હશે એમ માની લેવાની ભૂલ કરવા જેવી નથી.