એ ત્યાં ગયાં તો હતાં કોઈ સર્વેના કામસર. ઑસ્ટ્રેલિયન સરકારની રેડિયોસેવા એસબીએસ (સ્પેશિયલ બ્રોડકાસ્ટિંગ સર્વિસ) વતી જાણીતી અમેરિકન કંપની ગેલપ એ સર્વેનું કામ કરતી હતી. મૂળ વડોદરાનાં નીતલ દેસાઈ એ વખતે ગેલપમાં ડેટા ઍનાલિસ્ટ તરીકે કામ કરતાં હતાં. એ પહોંચ્યાં ઑસ્ટ્રેલિયાના આર્થિક પાટનગર સિડનીસ્થિત એસબીએસના કાર્યાલયે ઑડિયન્સ રિસર્ચના સર્વે માટે.
ત્યાં એમનો ભેટો થયો શશાંકભાઈ મહેતા સાથે. આપણા જાણીતા સાહિત્યકાર સિતાંશુ યશશ્ચંદ્ર મહેતાના એ મોટા ભાઈ. ઑસ્ટ્રેલિયામાં સ્થાયી થઈને શશાંકભાઈ એસબીએસ રેડિયો પરથી ગુજરાતીમાં કાર્યક્રમ આપતા. નીતલબહેન ત્યારે હજી નવાં નવાં સિડની રહેવા ગયાં હતાં. શશાંકભાઈએ નીતલ દેસાઈને એસબીએસ રેડિયોના ગુજરાતી કાર્યક્રમ માટે નવા કમ્પ્યુટર સૉફ્ટવેરના ઉપયોગ માટે મદદ કરવા પૂછી જોયું. એમણે તરત તૈયારી દર્શાવી અને એક વર્ષ એ કામ કર્યું.
પછી તો શશાંકભાઈએ એમને એસબીએસ રેડિયોના ગુજરાતી વિભાગમાં જોડાઈ જવાની ઑફર આપી. એ વાત વર્ષ ૨૦૦૧ની...
...આજે નીતલબહેન એસબીએસ રેડિયોના ગુજરાતી પ્રોગ્રામ વિભાગનાં વડા એટલે કે એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે! એક ટેક્સ્ટાઈલ એન્જિનિયર યુવતી ગુજરાતી રેડિયો વિભાગનું સંચાલન સંભાળે? એ પણ ઑસ્ટ્રેલિયન સરકાર હસ્તકની રેડિયો સર્વિસ? જાણીને નવાઈ લાગે, પરંતુ હા, માત્ર ૮૧,૦૦૦ ગુજરાતીભાષીઓની વસતિ ધરાવતા ઑસ્ટ્રેલિયામાં સરકારી રેડિયો પર દર અઠવાડિયે બે દિવસ ગુજરાતી કાર્યક્રમ આવે છે અને સિડની ઉપરાંત મેલબોર્નમાં એના સ્ટુડિયો પણ છે.
- અને હા, નીતલ દેસાઈએ મૂળ તો વડોદરાની મહારાજા સયાજીરાવ (એમ.એસ.) યુનિવર્સિટીમાંથી ટેક્સ્ટાઈલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે! એ પછી એમણે વડોદરાની જ એક મિલમાં વરસેક કામ પણ કર્યું અને બીજી બે કંપનીમાં નોકરી કરી. ત્યાર બાદ આવ્યાં લગ્ન-મુંબઈના એન્જિનિયર યુવાન મનીષ દેસાઈ સાથે. મનીષભાઈ એ વખતે સિંગાપોરની એક કંપની સાથે સંકળાયેલા હતા.
This story is from the September 26, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 26, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
નબળો રૂપિયો વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય નહીં બની શકે...
મોદી સરકાર રૂપિયાની કરન્સીને વિશ્વભરમાં સ્વીકાર્ય બનાવવાનું લક્ષ્ય રાખે છે, રિઝર્વ બૅન્કે આ દિશામાં આગળ વધવા રૂપિયાની ડિજિટલ કરન્સી વિકસાવી છે, પરંતુ આપણું ચલણ બીજા દેશોમાં સ્વીકાર્ય બને ત્યાં સુધી એ મુશ્કેલ લાગે છે.
મોબાઈલના સદુપયોગની શરૂઆત કરવી છે? અપનાવી લો Google Keep
ન જાણતા હો તો જાણી લો Find My Device અને Parental Control જેવાં મોબાઈલ ફોનમાં આવતાં ફીચર્સના ફાયદા.
ચૂંટણીના એ ચાદગાર નારા, જે છવાઈ ગયા જનમાનસમાં!
થોડામાં ઝાઝું... ચૂંટણીપ્રચારના કેન્દ્રમાં જે મુદ્દો હોય એને બહુ જ ઓછા શબ્દોમાં, પણ મતદારોનાં દિમાગમાં સોંસરવો ઊતરી જાય એ રીતે પહોંચાડવાનું કામ કરે છે જુદાં જુદાં ઈલેક્શન સ્લોગન.
પવિત્ર સંબંધના પાયા કેમ હલવા લાગ્યા છે?
છેલ્લાં કેટલાંક વર્ષમાં લગ્નવિચ્છેદ થવા પાછળનાં કારણ બહુ વધ્યાં છે, પણ એનો ઉપાય એક જ છે.
બીપી-ડાયાબિટીસ બની શકે પ્રેગ્નન્સી સમયની પળોજણ
નાની ઉંમરની છોકરીઓમાં વધુ જોવા મળતી પ્યુબર્ટી મેનોરેજિયા જેવી વ્યાધિને અવગણવા જેવી નથી.
જન્મતાંની સાથે દેખાડ્યો સંગીતનો જાદુ
ડૉક્ટર-એન્જિનિયર બનવાને બદલે એણે સૂર-તાલની સંગાથે કારકિર્દી ઘડવાનું પસંદ કર્યું. આજે એને જ સથવારે અમદાવાદની આ યુવતી મનોરંજન ક્ષેત્રે કાઠું કાઢી રહી છે.
સિનેસ્ટાર્સ અને પોલિટિક્સ બહુત યારાના લગતા હૈ…
લોકસભાની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે ત્યારે ફરી એક વાર સિનેસ્ટાર્સ અને પોલિટિક્સનો રોમાન્સ ખીલી રહ્યો છે, પરંતુ આ વખતે મામલો જરા અલગ છે.
વાત વટે ચડી છે...
ભાજપના ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલાને હટાવવાની માગ વચ્ચે ખુદ રૂપાલાએ જ ૧૬મીએ ઉમેદવારીપત્ર ભરવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતમાં ફરી એક હાઈ-પ્રોફાઈલ ડ્રામા જોવા મળે એવાં એંધાણ છે...
એક રિચાર્જ ઐસા ભી કર દો...
ગુજરાતમાં અનેક સ્થળે ઉનાળાના આરંભે જ પાણીની અછત વર્તાવા માંડી છે. આ સમસ્યાનો સચોટ ઉકેલ વરસાદી જળને ભૂગર્ભમાં ઉતારતી ‘રેઈન વૉટર હાર્વેસ્ટિંગ ઍન્ડ ગ્રાઉન્ડ વૉટર રિચાર્જ સિસ્ટમ’નો જ છે. હવે જો કે આ પદ્ધતિમાં પણ અપગ્રેડેશન થયું છે, જેથી રિચાર્જ્ડ વૉટરને પ્રદૂષણ અને હાનિકારક બૅક્ટેરિયાથી મુક્ત રાખી શકાય. સુરતમાં આ કામગીરીનાં મીઠાં ફળ મળ્યાં છે.
દિવસો ફરી આવ્યા ટીપેટીપાં માટે વલખાં મારવાનાં
ઉનાળો આવ્યો નથી ને જળ-સમસ્યાની રાડ ઊઠી નથી. એમાં પણ ભૌગોલિક પરિસ્થિતિ અને મૂળ ઓછા વરસાદને કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માર્ચ-એપ્રિલથી પાણીનાં એક-એક બુંદ માટે તરસવું પડે એવી નોબત આવી જાય છે. વર્ષોથી પ્રજાએ જેનો ભોગ બનવું પડે છે એવું આ જળસંકટ નિવારવા જાતજાતની યોજના બની છે, પણ મોટા ભાગની કોરીધાકોર. ક્યારે આવશે આ પ્રશ્નનો કાયમી ઉકેલ?