હાલો રે માનવીયું મેળે.., મેળામાં મારો મનનો માનેલ છે.., હું તો ગઈ’તી મેળે, મન ગયું એની મેળે મેળામાં હૈયું હણાઈને ગયું દળાઈ જોબનના મેળામાં..
સૌરાષ્ટ્રવાસીઓનાં મનમાં આવાં રમતિયાળ ગીતો ફરી રમી રહ્યાં છે. એમના હૈયે સંભળાઈ રહ્યો છે શિવભક્તિનો ધબકાર શિવ મહિમ્ન કે રુદ્રાષ્ટકમના શ્લોક એમનાં અંતરમાં ગુંજી રહ્યા છે.
શ્રાવણ એટલે શિવમય થવાનો મહિનો અને શ્રાવણ એટલે સૌરાષ્ટ્રમાં તથા ગુજરાતના કેટલાક હિસ્સામાં મેળાનો મહિનો. પાછલાં બે વર્ષ સૌરાષ્ટ્રના પરંપરાગત લોકમેળા કોરોનાએ બંધ રખાવ્યા, પરંતુ આ વર્ષે વહીવટી તંત્ર મેળા યોજવા માટે અને લોકો એમાં મહાલવા માટે ઉમળકાભેર સજ્જ છે. આ આખો મહિનો એવો છે કે જેમાં સૌરાષ્ટ્રવાસીઓ મન મૂકીને પ્રવાસ કરશે. ગામની ભાગોળથી લઈને ગોવાની ભૂગોળ અહીંની પ્રજા ખૂંદી વળશે.
શ્રાવણ-ભાદરવાનો સૌથી મોટો ઉત્સવ લોકમેળો છે. સૌરાષ્ટ્રના લોકમેળાની વિગતો ઘણી લાંબી છે અને જાણીતી છે. જામનગર, પોરબંદર, જેતપુર સહિતનાં શહેરોમાં મેળો યોજાય છે. ભૂજમાં હમીરસર તળાવની પાળે મેળો થાય. ચોમાસું જો સારું ગયું હોય તો મેળામાં ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઊમટી પડે. આ બધામાં રાજકોટમાં યોજાતો મેળો સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો છે. પાંચ દિવસમાં ૧૨થી ૧૫ લાખ લોકો અહીં ફરે છે, ખાય છે, ચકડોળમાં બેસે છે, ખરીદી કરે છે. મેળાના આર્થિક ઊથલાનો અડસટ્ટો લગાવીએ તો એક વ્યક્તિ સરેરાશ ૨૦૦ રૂપિયાનો ખર્ચ કરે તો પણ પ્રજા દ્વારા ૨૪ કરોડ રૂપિયા વપરાય. રિક્ષા કે પરિવહનનાં અન્ય સાધનના ખર્ચ જુદા. મેળામાં ખાણી-પીણી અને વિવિધ રાઈડ્સ પાછળ વ્યક્તિદીઠ સરેરાશ ૨૦૦ રૂપિયાનો ખર્ચ તો ઓછો ગણાય, કારણ કે રાત્રે પોલીસ ધક્કા મારીને બહાર કાઢે ત્યાં સુધીમાં ઘણા લોકો સરેરાશ ૨૦૦ રૂપિયાથી અનેકગણો ખર્ચ કરી ચૂક્યા હોય છે.
રમકડાંના સ્ટૉલધારક કે રેંકડી લઈને ઊભેલા કે પછી પાથરણાં પાથરીને બેસતા તદ્દન સામાન્ય વેપારીને પણ આ પાંચ દિવસ દરમિયાન આગામી ત્રણેક મહિનાની રોજગારી મળી જાય છે. ૨૦૧૮માં મેળાના આયોજનનો ખર્ચ બાદ કરતાં રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીને ૨.૪૦ કરોડ રૂપિયાની આવક થઈ હતી. આવી આવકમાંથી જિલ્લામાં નવા પ્રોજેક્ટ્સ પણ હાથ ધરવામાં આવે છે.
This story is from the August 08, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 08, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
નબળો રૂપિયો વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય નહીં બની શકે...
મોદી સરકાર રૂપિયાની કરન્સીને વિશ્વભરમાં સ્વીકાર્ય બનાવવાનું લક્ષ્ય રાખે છે, રિઝર્વ બૅન્કે આ દિશામાં આગળ વધવા રૂપિયાની ડિજિટલ કરન્સી વિકસાવી છે, પરંતુ આપણું ચલણ બીજા દેશોમાં સ્વીકાર્ય બને ત્યાં સુધી એ મુશ્કેલ લાગે છે.
મોબાઈલના સદુપયોગની શરૂઆત કરવી છે? અપનાવી લો Google Keep
ન જાણતા હો તો જાણી લો Find My Device અને Parental Control જેવાં મોબાઈલ ફોનમાં આવતાં ફીચર્સના ફાયદા.
ચૂંટણીના એ ચાદગાર નારા, જે છવાઈ ગયા જનમાનસમાં!
થોડામાં ઝાઝું... ચૂંટણીપ્રચારના કેન્દ્રમાં જે મુદ્દો હોય એને બહુ જ ઓછા શબ્દોમાં, પણ મતદારોનાં દિમાગમાં સોંસરવો ઊતરી જાય એ રીતે પહોંચાડવાનું કામ કરે છે જુદાં જુદાં ઈલેક્શન સ્લોગન.
પવિત્ર સંબંધના પાયા કેમ હલવા લાગ્યા છે?
છેલ્લાં કેટલાંક વર્ષમાં લગ્નવિચ્છેદ થવા પાછળનાં કારણ બહુ વધ્યાં છે, પણ એનો ઉપાય એક જ છે.
બીપી-ડાયાબિટીસ બની શકે પ્રેગ્નન્સી સમયની પળોજણ
નાની ઉંમરની છોકરીઓમાં વધુ જોવા મળતી પ્યુબર્ટી મેનોરેજિયા જેવી વ્યાધિને અવગણવા જેવી નથી.
જન્મતાંની સાથે દેખાડ્યો સંગીતનો જાદુ
ડૉક્ટર-એન્જિનિયર બનવાને બદલે એણે સૂર-તાલની સંગાથે કારકિર્દી ઘડવાનું પસંદ કર્યું. આજે એને જ સથવારે અમદાવાદની આ યુવતી મનોરંજન ક્ષેત્રે કાઠું કાઢી રહી છે.
સિનેસ્ટાર્સ અને પોલિટિક્સ બહુત યારાના લગતા હૈ…
લોકસભાની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે ત્યારે ફરી એક વાર સિનેસ્ટાર્સ અને પોલિટિક્સનો રોમાન્સ ખીલી રહ્યો છે, પરંતુ આ વખતે મામલો જરા અલગ છે.
વાત વટે ચડી છે...
ભાજપના ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલાને હટાવવાની માગ વચ્ચે ખુદ રૂપાલાએ જ ૧૬મીએ ઉમેદવારીપત્ર ભરવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતમાં ફરી એક હાઈ-પ્રોફાઈલ ડ્રામા જોવા મળે એવાં એંધાણ છે...
એક રિચાર્જ ઐસા ભી કર દો...
ગુજરાતમાં અનેક સ્થળે ઉનાળાના આરંભે જ પાણીની અછત વર્તાવા માંડી છે. આ સમસ્યાનો સચોટ ઉકેલ વરસાદી જળને ભૂગર્ભમાં ઉતારતી ‘રેઈન વૉટર હાર્વેસ્ટિંગ ઍન્ડ ગ્રાઉન્ડ વૉટર રિચાર્જ સિસ્ટમ’નો જ છે. હવે જો કે આ પદ્ધતિમાં પણ અપગ્રેડેશન થયું છે, જેથી રિચાર્જ્ડ વૉટરને પ્રદૂષણ અને હાનિકારક બૅક્ટેરિયાથી મુક્ત રાખી શકાય. સુરતમાં આ કામગીરીનાં મીઠાં ફળ મળ્યાં છે.
દિવસો ફરી આવ્યા ટીપેટીપાં માટે વલખાં મારવાનાં
ઉનાળો આવ્યો નથી ને જળ-સમસ્યાની રાડ ઊઠી નથી. એમાં પણ ભૌગોલિક પરિસ્થિતિ અને મૂળ ઓછા વરસાદને કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માર્ચ-એપ્રિલથી પાણીનાં એક-એક બુંદ માટે તરસવું પડે એવી નોબત આવી જાય છે. વર્ષોથી પ્રજાએ જેનો ભોગ બનવું પડે છે એવું આ જળસંકટ નિવારવા જાતજાતની યોજના બની છે, પણ મોટા ભાગની કોરીધાકોર. ક્યારે આવશે આ પ્રશ્નનો કાયમી ઉકેલ?