મેં ઔર મેરા પ્રવાસ
ABHIYAAN|May 27, 2023
હું માનું છું કે હું આવીશ, તો આ પ્રવાસ મારા માટે જેટલો યાદગાર બની રહે, એના કરતાં અનેકગણો યાદગાર તમારા માટે પણ બની શકે છે, એનો મને પૂરો વિશ્વાસ છે
હર્ષદ પંડ્યા ‘શબ્દપ્રીત’
મેં ઔર મેરા પ્રવાસ

પ્રવાસ દરમિયાન કુદરતી સૌંદર્ય તો માણવા મળતું જ હોય છે, પણ સાથે-સાથે કુદરતે સર્જેલાં માનવસૌદર્યો પણ માણવા મળતાં હોય છે. આનો અર્થ એ થયો કે જે લોકો ખરેખર સૌંદર્યના ચાહકો કે સૌંદર્યના આરાધકો હોય છે એવા લોકો જ પ્રવાસમાં જોડાતા હોય છે. જોકે આ પૂર્ણસત્ય નથી, અર્ધસત્ય છે. કેટલાક પ્રવાસીઓ એવાય હોય છે કે જેમને કુદરતી કે પ્રાકૃતિક સૌંદર્ય સાથે સ્નાનસૂતકનોય સંબંધ ન હોય! આવા લોકોને એક જ ચિંતા હોય છે કે પ્રવાસમાં જમવાનું કેવું હશે? ઘર જેવું પૌષ્ટિક તો મળશે ને? તો કેટલાક ભોજનપ્રિય પ્રવાસવીરોને ચિંતા તો આવી જ હોય છે કે પ્રવાસમાં ભોજન કેવું મળશે? જો ઘર જેવું જ મળશે તો પ્રવાસનો હેતુ, પ્રવાસનો આનંદ જ મરી જશે.

અમુક જ પ્રવાસીઓ એવા હોય છે જેઓ ‘જીવ્યા કરતાં જોયું ભલું’ એ સૂત્રમાં માનતા હોય છે. આમ તો મને ક્યારેય કોઈ સવાલ પેદા થતો જ નથી, કેમ કે હું એ વૈજ્ઞાનિક સત્યને સ્વીકારું છું કે જેમની પાસે સક્રિય દિમાગ હોય એને જ નાના-મોટા સવાલો પેદા થતા હોય, પણ ક્યારેક ક્યારેક વરસના વચલા દા'ડે મને એકાદ સવાલનો સણકો ઊપડતો હોય છે. આનો અર્થ એ થયો કે, વાહ.. આપણી પાસે, આઇ મીન, મારી પાસે દિમાગ જેવું કંઈક તો છે! એ વિના કંઈ સવાલ પેદા થતો હોય? દિમાગ સક્રિય છે કે નિષ્ક્રિય એ મહત્ત્વનું નથી. મહત્ત્વનું એ છે કે મારે પણ એક દિમાગ છે!

પ્રવાસ કરનારાના અને પ્રવાસ આયોજકના કયા કયા અને કેવા કેવા પ્રવાસિક હેતુઓ હશે એ વિશે હું પ્રવાસચિંતન કરતો’તો ને ત્યાં જ મોબાઇલ રણક્યો. પૂછપરછ કર્યા પછી જાણ્યું કે કોઈ પ્રવાસ આયોજકનો ફોન હતો.

હમણાં ‘ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સ' કંપનીના એક ઑર્ગેનાઇઝરને મળવાનું થયું. આમ તો હું લાંબા કે ટૂંકા પ્રવાસો બહુ કરતો નથી. સ્વભાવ પહેલેથી જ પરોપકારી, એટલે પ્રવાસનું આયોજન કરનારને કોઈ દિવસ તકલીફમાં નહીં મૂકવો એ જ મારો આદર્શ. પણ વિધાતાએ જેમના યોગમાં આવવાનું લખ્યું હોય એના યોગમાં આપણે આવવું જ પડે છે, આપણાથી એમાં લેશમાત્ર ફેરફાર થઈ શકતો નથી. એમ કેટલાક પ્રવાસ આયોજકોના નસીબમાં હું લખાયો હોઉં એટલે મારે પ્રવાસમાં જોડાવું પડતું હોય છે. વન-વે લવની જેમ ક્યારેક નસીબ પણ વનવેમાં માનતું જ હશેને, એ વિના આવું થોડું બને?

This story is from the May 27, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the May 27, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ

time-read
3 mins  |
Abhiyaan Magazine 20/04/2024
દેવ પટેલે કઈ રીતે હનુમાન ભગવાનની પ્રેરણા લઈને ‘મંકી મેન' ફિલ્મ બનાવી?
ABHIYAAN

દેવ પટેલે કઈ રીતે હનુમાન ભગવાનની પ્રેરણા લઈને ‘મંકી મેન' ફિલ્મ બનાવી?

દેવ પટેલની ફિલ્મ ‘મંકી મૅન નો વિવાદ પૂરું થવાનું નામ નથી લઈ રહ્યો. આ ફિલ્મ માટે દેવ પટેલને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તે પોતે જ ફિલ્મના ઍક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર છે.

time-read
3 mins  |
Abhiyaan Magazine 20/04/2024
ફેમિલી ઝોન
ABHIYAAN

ફેમિલી ઝોન

ગાર્ડનિંગ સાથે જોડાયેલી માન્યતાઓઃ કેટલી સાચી, કેટલી ખોટી?

time-read
2 mins  |
Abhiyaan Magazine 20/04/2024
ફેમિલી ઝોન
ABHIYAAN

ફેમિલી ઝોન

ફૂટકોર્ન શું છે અને કેવી રીતે રાહત મેળવી શકાય?

time-read
3 mins  |
Abhiyaan Magazine 20/04/2024
ચૈત્રી નોરતાં એટલે આપણી ઊર્જા સાથેનાં મૈત્રી નોરતાં..
ABHIYAAN

ચૈત્રી નોરતાં એટલે આપણી ઊર્જા સાથેનાં મૈત્રી નોરતાં..

આપણામાં ઊર્જા તો હોય, પણ એ ઊર્જા નકારાત્મકરૂપે હોય તો? એ ઊર્જા અસંતોષ, ઈર્ષ્યા, લાલચ, વ્યગ્રતા જેવા રૂપમાં હોય તો? તો એ ઊર્જા આપણને ઊલટી ચાલ લઈ જાય છે. આપણી ઊર્જાને યોગ્ય માર્ગે વાળવાનું તપ આપણે કરવાનું હોય છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 20/04/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

લેખક જ્યારે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરે છે...!!

time-read
5 mins  |
Abhiyaan Magazine 20/04/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

યુગપરિવર્તક ચિત્રકારના જીવનરંગો : રાજા રવિ વર્માનું જીવનચરિત્ર

time-read
6 mins  |
Abhiyaan Magazine 20/04/2024
કચ્છમાં જૈન તત્ત્વજ્ઞાન વિધાપીઠોને તાળાં લાગ્યાં
ABHIYAAN

કચ્છમાં જૈન તત્ત્વજ્ઞાન વિધાપીઠોને તાળાં લાગ્યાં

કચ્છમાં જૈન સમાજમાં પહેલાંથી જ શિક્ષણનું મહત્ત્વ હતું.જૈન સમાજની બાલિકા અને બાળકોને ધર્મના સંસ્કાર મળે, તેનું પાયાથી જ્ઞાન મળે, અહિંસા અને સંસ્કૃતિની જ્યોત જલતી રહે, સંસ્કૃત, હિન્દી, ગણિત જેવા વિષયો શીખવા મળે તેવા હેતુસર માંડવી તાલુકાના મેરાઉ અને નાગલપર ગામોમાં ‘શ્રી આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ'ની સ્થાપના ૧૯૬૧માં કરાઈ હતી, પરંતુ સમયની સાથે કચ્છમાં જૈન વસતિ અને વિદ્યાપીઠોનો લાભ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા લાગી. તેથી આજે આ બંને વિદ્યાપીઠ બંધ કરવી પડી છે. જોકે ભવિષ્યમાં કન્યાઓ માટે અહીં ફરી વખત ધાર્મિક, સાંસ્કૃતિક અને હાલના સમયમાં ઉપયોગી એવું શિક્ષણ આપતી વિદ્યાપીઠ શરૂ કરવાની યોજના ટ્રસ્ટીઓની છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 20/04/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

જટાગંગા, જંગલ અને જાગેશ્વરના પ્રાચીન મંદિર સમૂહો

time-read
4 mins  |
Abhiyaan Magazine 20/04/2024
અમે કોઈ પણ કામ કરવા સક્ષમ છીએ, બસ, તમે અમને એક તક આપો
ABHIYAAN

અમે કોઈ પણ કામ કરવા સક્ષમ છીએ, બસ, તમે અમને એક તક આપો

અહીં મહિલા કામદારો મૅનેજમૅન્ટ, ફર્નેસ ઓપરેટર, પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર, સિક્યૉરિટી માર્શલ્સ, પ્રોજેક્ટ ઑપરેશન્સ, કોન્ટ્રાક્ટ પ્રોક્યોરમૅન્ટ, લોજિસ્ટિક્સ વિભાગ જેવા વિવિધ ક્ષેત્રે કામ કરે છે. એટલે કે માત્ર ઑફિસ વર્ક જ નહીં, મહિલા કામદારો એ બધાં જ કામ કરે છે જે કંપનીના પુરુષ કામદારો કરે છે. વાત એક સ્ટીલ કંપનીનાં મહિલા કર્મચારીઓની.

time-read
4 mins  |
Abhiyaan Magazine 20/04/2024