સુરત મહાપાલિકાની ચૂંટણીમાં ૨૭ બેઠકો પર વિજય મેળવીને વિપક્ષમાં બિરાજેલી (આપ) હવે ગુજરાતની ગાદી માટે તનતોડ મહેનત અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી કરી રહી છે. આ વિધાનસભા ચૂંટણીમાં આપનો ગજ વાગશે કે કેમ એ તો સમય નક્કી કરશે, પણ ચૂંટણીજંગમાં આપના આગમનથી ગુજરાતની ચૂંટણી ચર્ચાસ્પદ બની છે. બીજી તરફ, કોંગ્રેસ ઝાઝી ગાજવીજ વગર પ્રચાર કરી રહી છે. દક્ષિણ ગુજરાતની આદિવાસી બહુમત ધરાવતી બેઠકો પર હજી પણ કોંગ્રેસનો દબદબો છે, જ્યારે શહેરી વિસ્તારમાં આપનું ખાસ્સું જોર વધ્યું છે. આ કારણે ભાજપ માટે આ ચૂંટણી કપરાં ચઢાણ બની રહેશે એમાં કોઈ શંકા નથી.
દક્ષિણ ગુજરાતમાં વિધાનસભાની કુલ ૩૫ બેઠકો પૈકી પચ્ચીસ અત્યારે ભાજપ પાસે છે. જો કે હવે આપના આગમનથી ઘણાં સમીકરણ બદલાઈ શકે છે. ચાલો, જાણીએ દક્ષિણ ગુજરાતની પાંચ એવી બેઠક, જ્યાં ઘમાસાણ ચૂંટણીયુદ્ધ થવાનું છે અને કોઈ ને કોઈ રીતે એ બેઠક ચર્ચાના એરણે ચઢી છે.
વરાછા રોડ
૮૫ ટકાથી વધુ પાટીદાર વિસ્તાર ધરાવતો આ મતવિસ્તાર ભાજપનો ગઢ છે. ગત ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન અને લોકોની ભાજપ પ્રત્યે નારાજગી વચ્ચે પણ કુમાર કાનાણીના નેતૃત્વમાં ભાજપે આ બેઠક કબજે કરી હતી. દબંગ ગણાતા કુમાર કાનાણીને જ ભાજપે રિપીટ કર્યા છે તો સામે આમ આદમી પાર્ટીમાંથી પાટીદાર આંદોલનનો મહત્ત્વનો ચહેરો ગણાતા અલ્પેશ કથીરિયા છે.
આ બેઠક પર કોંગ્રેસે અગાઉના પાટીદાર આંદોલનકારી પ્રફુલ્લ તોગડિયા ઉર્ફે પપન તોગડિયાને કમાન સોંપી છે. ૨૦૨૧માં થયેલી સુરત મહાપાલિકાની ચૂંટણીમાં આ વિસ્તારની તમામ બેઠકો પર આપના ઉમેદવારો વિજયી થયા હતા, એનો ફાયદો પક્ષને મળી શકે. માત્ર સુરત નહીં, સમગ્ર દક્ષિણ ગુજરાતની આ સૌથી વધુ ચર્ચિત બેઠક છે.
કતારગામ
This story is from the November 28, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the November 28, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
નબળો રૂપિયો વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય નહીં બની શકે...
મોદી સરકાર રૂપિયાની કરન્સીને વિશ્વભરમાં સ્વીકાર્ય બનાવવાનું લક્ષ્ય રાખે છે, રિઝર્વ બૅન્કે આ દિશામાં આગળ વધવા રૂપિયાની ડિજિટલ કરન્સી વિકસાવી છે, પરંતુ આપણું ચલણ બીજા દેશોમાં સ્વીકાર્ય બને ત્યાં સુધી એ મુશ્કેલ લાગે છે.
મોબાઈલના સદુપયોગની શરૂઆત કરવી છે? અપનાવી લો Google Keep
ન જાણતા હો તો જાણી લો Find My Device અને Parental Control જેવાં મોબાઈલ ફોનમાં આવતાં ફીચર્સના ફાયદા.
ચૂંટણીના એ ચાદગાર નારા, જે છવાઈ ગયા જનમાનસમાં!
થોડામાં ઝાઝું... ચૂંટણીપ્રચારના કેન્દ્રમાં જે મુદ્દો હોય એને બહુ જ ઓછા શબ્દોમાં, પણ મતદારોનાં દિમાગમાં સોંસરવો ઊતરી જાય એ રીતે પહોંચાડવાનું કામ કરે છે જુદાં જુદાં ઈલેક્શન સ્લોગન.
પવિત્ર સંબંધના પાયા કેમ હલવા લાગ્યા છે?
છેલ્લાં કેટલાંક વર્ષમાં લગ્નવિચ્છેદ થવા પાછળનાં કારણ બહુ વધ્યાં છે, પણ એનો ઉપાય એક જ છે.
બીપી-ડાયાબિટીસ બની શકે પ્રેગ્નન્સી સમયની પળોજણ
નાની ઉંમરની છોકરીઓમાં વધુ જોવા મળતી પ્યુબર્ટી મેનોરેજિયા જેવી વ્યાધિને અવગણવા જેવી નથી.
જન્મતાંની સાથે દેખાડ્યો સંગીતનો જાદુ
ડૉક્ટર-એન્જિનિયર બનવાને બદલે એણે સૂર-તાલની સંગાથે કારકિર્દી ઘડવાનું પસંદ કર્યું. આજે એને જ સથવારે અમદાવાદની આ યુવતી મનોરંજન ક્ષેત્રે કાઠું કાઢી રહી છે.
સિનેસ્ટાર્સ અને પોલિટિક્સ બહુત યારાના લગતા હૈ…
લોકસભાની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે ત્યારે ફરી એક વાર સિનેસ્ટાર્સ અને પોલિટિક્સનો રોમાન્સ ખીલી રહ્યો છે, પરંતુ આ વખતે મામલો જરા અલગ છે.
વાત વટે ચડી છે...
ભાજપના ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલાને હટાવવાની માગ વચ્ચે ખુદ રૂપાલાએ જ ૧૬મીએ ઉમેદવારીપત્ર ભરવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતમાં ફરી એક હાઈ-પ્રોફાઈલ ડ્રામા જોવા મળે એવાં એંધાણ છે...
એક રિચાર્જ ઐસા ભી કર દો...
ગુજરાતમાં અનેક સ્થળે ઉનાળાના આરંભે જ પાણીની અછત વર્તાવા માંડી છે. આ સમસ્યાનો સચોટ ઉકેલ વરસાદી જળને ભૂગર્ભમાં ઉતારતી ‘રેઈન વૉટર હાર્વેસ્ટિંગ ઍન્ડ ગ્રાઉન્ડ વૉટર રિચાર્જ સિસ્ટમ’નો જ છે. હવે જો કે આ પદ્ધતિમાં પણ અપગ્રેડેશન થયું છે, જેથી રિચાર્જ્ડ વૉટરને પ્રદૂષણ અને હાનિકારક બૅક્ટેરિયાથી મુક્ત રાખી શકાય. સુરતમાં આ કામગીરીનાં મીઠાં ફળ મળ્યાં છે.
દિવસો ફરી આવ્યા ટીપેટીપાં માટે વલખાં મારવાનાં
ઉનાળો આવ્યો નથી ને જળ-સમસ્યાની રાડ ઊઠી નથી. એમાં પણ ભૌગોલિક પરિસ્થિતિ અને મૂળ ઓછા વરસાદને કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માર્ચ-એપ્રિલથી પાણીનાં એક-એક બુંદ માટે તરસવું પડે એવી નોબત આવી જાય છે. વર્ષોથી પ્રજાએ જેનો ભોગ બનવું પડે છે એવું આ જળસંકટ નિવારવા જાતજાતની યોજના બની છે, પણ મોટા ભાગની કોરીધાકોર. ક્યારે આવશે આ પ્રશ્નનો કાયમી ઉકેલ?