વિષ્ણુપુરાણ સતયુગના એક સમુદ્રમંથનની કથા માંડીને કહે છે, પણ આજે કળિયુગના સોશિયલ મિડિયામાં તો છાશવારે સમુદ્રમંથન થતું રહે છે. એમાંથી પણ વિષ અને અમૃત બન્ને નીકળે છે. દિલ્હીમાં થયેલી શ્રદ્ધા વાલકરની જઘન્ય હત્યાએ પણ સામૂહિક ચેતનાના સાગરને ખળભળાવી નાખ્યો છે.
આ મંથનમાંથી ચાર મૂળભૂત મુદ્દા સપાટી પર આવ્યા છે. (૧) ઘરેલુ હિંસા અને સ્ત્રીઓની સલામતી. (૨) લવ જિહાદ. (૩) મિડિયા, બૌદ્ધિકો અને ફિલ્મોની ભૂમિકા. (૪) પરિવાર અને સમાજની ભૂમિકા. આ ચારેય મુદ્દા અને એને લગતા પ્રશ્નો પર વિગતે વાત કરીએ એ પહેલાં આ અરેરાટી ઉપજાવતી ઘટના પર અછડતી નજર નાખી લઈએ. અછડતી એટલા માટે કે આ ચકચારી હત્યાકેસથી ભાગ્યે જ કોઈ અજાણ હશે.
આફતાબ પૂનાવાલાએ એની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વાલકરની ગૂંગળાવીને હત્યા કરી, કેમ કે એ લગ્નનું દબાણ કરતી હતી. પછી આફતાબે શ્રદ્ધાના મૃતદેહના પાંત્રીસ ટુકડા કરી ઠંડે કલેજે ફ્રિજમાં રાખ્યા. એ પછી ૧૮ દિવસ સુધી આફતાબ એ ટુકડા આસપાસનાં જંગલમાં ફેંકતો રહ્યો. છએક મહિના પછી એ પકડાયો. પોલીસને એના ફ્લૅટમાંથી ઈલેક્ટ્રિક કરવત મળી. જો કે હત્યાનો હેતુ હજી સ્પષ્ટ થયો નથી, કેમ કે આફતાબ એની છાશવારે બદલાતી ગર્લફ્રેન્ડોની જેમ પોલીસની સામે બયાનો બદલી રહ્યો છે.
આ કરપીણ હત્યાને લીધે સર્જાયેલા ભૂકંપે સામાજિક તિરાડને વધુ પહોળી કરી છે. ધ્રુવીકરણના આ જમાનામાં એક પક્ષ કહે છે કે આફતાબનું અપકૃત્ય એક મનોવિકૃત માણસનો જઘન્ય અપરાધ છે. ધર્મ સાથે એને કંઈ લેવાદેવા નથી, કેમ કે આવા ભયાનક ગુના અન્ય કોમના લોકોએ પણ કર્યા છે એટલે આ હત્યાને લવ જિહાદનું નામ આપતા લોકો સમાજમાં નફરત ફેલાવવા માગે છે. બીજા પક્ષને આફ્તાબના ઘાતકી ગાંડપણમાં એક પદ્ધતિ દેખાય છે. એનું કહેવું છે કે પ્રેમના નામે વિધર્મી કન્યાઓનું ધર્માંતરણ કરવાની જિહાદી માનસિકતા પર ઈસ્લામિસ્ટો તથા ઉદારમતવાદીઓ ઢાંકપિછોડો કરે છે, જેને કારણે હિંદુ કન્યાઓ લવ જિહાદના ખાડામાં પડતી રહે છે.
એટલી સ્પષ્ટતા કે આ કેસને કમ સે કમ અત્યારના તબક્કે તો લવ જિહાદ કહી શકાય એમ નથી, કારણ કે આફતાબનો આશય શ્રદ્ધાના ધર્માંતરણનો હતો કે નહીં એ હજી સ્પષ્ટ નથી થયું. આ સાથે એ કહેવું પણ જરૂરી છે કે કોમવાદી રંગ બન્ને પક્ષની દલીલો અને માન્યતાઓમાં ભળેલો છે. કેવી રીતે? એનો જવાબ લેખના પ્રારંભે કહેલા ચાર મુદ્દામાં જ રહેલો છે.
This story is from the December 05, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 05, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
નબળો રૂપિયો વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય નહીં બની શકે...
મોદી સરકાર રૂપિયાની કરન્સીને વિશ્વભરમાં સ્વીકાર્ય બનાવવાનું લક્ષ્ય રાખે છે, રિઝર્વ બૅન્કે આ દિશામાં આગળ વધવા રૂપિયાની ડિજિટલ કરન્સી વિકસાવી છે, પરંતુ આપણું ચલણ બીજા દેશોમાં સ્વીકાર્ય બને ત્યાં સુધી એ મુશ્કેલ લાગે છે.
મોબાઈલના સદુપયોગની શરૂઆત કરવી છે? અપનાવી લો Google Keep
ન જાણતા હો તો જાણી લો Find My Device અને Parental Control જેવાં મોબાઈલ ફોનમાં આવતાં ફીચર્સના ફાયદા.
ચૂંટણીના એ ચાદગાર નારા, જે છવાઈ ગયા જનમાનસમાં!
થોડામાં ઝાઝું... ચૂંટણીપ્રચારના કેન્દ્રમાં જે મુદ્દો હોય એને બહુ જ ઓછા શબ્દોમાં, પણ મતદારોનાં દિમાગમાં સોંસરવો ઊતરી જાય એ રીતે પહોંચાડવાનું કામ કરે છે જુદાં જુદાં ઈલેક્શન સ્લોગન.
પવિત્ર સંબંધના પાયા કેમ હલવા લાગ્યા છે?
છેલ્લાં કેટલાંક વર્ષમાં લગ્નવિચ્છેદ થવા પાછળનાં કારણ બહુ વધ્યાં છે, પણ એનો ઉપાય એક જ છે.
બીપી-ડાયાબિટીસ બની શકે પ્રેગ્નન્સી સમયની પળોજણ
નાની ઉંમરની છોકરીઓમાં વધુ જોવા મળતી પ્યુબર્ટી મેનોરેજિયા જેવી વ્યાધિને અવગણવા જેવી નથી.
જન્મતાંની સાથે દેખાડ્યો સંગીતનો જાદુ
ડૉક્ટર-એન્જિનિયર બનવાને બદલે એણે સૂર-તાલની સંગાથે કારકિર્દી ઘડવાનું પસંદ કર્યું. આજે એને જ સથવારે અમદાવાદની આ યુવતી મનોરંજન ક્ષેત્રે કાઠું કાઢી રહી છે.
સિનેસ્ટાર્સ અને પોલિટિક્સ બહુત યારાના લગતા હૈ…
લોકસભાની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે ત્યારે ફરી એક વાર સિનેસ્ટાર્સ અને પોલિટિક્સનો રોમાન્સ ખીલી રહ્યો છે, પરંતુ આ વખતે મામલો જરા અલગ છે.
વાત વટે ચડી છે...
ભાજપના ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલાને હટાવવાની માગ વચ્ચે ખુદ રૂપાલાએ જ ૧૬મીએ ઉમેદવારીપત્ર ભરવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતમાં ફરી એક હાઈ-પ્રોફાઈલ ડ્રામા જોવા મળે એવાં એંધાણ છે...
એક રિચાર્જ ઐસા ભી કર દો...
ગુજરાતમાં અનેક સ્થળે ઉનાળાના આરંભે જ પાણીની અછત વર્તાવા માંડી છે. આ સમસ્યાનો સચોટ ઉકેલ વરસાદી જળને ભૂગર્ભમાં ઉતારતી ‘રેઈન વૉટર હાર્વેસ્ટિંગ ઍન્ડ ગ્રાઉન્ડ વૉટર રિચાર્જ સિસ્ટમ’નો જ છે. હવે જો કે આ પદ્ધતિમાં પણ અપગ્રેડેશન થયું છે, જેથી રિચાર્જ્ડ વૉટરને પ્રદૂષણ અને હાનિકારક બૅક્ટેરિયાથી મુક્ત રાખી શકાય. સુરતમાં આ કામગીરીનાં મીઠાં ફળ મળ્યાં છે.
દિવસો ફરી આવ્યા ટીપેટીપાં માટે વલખાં મારવાનાં
ઉનાળો આવ્યો નથી ને જળ-સમસ્યાની રાડ ઊઠી નથી. એમાં પણ ભૌગોલિક પરિસ્થિતિ અને મૂળ ઓછા વરસાદને કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માર્ચ-એપ્રિલથી પાણીનાં એક-એક બુંદ માટે તરસવું પડે એવી નોબત આવી જાય છે. વર્ષોથી પ્રજાએ જેનો ભોગ બનવું પડે છે એવું આ જળસંકટ નિવારવા જાતજાતની યોજના બની છે, પણ મોટા ભાગની કોરીધાકોર. ક્યારે આવશે આ પ્રશ્નનો કાયમી ઉકેલ?