
સમગ્ર ગુજરાતની જેમ જ કચ્છમાં પણ ન લગ્ન એ બે પરિવારોની સાથે-સાથે અન્ય સગાંસંબંધીઓ, મિત્રો, પાડોશીઓનો પણ શુભ પ્રસંગ છે. લગ્ન એકના ઘરમાં હોય, પરંતુ ઉત્સાહની છોળ આસપાસના સૌને ભીંજવે છે. ગુજરાતી-કચ્છી પરિવારમાં લગ્ન હોય અને ગીતો ન હોય તેવું બને જ નહીં. આજે શહેરોમાં ગીતો ગાવાનું પ્રમાણ ઘટી ગયું છે. લગ્નગીતો ગાવા અને ગવરાવવાળી મહિલાઓ હવે બહુ ઓછી રહી છે, પરંતુ ગ્રામ્ય નારીના જીવનમાં લગ્નગીત જીવંત જ છે. તમામ જ્ઞાતિમાં લગ્નની પૂર્વ તૈયારીઓ ચાલુ થાય ત્યારથી કન્યા વિદાય કે વહુના આગમન સુધીના પ્રસંગોમાં ગીતો ગાવાનો મહિમા છે. અહીંની મુસ્લિમ અને દલિત જ્ઞાતિઓમાં ખાસ કરીને કચ્છી ભાષામાં ગીતો ગવાય છે જ્યારે અન્ય જ્ઞાતિઓમાં ગુજરાતી અને કચ્છી એમ બંને ભાષામાં ગીતો ગવાય છે. કચ્છી લગ્નગીતોમાં કાકા, મામા, ફઈ, માસી જેવાં નજીકનાં સગાં ઉપરાંત સમાજની વિશિષ્ટતા, કચ્છની પાણી સમસ્યા, ઘોડા, દાગીના વગેરેને વણી લેવાયાં છે. સગાઈ થાય, ચૂંદડી ઓઢાડાય, લગ્ન લખાય, લગ્ન વધાવાય, સાંજી, ગણેશ સ્થાપન, ઘડીની વિધિ, ખેતરપાળ પૂજન, પીઠી અને મહેંદી, માંડવારોપણ, સામૈયું, છાબ અને મામેરા, છકી, વરઘોડો, પોંખવાની વિધિ, ચોરીનાં ગીતો, કન્યા પધરામણીની વિધિ, ફેરા ફરવાની વિધિ, વિદાયની વિધિ વગેરે તમામનાં ગીતો મહિલાઓ ખૂબ હોંશથી ગાય છે. સાથે-સાથે ફટાણાંની રમઝટ પણ બોલાય છે.
કચ્છના સાહિત્યકાર ડૉ. દિનેશ જોશીએ લોકગીતો વિશે સંશોધન કરીને પુસ્તક લખ્યું છે. તેમાં તેમણે કચ્છી લગ્નગીતો વિશે ખાસ વિવેચન કર્યું છે. તેઓ જણાવે છે કે, ‘લગ્ન પ્રસંગે ગવાતાં ગીતો લોકજીવનનું પ્રતિબિંબ છે. કચ્છની સંસ્કૃતિ અને સંસ્કારિતા જુદા-જુદા પ્રદેશોમાંથી આવેલી પ્રજાએ ઘડી છે. કોળી, આહીર, ભીલ, રબારી, જત, મિયાણીથી માંડીને જાડેજા, કાઠી, રાઠોડ, ગોહિલ જેવા રાજપૂતો તથા હાલાર, સિંધ, ગુજરાત, સોરઠ, મારવાડ, પંજાબથી વર્ષો પહેલાં આવેલા અને કચ્છને પોતાનું વતન બનાવી ચૂકેલા લોકો અહીં રહે છે. તેમનાં લગ્નગીતોમાં તેમના સમાજનો પડઘો પડે છે.'
લેખક અને કવિ લાલજી મેવાડા કચ્છનાં લગ્નગીતો વિશે કહે છે, “અનેક ગીતો સંસ્કૃત છંદો અને તેના ઢાળમાંથી ઊતરી આવ્યા હોય તેવા છે, ખાસ કરીને મંદાક્રાંતા છંદમાંથી. એક ગીત છે, ‘પરણ્યા એટલે પ્યારા લાડી, ચાલો આપણે ઘેર રે..' જે કલાપીની કવિતા ‘પંખી ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો'માંથી ઊતરી આવ્યું હોય તેમ જણાય છે.’’
This story is from the Abhiyaan Magazine 08/02/2025 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 08/02/2025 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In

શ્રદ્ધાંજલિ
જીવાતી જિંદગીના ઝબકાર ઝીલનારની વિદાય

મૃત્યુ પછીનું જીવન એટલે અંગદાન
ગુજરાતમાં અંગદાનની ઝુંબેશ વેગ પકડી રહી છે. બ્રેઇનડૅડ વ્યક્તિના શરીરમાં મળતાં ૬ અંગોથી ૮ વ્યક્તિઓને નવજીવન મળી શકે છે. અંગદાન ચૅરિટેબલ ટ્રસ્ટના લોકજાગૃતિના પ્રયત્નોથી હજારો લોકોએ અંગદાન અંગેના શપથ લીધા છે. જીવન બચાવનારાં ૬ અંગોનું ટ્રાન્સપ્લાન્ટ ગુજરાતમાં થાય છે, જ્યારે કચ્છમાં બ્રેઇનડૅડ વ્યક્તિનાં અંગોને સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. કચ્છમાં પણ ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટેની સુવિધા હોવી જરૂરી છે.

વામા-વિશ્વ આરોગ્ય
ઉનાળામાં લૂ સામે કેવી રીતે રક્ષણ મેળવશો?

જોન અબ્રાહમની 'ધ ડિપ્લોમેટ' કેવી છે?
આ ફિલ્મ માટે જોન અબ્રાહમના ખાસ વખાણ કરવા પડે તેમ છે, કારણ કે તે માત્ર મુખ્ય ભૂમિકા ભજવે છે, એટલું જ નહીં, પણ આ ફિલ્મના પ્રોડ્યુસર પણ છે. તેમને ખબર છે કે તેઓ એક ઍક્ટર તરીકે મર્યાદિત છે, એટલે તેઓ પ્રોડ્યુસર તરીકે જુદી અને અસરકારક ફિલ્મો બનાવે છે જે તેમની ક્રિએટિવ ભૂખને સંતોષે.

બી-૧ વિઝા ઇચ્છુકોને પૂછાતા સવાલો
ફરજ બજાવવા માટે એમણે વિઝાના અરજદારોની પૂરતી જાતતપાસ કરવાની રહે છે. એમને એવી ખાતરી થાય કે અરજદાર ખરેખર બિઝનેસમેન અથવા તો ટૂરિસ્ટ છે તો જ એમને વિઝા આપી શકે છે

વામ-વિશ્વ ટ્રાવેલ
રોડ ટ્રિપ દરમિયાન શું ધ્યાન રાખવું?

નીરખને ગગનમાં...
ઊર્જાનો અખૂટ ભંડાર થોરિયમ

ભાષા સમસ્યાનો ઉકેલ ચીનમાં કઈ રીતે આવ્યો?
નવી શિક્ષણ નીતિમાં ત્રણ ભાષા શીખવાની ફોર્મ્યુલાનો તામિલનાડુની સરકારે એવું કહીને વિરોધ કર્યો છે કે તેના દ્વારા રાજ્યના લોકો પર હિન્દીને લાદવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે તેનો ઇનકાર કર્યો છે. આમ છતાં રાજકીય કારણોસર ભાષા વિવાદને ઉત્તેજન અપાઈ રહ્યું છે, ત્યારે ચીને આ સમસ્યા કેવી રીતે ઉકેલી અને વિશાળ દેશમાં રાષ્ટ્રીય એકત્વ માટે એક સમાન સંપર્ક ભાષાની કેટલી અને કેવી આવશ્યકતા, અનિવાર્યતા હોય છે, તેની વિસ્તૃત સમજ અહીં અપાઈ છે.

વિશ્લેષણ
વિરોધનું રાજકારણ હિન્દીને સર્વસ્વીકૃત બનતા અટકાવી નહિ શકે

રાજકાજ
નોકરીના બદલામાં જમીન કૌભાંડઃ લાલુપ્રસાદ સામે ઇડીનો ગાળિયો કસાયો