પદ્મશ્રી શ્રીધર વેમ્બુ ગામડે રહીને અબજો રૂપિયાની કંપનીના સંચાલન ઉપરાંત શોખથી ખેતીવાડી પણ કરે છે.
માર્ચ ૨૦૨૦...
કોવિડનો કાળમુખો રાક્ષસ ભલે ગમે એટલું આર્થિક સંકટ વકરાવે, પણ મારા પ્રિય કર્મચારીઓ, તમને ખાતરી આપું છું કે તમારી છટણી કોઈ પણ ભોગે નહીં કરીએ.
આવો સધિયારો આપીને શ્રીધર વેમ્બુએ લૉકડાઉનનાં બે સપ્તાહ પહેલાં જ ઑફિસ બંધ કરીને કર્મચારીઓને ઘરે મોક્લવા માંડ્યા, જેથી છેલ્લી ઘડીએ કોઈ અટકે નહીં. લૉકડાઉનમાં એમણે વર્ક ફ્રૉમ હોમ . કલ્ચરથી આખો કારોબાર ચલાવ્યો. એટલું જ નહીં, કોવિડને કારણે આર્થિક અગવડમાં સપડાયેલા પોતાના સેંકડો કસ્ટમર્સને પણ એમણે સાચવી લીધા. પછી કોવિડનો પ્રકોપ ઢીલો થયો ને માર્કેટ ખૂલવા માંડી ત્યારે આ દિલદાર માણસને પોતાની પ્રોડક્ટ્સનું નવેસરથી માર્કેટિંગ કરવાની આવશ્યકતા જ ન રહી, કેમ કે ગ્રાહકોએ જ એ કામ કરી કે નાખ્યું.
આવી અનોખી બિઝનેસ સેન્સ ધરાવનારા શ્રીધર વેમ્બુ ભારતની અગ્રણી સૉફ્ટવેર કંપની ઝોહો કૉર્પોરેશનના સંસ્થાપક અને સીઈઓ છે. ૨૦૨૧માં એમની કંપનીએ યુનિકૉર્ન (એક અબજ ડૉલરનું વૅલ્યુએશન)નું સ્ટેટસ મેળવ્યું. અત્યારે ઝોહો પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુની આવકે પહોંચી ચૂકી છે. દુનિયાના તવંગરોની ફોર્બ્સ મૅગેઝિનની યાદી પ્રમાણે શ્રીધરજીનો નંબર પંચાવનમો છે. ગયા વર્ષે એમને ભારત સરકારે પદ્મશ્રી એવૉર્ડથી સમ્માનિત કર્યા.
તાજેતરમાં મુંબઈ, દિલ્હી, બેંગલુરુ અને ઉત્તર પ્રદેશના વીજળીક પ્રવાસે નીકળેલા શ્રીધરઅન્નાએ અનેક લેક્ચર્સમાં આગાહી કરી કે ટેક સેક્ટરની મંદીનો આરંભ થઈ ચૂક્યો છે અને વધુ ખરાબ દિવસો આવી શકે છે. આ વાસ્તવિકતા સામે આગોતરી તૈયારી રૂપે ઝોહોએ નવી ભરતી મર્યાદિત કરી નાખી છે, પણ હકાલપટ્ટી પર તો ચોકડી જ છે. શ્રીધરનો તર્ક એ છે કે કર્મચારીઓ કંપનીને વફાદાર રહે તો નોકરીદાતાએ પણ એમના તરફ વફાદારી દાખવવી જોઈએ.
This story is from the November 28, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the November 28, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
નબળો રૂપિયો વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય નહીં બની શકે...
મોદી સરકાર રૂપિયાની કરન્સીને વિશ્વભરમાં સ્વીકાર્ય બનાવવાનું લક્ષ્ય રાખે છે, રિઝર્વ બૅન્કે આ દિશામાં આગળ વધવા રૂપિયાની ડિજિટલ કરન્સી વિકસાવી છે, પરંતુ આપણું ચલણ બીજા દેશોમાં સ્વીકાર્ય બને ત્યાં સુધી એ મુશ્કેલ લાગે છે.
મોબાઈલના સદુપયોગની શરૂઆત કરવી છે? અપનાવી લો Google Keep
ન જાણતા હો તો જાણી લો Find My Device અને Parental Control જેવાં મોબાઈલ ફોનમાં આવતાં ફીચર્સના ફાયદા.
ચૂંટણીના એ ચાદગાર નારા, જે છવાઈ ગયા જનમાનસમાં!
થોડામાં ઝાઝું... ચૂંટણીપ્રચારના કેન્દ્રમાં જે મુદ્દો હોય એને બહુ જ ઓછા શબ્દોમાં, પણ મતદારોનાં દિમાગમાં સોંસરવો ઊતરી જાય એ રીતે પહોંચાડવાનું કામ કરે છે જુદાં જુદાં ઈલેક્શન સ્લોગન.
પવિત્ર સંબંધના પાયા કેમ હલવા લાગ્યા છે?
છેલ્લાં કેટલાંક વર્ષમાં લગ્નવિચ્છેદ થવા પાછળનાં કારણ બહુ વધ્યાં છે, પણ એનો ઉપાય એક જ છે.
બીપી-ડાયાબિટીસ બની શકે પ્રેગ્નન્સી સમયની પળોજણ
નાની ઉંમરની છોકરીઓમાં વધુ જોવા મળતી પ્યુબર્ટી મેનોરેજિયા જેવી વ્યાધિને અવગણવા જેવી નથી.
જન્મતાંની સાથે દેખાડ્યો સંગીતનો જાદુ
ડૉક્ટર-એન્જિનિયર બનવાને બદલે એણે સૂર-તાલની સંગાથે કારકિર્દી ઘડવાનું પસંદ કર્યું. આજે એને જ સથવારે અમદાવાદની આ યુવતી મનોરંજન ક્ષેત્રે કાઠું કાઢી રહી છે.
સિનેસ્ટાર્સ અને પોલિટિક્સ બહુત યારાના લગતા હૈ…
લોકસભાની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે ત્યારે ફરી એક વાર સિનેસ્ટાર્સ અને પોલિટિક્સનો રોમાન્સ ખીલી રહ્યો છે, પરંતુ આ વખતે મામલો જરા અલગ છે.
વાત વટે ચડી છે...
ભાજપના ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલાને હટાવવાની માગ વચ્ચે ખુદ રૂપાલાએ જ ૧૬મીએ ઉમેદવારીપત્ર ભરવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતમાં ફરી એક હાઈ-પ્રોફાઈલ ડ્રામા જોવા મળે એવાં એંધાણ છે...
એક રિચાર્જ ઐસા ભી કર દો...
ગુજરાતમાં અનેક સ્થળે ઉનાળાના આરંભે જ પાણીની અછત વર્તાવા માંડી છે. આ સમસ્યાનો સચોટ ઉકેલ વરસાદી જળને ભૂગર્ભમાં ઉતારતી ‘રેઈન વૉટર હાર્વેસ્ટિંગ ઍન્ડ ગ્રાઉન્ડ વૉટર રિચાર્જ સિસ્ટમ’નો જ છે. હવે જો કે આ પદ્ધતિમાં પણ અપગ્રેડેશન થયું છે, જેથી રિચાર્જ્ડ વૉટરને પ્રદૂષણ અને હાનિકારક બૅક્ટેરિયાથી મુક્ત રાખી શકાય. સુરતમાં આ કામગીરીનાં મીઠાં ફળ મળ્યાં છે.
દિવસો ફરી આવ્યા ટીપેટીપાં માટે વલખાં મારવાનાં
ઉનાળો આવ્યો નથી ને જળ-સમસ્યાની રાડ ઊઠી નથી. એમાં પણ ભૌગોલિક પરિસ્થિતિ અને મૂળ ઓછા વરસાદને કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માર્ચ-એપ્રિલથી પાણીનાં એક-એક બુંદ માટે તરસવું પડે એવી નોબત આવી જાય છે. વર્ષોથી પ્રજાએ જેનો ભોગ બનવું પડે છે એવું આ જળસંકટ નિવારવા જાતજાતની યોજના બની છે, પણ મોટા ભાગની કોરીધાકોર. ક્યારે આવશે આ પ્રશ્નનો કાયમી ઉકેલ?