ચાર મહાવીર, છ વિનાયક, આઠ ભૈરવ, નવ ગ્રહ, દસ વિષ્ણુ, ૧૧ રુદ્ર, ૧૨ આદિત્ય, ૨૪ દેવી અને ૮૮ તીર્થ જ્યાં સ્થિત છે એ પૌરાણિક અવંતિકા નગરી (વર્તમાન ઉજ્જૈન)ના કેન્દ્રમાં રાજાધિરાજ-કાલાધિરાજ બાબા મહાકાલ બિરાજમાન છે. કહે છે કે ઋષિઓએ બ્રહ્માંડની ઊર્જાને પ્રતીક સ્વરૂપે ઉજ્જૈનમાં સ્થાપિત કરી હતી.
હજારો વર્ષ સુધી ભારતની સમૃદ્ધિ, જ્ઞાન-ગરિમા, સભ્યતા-સાહિત્યનું નેતૃત્વ અવંતિકાએ કર્યું હતું. કાલિદાસથી લઈને બાણ ભટ્ટ સુધીના કવિઓની કૃતિમાં ઉજ્જૈનનાં વૈભવ, સૌંદર્ય, સ્થાપત્ય, વાસ્તુકળા, સંસ્કાર, સંસ્કૃતિનાં ગુણગાન છલકાયાં છે.
સનાતનના અનુયાયીઓ માટે અનેક ધાર્મિક મહત્ત્વ ધરાવતું ઉજ્જૈનનું જગપ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિર ભારતનાં ૧૨ જ્યોતિર્લિંગ મંદિરમાં અનોખું ગણાય છે, કારણ કે બાબા મહાકાલનું લિંગ સ્વયંભૂ છે. કહે છે કે મહાકાલના આશીર્વાદ મળે તો કાલની રેખા પણ મટી જાય છે અને અંતથી અનંત સુધીની યાત્રાનો આરંભ થઈ જાય છે. પ્રલયના પ્રહારથી પણ મુક્ત છે એ ઉજ્જૈન મહાકાલ મંદિરના અત્યંત મહત્ત્વાકાંક્ષી વિસ્તરણનું લોકાર્પણ હમણાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું.
૩૫૬ કરોડ રૂપિયાના ખર્ચે માત્ર ચાર વર્ષમાં પૂરા થયેલા આ વિસ્તરણકાર્યની સવિસ્તર માહિતી આપતાં સરકારી કંપની ઉજ્જૈન સ્માર્ટ સિટી લિમિટેડ (યુએસએસએલ)ના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર આશિષ કુમાર પાઠક ચિત્રલેખાને કહે છે:
‘પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ હોવાને કારણે મહાશિવરાત્રિ, નાગપંચમી, બાબાની સવારી, વગેરે ઉત્સવો પર લાખો શ્રદ્ધાળુ અહીં આવે છે, પરંતુ ત્રણ હેક્ટરથી પણ નાના મંદિર પરિસરમાં આટલા દર્શનાર્થીઓને સમાવવા, સગવડ આપવી અને સુખરૂપ દર્શન કરાવવાં એ મોટો પડકાર રહ્યો છે. ૨૦૧૭માં મંદિરના વિસ્તરણ માટે મહાકાલ લોકની યોજના બની, ૨૦૧૮થી પહેલા તબક્કાના વિકાસનું કામ શરૂ થયું અને એના પરિણામે મંદિરનો વિસ્તાર ૪૭.૫ હેક્ટર સુધી ફેલાવી શકાયો, જેમાં ૧૭ હેક્ટરમાં રુદ્ર સાગર સરોવર છે.’
This story is from the October 31 - November 07, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 31 - November 07, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
શ્રી દાક્ષિણ્યના પાઠ ઘર અને સ્કૂલથી જ શીખવીએ...
કોઈ પણ યુવતી આપણા માટે ‘તૈયાર’ છે એવી વિકૃત સમજ બદલવાની પુરુષે જરૂર નથી?
રંગમંચનું મહત્ત્વ અદકેરુ.
ઓટીટી, ડિજિટલના ઘોર કળિયુગમાં પણ...
પડદા વિનાનો રંગમંચ, ઈન્ટરવલ વિનાનું નાટક...
અમદાવાદમાં નાટ્યગૃહોની અછતનો ઉકેલ કેટલાક પ્રયોગશીલ નાટ્યકર્મીઓએ અવનવાં થિયેટરથી આણ્યો છે.
સુરત છે. રંગભૂમિની પાઘલડીનું સોનેરી ફૂમતું...
ગુજરાતમાં નાટકની જનની ગણાતા આ શહેરમાં તખતાને જિવાડવા થાય છે દમદાર પ્રવૃત્તિ.
સૌરાષ્ટ્રમાં આજેય ધમધમે છે નાટકનું ફળિયું
તાળીનો ગડગડાટ થોડો ઘટ્યો છે, પણ નથી ઓસર્યો નાટ્યસંસ્કૃતિને જિવાડવાનો જુસ્સો.
ભાવનગર-જામનગરની તાસીર છે નિરાળી...
સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારો સુધી નાટકો પહોંચતાં નથી અને મનોરંજનના બીજા વિકલ્પો મળી રહેતાં લોકો એ તરફ વળે એ સાહજિક છે.
જીવનની કેડીએ હજી ડગ માંડ્યાં ત્યાં પગ ગુમાવ્યા, પણ મનોબળ નહીં...
સુરેન્દ્રનગર જિલ્લાના એક ગામની દીકરીની રમવાની ઉંમરે પોલિયોની બીમારીએ પગ છીનવી લીધા, પરંતુ સંજોગો સામે નિરાશ થઈને બેસી રહેવાને બદલે એણે જીવનમાં આગળ વધવાનો દૃઢ સંકલ્પ કર્યો. આજે એ દિવ્યાંગ મહિલા સરકારી અધિકારી તરીકે ફરજ બજાવે છે.
રંગે રમો, પણ ક્લરની અસરથી બચો...
ધુળેટીના પર્વની મજા શરીર પર ચકામાં બનીને ઊપસી ન આવે એ જો જો.
પ્રાચીન વાદ્યોના સૂરમાં શ્વાસ પૂરે છે આ પ્રોફેસર
બારડોલીના અધ્યાપક ડૉ. વિક્રમ ચૌધરીએ ૧૦ વર્ષની મહેનતમાં અનેક લોકોની મુલાકાત, હજારો કિલોમીટરની રઝળપાટ અને કેટલાંય પુસ્તકો ખંખોળ્યા બાદ ‘ભારતીય આદિમ સંગીત વાદ્યો’ એ નામે પુસ્તક તૈયાર કર્યું છે, જેમાં ૧૦૦ જેટલાં વાજિંત્રોની ઓળખ, ઉત્પત્તિ, નિર્માણકળા તથા વગાડવાની પદ્ધતિ આપી છે.
આજ બિરજ મેં હોરી રે, આયી રસિયા કી ટોરી...
‘ઐસી હોરી તોહે ખિલાઉં, દૂધ છઠ્ઠી કો યાદ દિલાઉં, સૂન રે સાંવરે...’ વસંત પંચમીથી શરૂ થયેલી વ્રજમંડળની હોળી દોઢ મહિનો ચાલે છે. વ્રજનાં તમામ માં વિવિધ સ્વરૂપે હોળી ખેલાય છે, અનેક મનોરથ થાય છે, પણ બરસાનાની લઠમાર હોળી જોવા તો દુનિયાભરમાંથી ટૂરિસ્ટો ઊમટે છે. આ પ્રસંગે કૃષ્ણના ભક્તોને રાધાજીની ભક્તાણીઓ તરફથી પડતી લાઠી પાછળનો ભાવ સમજવા જેવો છે.