ઑલિમ્પિક ગેમ્સ પછી દુનિયામાં સૌથી મોટો કોઈ ખેલોત્સવ હોય તો એ છે ફૂટબૉલ વર્લ્ડ કપ. ૯૨ વર્ષ પહેલાં સ્થપાયેલું ફેડરેશન ઈન્ટરનૅશનલ ફૂટબૉલ ઍસોસિયેશન (ફિફા) દર ચાર વર્ષે ફિફા વર્લ્ડ કપનું આયોજન કરે છે. ૨૦૧૮માં ફિફા વર્લ્ડ કપ રશિયામાં યોજાયેલો. આ વર્ષના વર્લ્ડ કપનું યજમાન બન્યો છે મધ્ય એશિયામાં આવેલો નાનકડો દેશ કતાર. કતારનાં આઠ સ્ટેડિયમમાં ૨૦ નવેમ્બરથી ૧૮ ડિસેમ્બર સુધી ફિફા વર્લ્ડ કપ રમાશે.
ફૂટબૉલ ઈતિહાસનો સૌથી ખર્ચાળ એવો કતારનો વર્લ્ડ કપ અનેક રીતે જુદો અને ઘણી રીતે વિવાદાસ્પદ પણ છે. સામાન્ય રીતે ફૂટબૉલ વર્લ્ડ કપ યુરોપ અથવા અમેરિકાના કોઈ દેશમાં યોજાતો હોય છે. પહેલી જ વાર વર્લ્ડ કપનું આયોજન અરબ દેશમાં થઈ રહ્યું છે. મધ્ય એશિયાના કોઈ દેશમાં ફૂટબૉલ વર્લ્ડ કપ યોજાઈ રહ્યો હોય એવો આ પ્રથમ દાખલો છે. વિવાદાસ્પદ એ રીતે કે અન્ય અરબ દેશની જેમ કતાર પણ ધર્મના ઓઠા હેઠળ આતંકવાદનું સમર્થક ગણાય છે અને એ કટ્ટરવાદી સંગઠનોને આર્થિક સહાય પૂરી પાડે છે એ ઉઘાડું રહસ્ય છે.
ત્રણ બાજુએ દરિયાથી ઘેરાયેલા મધ્ય-પૂર્વ (મિડલ ઈસ્ટ)ના નાનકડા અરબ દેશ કતારમાં બહુમતી વસતી ઈસ્લામધર્મીઓની છે. અહીં ૧૮૬૮થી રાજાશાહી ચાલી આવે છે અને રાજપરિવાર ૧૮૬૮થી ગાદી પર છે. કતારના વર્તમાન રાજા તામિમ બિન હમાદ અલ થાની છે, જે ૨૦૧૩થી ગાદી પર બિરાજે છે. કતારના વિકાસમાં એમનો ઘણો મોટો ફાળો છે.
જેમ કે ૧૨ વર્ષ પહેલાં ફૂટબૉલ વર્લ્ડ કપ યોજવાની પરવાનગી મળતાં સરકારે ત્યારથી જ એની તૈયારી કરવા માંડી. અત્યાર સુધી કતારે ફૂટબૉલ વર્લ્ડ કપના આયોજન પાછળ ૧૭ લાખ કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા છે. વિશ્વ કપની મૅચો રમાડવા કતારે આઠ નવાં સ્ટેડિયમ બાંધ્યાં. એક નોખી-અનોખી હકીકત ગણો તો અહીં રમાનારી ૬૪ મૅચો દરમિયાન જેટલી ઊર્જા વપરાશે એ બધી ૮૮ મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટ થકી મેળવવામાં આવશે.
ફૂટબૉલ વર્લ્ડ કપ જીતવાની આશામાં ૩૨ દેશના ખેલાડીઓ અને જુદી જુદી મૅચ નિહાળવા લાખો રમતપ્રેમીઓ તાર પહોંચી ગયા છે.
This story is from the November 28, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the November 28, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
નબળો રૂપિયો વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય નહીં બની શકે...
મોદી સરકાર રૂપિયાની કરન્સીને વિશ્વભરમાં સ્વીકાર્ય બનાવવાનું લક્ષ્ય રાખે છે, રિઝર્વ બૅન્કે આ દિશામાં આગળ વધવા રૂપિયાની ડિજિટલ કરન્સી વિકસાવી છે, પરંતુ આપણું ચલણ બીજા દેશોમાં સ્વીકાર્ય બને ત્યાં સુધી એ મુશ્કેલ લાગે છે.
મોબાઈલના સદુપયોગની શરૂઆત કરવી છે? અપનાવી લો Google Keep
ન જાણતા હો તો જાણી લો Find My Device અને Parental Control જેવાં મોબાઈલ ફોનમાં આવતાં ફીચર્સના ફાયદા.
ચૂંટણીના એ ચાદગાર નારા, જે છવાઈ ગયા જનમાનસમાં!
થોડામાં ઝાઝું... ચૂંટણીપ્રચારના કેન્દ્રમાં જે મુદ્દો હોય એને બહુ જ ઓછા શબ્દોમાં, પણ મતદારોનાં દિમાગમાં સોંસરવો ઊતરી જાય એ રીતે પહોંચાડવાનું કામ કરે છે જુદાં જુદાં ઈલેક્શન સ્લોગન.
પવિત્ર સંબંધના પાયા કેમ હલવા લાગ્યા છે?
છેલ્લાં કેટલાંક વર્ષમાં લગ્નવિચ્છેદ થવા પાછળનાં કારણ બહુ વધ્યાં છે, પણ એનો ઉપાય એક જ છે.
બીપી-ડાયાબિટીસ બની શકે પ્રેગ્નન્સી સમયની પળોજણ
નાની ઉંમરની છોકરીઓમાં વધુ જોવા મળતી પ્યુબર્ટી મેનોરેજિયા જેવી વ્યાધિને અવગણવા જેવી નથી.
જન્મતાંની સાથે દેખાડ્યો સંગીતનો જાદુ
ડૉક્ટર-એન્જિનિયર બનવાને બદલે એણે સૂર-તાલની સંગાથે કારકિર્દી ઘડવાનું પસંદ કર્યું. આજે એને જ સથવારે અમદાવાદની આ યુવતી મનોરંજન ક્ષેત્રે કાઠું કાઢી રહી છે.
સિનેસ્ટાર્સ અને પોલિટિક્સ બહુત યારાના લગતા હૈ…
લોકસભાની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે ત્યારે ફરી એક વાર સિનેસ્ટાર્સ અને પોલિટિક્સનો રોમાન્સ ખીલી રહ્યો છે, પરંતુ આ વખતે મામલો જરા અલગ છે.
વાત વટે ચડી છે...
ભાજપના ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલાને હટાવવાની માગ વચ્ચે ખુદ રૂપાલાએ જ ૧૬મીએ ઉમેદવારીપત્ર ભરવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતમાં ફરી એક હાઈ-પ્રોફાઈલ ડ્રામા જોવા મળે એવાં એંધાણ છે...
એક રિચાર્જ ઐસા ભી કર દો...
ગુજરાતમાં અનેક સ્થળે ઉનાળાના આરંભે જ પાણીની અછત વર્તાવા માંડી છે. આ સમસ્યાનો સચોટ ઉકેલ વરસાદી જળને ભૂગર્ભમાં ઉતારતી ‘રેઈન વૉટર હાર્વેસ્ટિંગ ઍન્ડ ગ્રાઉન્ડ વૉટર રિચાર્જ સિસ્ટમ’નો જ છે. હવે જો કે આ પદ્ધતિમાં પણ અપગ્રેડેશન થયું છે, જેથી રિચાર્જ્ડ વૉટરને પ્રદૂષણ અને હાનિકારક બૅક્ટેરિયાથી મુક્ત રાખી શકાય. સુરતમાં આ કામગીરીનાં મીઠાં ફળ મળ્યાં છે.
દિવસો ફરી આવ્યા ટીપેટીપાં માટે વલખાં મારવાનાં
ઉનાળો આવ્યો નથી ને જળ-સમસ્યાની રાડ ઊઠી નથી. એમાં પણ ભૌગોલિક પરિસ્થિતિ અને મૂળ ઓછા વરસાદને કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માર્ચ-એપ્રિલથી પાણીનાં એક-એક બુંદ માટે તરસવું પડે એવી નોબત આવી જાય છે. વર્ષોથી પ્રજાએ જેનો ભોગ બનવું પડે છે એવું આ જળસંકટ નિવારવા જાતજાતની યોજના બની છે, પણ મોટા ભાગની કોરીધાકોર. ક્યારે આવશે આ પ્રશ્નનો કાયમી ઉકેલ?