
લિવર આપણી અને તંદુરસ્ત શરીરની પારાશીશી છે. આ માનવશરીરમાં લિવર-યકૃત એક ખૂબ જ મહત્ત્વનો અવયવ છે. રોગવિજ્ઞાનમાં કોઈ પણ રોગનું કારણ મળદોષને ગણવામાં આવે છે અને આ મળદોષનો સંગ્રહ થવાનું, એનો સડો થવાનું કારણ લિવરના દોષમાં રહ્યું છે. લિવર આપણા ખોરાકનું પાચન કરે છે. ખોરાકના પોષક સત્ત્વોમાંથી રક્તધાતુનું બંધારણ કરે છે. લિવરનું બીજું કાર્ય એ છે કે રોજિંદા જીવનમાં જે પ્રકારના બળતણની શરીરને જરૂર પડે છે તે સાકરનાં તત્ત્વોનો સંગ્રહ કરી રાખે છે, જેને આપણે સ્નાયુશર્કરા પણ કહેવાય છે. આ શર્કરા એક એવું રાસાયણિક પરિવર્તન છે, જે શરીરને જ્યારે બળતણની જરૂર પડે ત્યારે ત્યારે સંગ્રહ થયેલા જથ્થામાંથી તે મેળવી લે છે. ગ્લાઇકોજનમાંથી સાકરનું પરિવર્તન તુરંત જ થાય છે. પરિણામે જરૂર ઊભી થાય ત્યારે પૂરતી સાકર શરીરને બળતણ માટે મળી આપણી જવનીય શક્તિ રહે છે. રોગ જંતુઓનો નાશ પણ આ લિવર કરનાર છે. તેથી જ રોજબરોજના કાર્યથી નિરંતર ઘસાતાં જતાં રક્તકણોની પુનર્રચના પણ લિવર જ કરે છે.
તંદુરસ્ત અવસ્થામાં લિવરનું વજન ૩થી ૪ રતલ હોય છે. આપણા શરીરમાં તે જમણી બાજુની છેલ્લી પાંસળીની નીચે ગોઠવાયેલું હોય છે અને શરીરના બીજા અવયવો કરતાં એને લોહીનું પ્રમાણ ખૂબ જ મળે છે. ચોવીસ કલાકમાં ક્રમેક્રમે એમાંથી ૨થી ૨.૫ રતલ જેટલો રસ ઝરે છે. સામાન્ય રીતે પાંસળીની નીચે લિવર આવશ્યક સંકોચાયેલી સ્થિતિમાં સ્થિર હોય છે. નીરોગી જીવનમાં જ્યારે લિવર એનું કાર્ય વ્યવસ્થિત કરતું હોય છે ત્યારે માણસને નિયમસર ભૂખ લાગે છે, નિયમિત પાચન થાય છે અને એ ખોરાકમાંથી મળતાં પોષણ અને શક્તિ માનવી મેળવે છે.
This story is from the Abhiyaan Magazine 22/02/2025 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 22/02/2025 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In

હોળી વિશેષ
હોળી ક્રીડાનો રૂપક રાગ, સુરદાસનું સૂર-સારાવલી

રાજકાજ
અને હવે છત્તીસગઢમાં ચૈતન્ય બઘેલનું શરાબ કૌભાંડ

હોળી વિશેષ
ઉદયપુરની રજવાડી હોળી

હોળી વિશેષ
હોલી કબ હૈ...!

વિશ્લેષણ
રાહુલની સાહસિક રાજનીતિ કોંગ્રેસને સંકટમાંથી ઉગારી શકશે?

ચર્નિંગ ઘાટ
જે રીતે વિજ્ઞાન પોતાની રીતે ચાલે અને એન્જિનિયરિંગ પોતાની રીતે કાર્ય કરે તેમ યોગ મુદ્રાના પોતાનાં કર્મ અને ફળ હોય છે.

પ્રાચીન ભારતની શક્તિશાળી નારીઓ
માટીમાંથી ઘડૂલી બનવાની આ પ્રક્રિયા એ જ શક્તિશાળી નારીનિર્માણની દિશામાં નવા મંડાણ.

રાજકાજ
ટ્રમ્પ-ઝેલેન્સ્કીના ઉગ્ર સંવાદ પછી વૈશ્વિક પરિદૃશ્ય કઈ દિશામાં?

સ્ત્રી-પુરુષ સમાનતા - મંઝિલ હજુ દૂર
આપણા દેશમાં સ્રી અને પુરુષ વચ્ચેની વિષમતા હંમેશ જોવા મળે છે.

સ્ત્રી સશક્તિકરણ સ્વપ્ન કે હકીકત?
મહિલા દિન વિશેષ