
પ્રયાગરાજ અને વારાણસીની ઉત્તરે સ્થિત જૌનપુર સંગમ સિટી પ્રયાગરાજથી એકસો બે કિલોમીટર અને વારાણસીથી તો માત્ર સિત્તેર કિલોમીટર જ દૂર છે. ભોજપુરી ભાષા બોલતાં ભોજપુરી રિજિયનના સરિજિયન ગણાતાં પૂર્વાંચલ પ્રદેશનું આ જૌનપુર દિલ્હીના અઢારમાં સુલતાન મુહમ્મદબિન તુઘલક કે જેને જૌન ખાન પણ કહેતા હતા તેના પરથી જૌનપુર તરીકે ઓળખાય છે.
ચૌદમી સદીના ઉત્તરાર્ધમાં સ્થપાયેલા જૌનપુર ૫૨ એક જમાનામાં મુસ્લિમ સુલતાનો શાસન કરતા હતા. જૌનપુરને કેન્દ્રમાં રાખીને ગંગા-યમુનાના દોઆબ પ્રદેશ પર સત્તા ચલાવતા સુલતાનો ૧૩૯૪થી ૧૪૯૪ સુધી આજના ઉત્તર પ્રદેશ અને બિહાર રાજ્યના વિસ્તારો પર રાજ કરતા રહ્યા અને જૌનપુર એમાંનું એક હતું.
હિન્દી, ઉર્દૂ અને ભોજપુરી ભાષા બોલતાં જૌનપુરના આદિમ અને અર્લિએસ્ટ શાસકો તો આહીરો અને યાદવો હતા, જેમાં હિરચંદ યાદવ જૌનપુરના પ્રથમ આહીર શાસક હતા, જેમણે જૌનપુરના ગોપાલપુર અને ચંદવક જેવા ગામોમાં કિલ્લા બંધાવ્યા.
ચૌદમી સદીના ઉત્તરાર્ધે જૌનપુર પર દિલ્હીના સુલતાન ફિરોઝ શાહ તુઘલકે આક્રમણ કરી સત્તા ચલાવ્યા પછી પંદરમી
સદીના ઉત્તરાર્ધે જ્યારે હુસૈન શાહે શાસન સંભાળ્યું ત્યારે જૌનપુરનું સૈન્ય ભારતનું સૌથી મોટું સૈન્ય હતું અને તેમ છતાં તે દિલ્હીના લોદી વંશના પ્રથમ સુલતાન બહલોલ ખાન લોદીથી હાર્યું અને પંદરમી સદીના અંતે એક સમય એવો આવ્યો કે બહલોલના પુત્ર સિકંદર લોદીની નેતાગીરીમાં દિલ્હી સલ્તનતે જૌનપુરને ફરી જીતી લીધું.
કહે છે કે જૌનપુરમાં ખ્વાજા જહાને સ્થાપેલા શર્કી રાજવંશની સત્તા સમયે ભવ્ય મહેલો, મસ્જિદો અને મકબરાઓ બંધાયા જે સ્મારકોની સ્થાપત્યશૈલી દિલ્હીની સ્થાપત્યશૈલીનું અનુકરણ હતું, છતાં વિશાળ દરવાજાઓ ધરાવતી શૈલીનું નિર્માણ આ શર્કીવંશે કર્યું.
પંચોતેર વર્ષ સુધી શર્કી સલ્તનતનું રાજ ચાલ્યું અને શર્મીઓ દિલ્હી જીતવાનાં સપનાંઓ જોવા લાગ્યા, પરંતુ ના, દિલ્હી જીતવાની બદલે શર્મી વંશે તો જૌનપુર ઉપર પણ સત્તા ગુમાવી અને તેઓને દિલ્હી સલ્તનતમાં ભળી જવું પડ્યું.
ભલે શર્કી રાજવંશનો આવો અંત આવ્યો, પરંતુ શર્કીવંશ હિન્દુ-મુસ્લિમ ભાઈચારા માટે જાણીતો હતો અને એ સમય ગાળામાં જૌનપુર સલ્તનત ઉર્દૂ અને સૂફી સંસ્કૃતિ અને સંસ્કારનું કેન્દ્ર પણ હતું.
This story is from the Abhiyaan Magazine 08/02/2025 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 08/02/2025 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In

શ્રદ્ધાંજલિ
જીવાતી જિંદગીના ઝબકાર ઝીલનારની વિદાય

મૃત્યુ પછીનું જીવન એટલે અંગદાન
ગુજરાતમાં અંગદાનની ઝુંબેશ વેગ પકડી રહી છે. બ્રેઇનડૅડ વ્યક્તિના શરીરમાં મળતાં ૬ અંગોથી ૮ વ્યક્તિઓને નવજીવન મળી શકે છે. અંગદાન ચૅરિટેબલ ટ્રસ્ટના લોકજાગૃતિના પ્રયત્નોથી હજારો લોકોએ અંગદાન અંગેના શપથ લીધા છે. જીવન બચાવનારાં ૬ અંગોનું ટ્રાન્સપ્લાન્ટ ગુજરાતમાં થાય છે, જ્યારે કચ્છમાં બ્રેઇનડૅડ વ્યક્તિનાં અંગોને સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. કચ્છમાં પણ ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટેની સુવિધા હોવી જરૂરી છે.

વામા-વિશ્વ આરોગ્ય
ઉનાળામાં લૂ સામે કેવી રીતે રક્ષણ મેળવશો?

જોન અબ્રાહમની 'ધ ડિપ્લોમેટ' કેવી છે?
આ ફિલ્મ માટે જોન અબ્રાહમના ખાસ વખાણ કરવા પડે તેમ છે, કારણ કે તે માત્ર મુખ્ય ભૂમિકા ભજવે છે, એટલું જ નહીં, પણ આ ફિલ્મના પ્રોડ્યુસર પણ છે. તેમને ખબર છે કે તેઓ એક ઍક્ટર તરીકે મર્યાદિત છે, એટલે તેઓ પ્રોડ્યુસર તરીકે જુદી અને અસરકારક ફિલ્મો બનાવે છે જે તેમની ક્રિએટિવ ભૂખને સંતોષે.

બી-૧ વિઝા ઇચ્છુકોને પૂછાતા સવાલો
ફરજ બજાવવા માટે એમણે વિઝાના અરજદારોની પૂરતી જાતતપાસ કરવાની રહે છે. એમને એવી ખાતરી થાય કે અરજદાર ખરેખર બિઝનેસમેન અથવા તો ટૂરિસ્ટ છે તો જ એમને વિઝા આપી શકે છે

વામ-વિશ્વ ટ્રાવેલ
રોડ ટ્રિપ દરમિયાન શું ધ્યાન રાખવું?

નીરખને ગગનમાં...
ઊર્જાનો અખૂટ ભંડાર થોરિયમ

ભાષા સમસ્યાનો ઉકેલ ચીનમાં કઈ રીતે આવ્યો?
નવી શિક્ષણ નીતિમાં ત્રણ ભાષા શીખવાની ફોર્મ્યુલાનો તામિલનાડુની સરકારે એવું કહીને વિરોધ કર્યો છે કે તેના દ્વારા રાજ્યના લોકો પર હિન્દીને લાદવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે તેનો ઇનકાર કર્યો છે. આમ છતાં રાજકીય કારણોસર ભાષા વિવાદને ઉત્તેજન અપાઈ રહ્યું છે, ત્યારે ચીને આ સમસ્યા કેવી રીતે ઉકેલી અને વિશાળ દેશમાં રાષ્ટ્રીય એકત્વ માટે એક સમાન સંપર્ક ભાષાની કેટલી અને કેવી આવશ્યકતા, અનિવાર્યતા હોય છે, તેની વિસ્તૃત સમજ અહીં અપાઈ છે.

વિશ્લેષણ
વિરોધનું રાજકારણ હિન્દીને સર્વસ્વીકૃત બનતા અટકાવી નહિ શકે

રાજકાજ
નોકરીના બદલામાં જમીન કૌભાંડઃ લાલુપ્રસાદ સામે ઇડીનો ગાળિયો કસાયો