પૃથ્વીનો નકશો, નકશામાં પૃથ્વી કેટલી વાસ્તવિક, કેટલી ભ્રામક
ABHIYAAN|June 03, 2023
અમેરિકન ભૂગોળશાસ્ત્રી અને કાર્ટોગ્રાફર આર્થર એચ. રોબિન્સન ૧૯૬૩માં ‘રૉબિન્સન પ્રોજેક્શન’ લઈ આવ્યા. રોબિન્સને નકશાની રચનામાં વિસ્તાર કે અંતરથી વિશેષ ‘દેખાવ’ને મહત્ત્વ આપ્યું
પ્રિયંકા જોષી
પૃથ્વીનો નકશો, નકશામાં પૃથ્વી કેટલી વાસ્તવિક, કેટલી ભ્રામક

પ્લેનેટ અર્થ એટલે કે સાત મહાસાગર અને સાત ભૂખંડોને સમાવતી આપણી પૃથ્વી. આખી દુનિયામાં એવી એક પણ જગ્યા બાકી નહીં રહી હોય જ્યાં માણસે પગલું પાડ્યું ન હોય. દુનિયાને તસુ-તસુ માપી લેનાર માણસે તેની જરૂરિયાત અને અનુભવના આધારે તેના પ્રતિરૂપો તૈયાર કરવાનો સતત પ્રયત્ન કર્યો છે.

તમામ પ્રકારની સંસ્થા, ખાસ કરીને શાળાના વર્ગખંડોની દીવાલ પર દુનિયાનો નકશો અચૂક જોવા મળે છે. આપણે સૌ પેઢીઓથી આ નકશાનો અભ્યાસ કરીને આગળ વધ્યા છીએ. આપણા ચિત્તમાં પૃથ્વીનું આ જ ચિત્ર બાળપણથી અંકાયેલું છે, પરંતુ શું ખરેખર આ નકશો પૃથ્વીના વાસ્તવિક રૂપને પ્રતિબિંબિત કરે છે? સંશોધનોના આધારે લગભગ ૫,૦૦૦ વર્ષ પહેલાં નકશા બનાવવાની શરૂઆત થઈ હતી. પ્રાચીન નકશાઓનું સ્વરૂપ માત્ર જે-તે દેશ-પ્રદેશની સરહદો અને પ્રભુત્વ દર્શાવતું હતું. કાળક્રમે પ્રવાસની સીમાઓ વિસ્તરતી ગઈ તેમ તેમ તેમાં સુધારો થતો ગયો અને દિશા, અંતર, કદ વગેરે દર્શાવતાં નવા અને સંવર્ધિત નકશાઓ ચલણમાં આવતાં ગયા. શિલાલેખ, ધાતુપત્ર, ભોજપત્ર, કાગળ પરથી પસાર થઈને આજે આ નકશા 2d-3d વર્ચુઅલ મૉડેલ અને GPS સુધી પ્રગતિ કરી ચૂક્યા છે.

દરેક કાર્યક્ષેત્રમાં, ચોક્કસ પ્રકારની માહિતી દર્શાવતાં અનેક પ્રકારના નકશાઓ આજે ચલણમાં છે. આ પદ્ધતિ સમજવી પ્રમાણમાં ઘણી સ૨ળ છે. મુખ્યત્વે political (રાજકીય) map અને physical (ભૌતિક) map સૌથી વધારે પ્રચલિત છે. રાજકીય નકશા દ્વારા દેશ, રાજ્ય, તેની સરહદો, રાજધાનીઓ અને શહેરો વિશે જાણી શકાય છે, તો ભૌતિક નકશા સમગ્ર વિશ્વમાં ચોક્કસ પ્રકારના પ્રદેશ જેમ કે રણ, ઘાસનાં મેદાનો, જંગલો, પર્વતો, ગિરિમાળાઓ, નદીઓ, સરોવરો જેવાં કુદરતી લક્ષણો દર્શાવે છે.

જ્યારે દુનિયાના નકશાની વાત આવે છે ત્યારે આપણું મન અનાયાસે જ એટલાસ ઊથલાવવા લાગે છે. સામાન્ય લોકો માટે ભૌમિતિક જ્ઞાનનું ભાથું એટલે શાળા દરમિયાન જેનો અભ્યાસ કરેલો તે નકશાપોથી. દુનિયાના નકશામાં વિવિધ રંગના નાનામોટા ખંડો અને વાદળી રંગના મહાસાગરો આપણા સામાન્ય જ્ઞાનની સ્મૃતિઓનો એક ખાસ હિસ્સો છે. હવે જો એવું કહ્યું કે નકશાપોથીના એ તમામ નકશા માત્ર એક આભાસી ચિત્ર છે અને તે ૧૦૦% સાચા નથી તો માનવા ન આવે, પરંતુ આ એક એવી હકીકત છે જેના પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું નથી. ચાલો જાણીએ કે કેવી રીતે –

This story is from the June 03, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the June 03, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ

time-read
3 mins  |
Abhiyaan Magazine 20/04/2024
દેવ પટેલે કઈ રીતે હનુમાન ભગવાનની પ્રેરણા લઈને ‘મંકી મેન' ફિલ્મ બનાવી?
ABHIYAAN

દેવ પટેલે કઈ રીતે હનુમાન ભગવાનની પ્રેરણા લઈને ‘મંકી મેન' ફિલ્મ બનાવી?

દેવ પટેલની ફિલ્મ ‘મંકી મૅન નો વિવાદ પૂરું થવાનું નામ નથી લઈ રહ્યો. આ ફિલ્મ માટે દેવ પટેલને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તે પોતે જ ફિલ્મના ઍક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર છે.

time-read
3 mins  |
Abhiyaan Magazine 20/04/2024
ફેમિલી ઝોન
ABHIYAAN

ફેમિલી ઝોન

ગાર્ડનિંગ સાથે જોડાયેલી માન્યતાઓઃ કેટલી સાચી, કેટલી ખોટી?

time-read
2 mins  |
Abhiyaan Magazine 20/04/2024
ફેમિલી ઝોન
ABHIYAAN

ફેમિલી ઝોન

ફૂટકોર્ન શું છે અને કેવી રીતે રાહત મેળવી શકાય?

time-read
3 mins  |
Abhiyaan Magazine 20/04/2024
ચૈત્રી નોરતાં એટલે આપણી ઊર્જા સાથેનાં મૈત્રી નોરતાં..
ABHIYAAN

ચૈત્રી નોરતાં એટલે આપણી ઊર્જા સાથેનાં મૈત્રી નોરતાં..

આપણામાં ઊર્જા તો હોય, પણ એ ઊર્જા નકારાત્મકરૂપે હોય તો? એ ઊર્જા અસંતોષ, ઈર્ષ્યા, લાલચ, વ્યગ્રતા જેવા રૂપમાં હોય તો? તો એ ઊર્જા આપણને ઊલટી ચાલ લઈ જાય છે. આપણી ઊર્જાને યોગ્ય માર્ગે વાળવાનું તપ આપણે કરવાનું હોય છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 20/04/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

લેખક જ્યારે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરે છે...!!

time-read
5 mins  |
Abhiyaan Magazine 20/04/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

યુગપરિવર્તક ચિત્રકારના જીવનરંગો : રાજા રવિ વર્માનું જીવનચરિત્ર

time-read
6 mins  |
Abhiyaan Magazine 20/04/2024
કચ્છમાં જૈન તત્ત્વજ્ઞાન વિધાપીઠોને તાળાં લાગ્યાં
ABHIYAAN

કચ્છમાં જૈન તત્ત્વજ્ઞાન વિધાપીઠોને તાળાં લાગ્યાં

કચ્છમાં જૈન સમાજમાં પહેલાંથી જ શિક્ષણનું મહત્ત્વ હતું.જૈન સમાજની બાલિકા અને બાળકોને ધર્મના સંસ્કાર મળે, તેનું પાયાથી જ્ઞાન મળે, અહિંસા અને સંસ્કૃતિની જ્યોત જલતી રહે, સંસ્કૃત, હિન્દી, ગણિત જેવા વિષયો શીખવા મળે તેવા હેતુસર માંડવી તાલુકાના મેરાઉ અને નાગલપર ગામોમાં ‘શ્રી આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ'ની સ્થાપના ૧૯૬૧માં કરાઈ હતી, પરંતુ સમયની સાથે કચ્છમાં જૈન વસતિ અને વિદ્યાપીઠોનો લાભ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા લાગી. તેથી આજે આ બંને વિદ્યાપીઠ બંધ કરવી પડી છે. જોકે ભવિષ્યમાં કન્યાઓ માટે અહીં ફરી વખત ધાર્મિક, સાંસ્કૃતિક અને હાલના સમયમાં ઉપયોગી એવું શિક્ષણ આપતી વિદ્યાપીઠ શરૂ કરવાની યોજના ટ્રસ્ટીઓની છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 20/04/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

જટાગંગા, જંગલ અને જાગેશ્વરના પ્રાચીન મંદિર સમૂહો

time-read
4 mins  |
Abhiyaan Magazine 20/04/2024
અમે કોઈ પણ કામ કરવા સક્ષમ છીએ, બસ, તમે અમને એક તક આપો
ABHIYAAN

અમે કોઈ પણ કામ કરવા સક્ષમ છીએ, બસ, તમે અમને એક તક આપો

અહીં મહિલા કામદારો મૅનેજમૅન્ટ, ફર્નેસ ઓપરેટર, પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર, સિક્યૉરિટી માર્શલ્સ, પ્રોજેક્ટ ઑપરેશન્સ, કોન્ટ્રાક્ટ પ્રોક્યોરમૅન્ટ, લોજિસ્ટિક્સ વિભાગ જેવા વિવિધ ક્ષેત્રે કામ કરે છે. એટલે કે માત્ર ઑફિસ વર્ક જ નહીં, મહિલા કામદારો એ બધાં જ કામ કરે છે જે કંપનીના પુરુષ કામદારો કરે છે. વાત એક સ્ટીલ કંપનીનાં મહિલા કર્મચારીઓની.

time-read
4 mins  |
Abhiyaan Magazine 20/04/2024